છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી યશરાજ ફિલ્મ્સ દ્વારા ઓટીટી પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર ‘મહારાજ’ ફિલ્મ રજૂ કરવા વિષે વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મ સૌરભ શાહ દ્વારા લિખિત ‘મહારાજ’ નવલકથા અને ‘મહારાજ લાયબલ કેસ ૧૮૬૨' પર આધારિત છે. આ ફિલ્મ દ્વારા સનાતન હિન્દુ ધર્મના એક સ્તંભ એવા વૈષ્ણવ સંપ્રદાયને બદનામ કરવામાં આવ્યો છે. સનાતન હિન્દુ ધર્મના મૂળ દેવ ભગવાન શ્રીકૃષ્ણનાં જુદાં-જુદાં સ્વરૂપોને સંકેતાત્મક રીતે વિકૃત દર્શાવવામાં આવ્યાં છે. ગુજરાત હાઈકોર્ટે આ ફિલ્મ પર વચગાળાનો મનાઈ હુકમ આપ્યો હતો જે પાછળથી ઉઠાવી લેવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના પુરસ્કર્તા એવા પુષ્ટિમાર્ગના સ્થાપક અખંડભૂમંડલાચાર્ય જગદ્ગુરુ શ્રીવલ્લભાચાર્યજીના વંશજો અને પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોનું વિકૃતિકરણ થયું છે.
સત્ય હકીકત એ છે કે, ‘મહારાજ’ ફિલ્મ ૧૮૬૨ના ઐતિહાસિક ‘મહારાજ લાયબલ કેસ’ને નાટકીય બનાવવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મની પટકથા જ ખામીયુક્ત છે, કારણ કે તે ઐતિહાસિક પ્રસંગોને વિકૃત રીતે ચિત્રિત કરે છે તથા સનાતન ધર્મના પુષ્ટિ સંપ્રદાય કે જેના કરોડો અનુયાયી છે, તેના વિષે અને તેમાં રહેલી પરંપરાઓ વિષે ભ્રામક ખ્યાલો તરફ દોરી જાય છે. આ ફિલ્મમાં જીવની મુક્તિ માટે જે રસ્તાઓ બતાવ્યા છે, તે પુષ્ટિમાર્ગના મૂળ ઉપદેશો અને સિદ્ધાંતોને તદ્દન ખોટી રીતે રજૂ કરે છે. તેના કારણે આ ફિલ્મ દર્શકોમાં એવી ભ્રાંતિ ઊભી કરે છે કે પુષ્ટિમાર્ગમાં મુક્તિ માટેના જે રસ્તા દર્શાવ્યા છે તે જ પુષ્ટિમાર્ગનો સાચો સિદ્ધાંત છે. તત્કાલીન પરિસ્થિતિ, પાત્રો, તેમની ભૂમિકાઓ અને અખંડભૂમંડલાચાર્ય જગદ્ગુરુ શ્રી વલ્લભાચાર્યજી સ્થાપિત પુષ્ટિ સંપ્રદાયના મુખ્ય સિદ્ધાંતો વિશે નિષ્પક્ષ, હકીકતલક્ષી અને સંપૂર્ણ માહિતી રજૂ કરવી જોઈએ, પરંતુ એમ કરવામાં ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શક ઊણા ઊતર્યા છે. સંપ્રદાયની વાત રજૂ કરવી હોય ત્યારે તેમાં ‘ઓવર જનરલાઇજેશનઃ ન જ થવું જોઈએ.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 20/07/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 20/07/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?