વર્તમાન સમયમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓનો સામનો વ્યક્તિ કરી રહી છે. ગેસ, એસિડિટી, મેદસ્વીપણું, કબજિયાત વગેરે. આ બધી સમસ્યાઓ માટે મહદ્અંશે પાચનતંત્ર અને ચયાપચયની ક્રિયા જવાબદાર છે. પાચનતંત્ર એટલે ડાયજેસ્ટિવ સિસ્ટમ અને ચયાપચયની ક્રિયા એટલે મેટાબૉલિઝમ. મેટાબૉલિઝમ શરીરમાં થનારી રાસાયણિક પ્રક્રિયા છે. આપણે તેને ગુજરાતીમાં ચયાપચયની ક્રિયા તરીકે ઓળખીએ છીએ. શરીરમાં પોષક દ્રવ્યો અને પાચક રસ સાથે સંકળાયેલી ક્રિયા એટલે ચયાપચયની ક્રિયા. મેટાબૉલિક સિન્ડ્રોમ સમજવા માટે મેટાબૉલિઝમને સમજવું જરૂરી છે. મેટાબૉલિઝમની પ્રક્રિયામાં ઊભી થયેલી ખામી આ સિન્ડ્રોમ માટે જવાબદાર છે. આપણે જે પણ ભોજન આરોગીએ છીએ, તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. આ પ્રક્રિયા શરીરમાં ચોવીસ કલાક ચાલતી જ રહે છે. રક્ત સંચાર અને શ્વાસોચ્છ્વાસની ક્રિયા જેવી ઘણી પ્રક્રિયાઓ સારા મેટાબૉલિઝમ પર આધારિત છે. એક સરવે અનુસાર આઇટી ક્ષેત્રમાં કામ કરી રહેલા ૫૦ ટકા યુવાનો મેટાબૉલિઝમ સિન્ડ્રોમના નિશાના પર છે.
મેટાબોલિઝમને બે ભાગમાં વહેંચી શકાય
કેટાબૉલિઝમ એટલે કે અપચય, તેમાં ભોજનનાં પોષક તત્ત્વો જેવા કે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ફેટ વગેરેને ઊર્જામાં પરિવર્તિત કરવામાં આવે છે.
એનાબૉલિઝમ એટલે કે ઉપચય. આ પ્રક્રિયામાં ભોજનમાંથી મળેલી ઊર્જા શરીરમાં બનનારી નવી કોશિકાઓના નિર્માણ તેમ જ ક્ષતિગ્રસ્ત કોશિકાઓના મરમ્મતના કામમાં વપરાય છે.
જો મેટાબૉલિઝમ યોગ્ય રીતે કામ કરતું હોય તો વ્યક્તિ પોતાને ઊર્જાવાન તથા સક્રિયતા અનુભવે છે. શરીર ભોજનને તુરંત ઊર્જામાં બદલતું હોય છે, તેના કારણે શરીર પર ચરબી એકઠી નથી થતી અને મોટાપો નથી આવતો. એ જ રીતે જો મેટાબૉલિઝમ ધીમું હોય તો થાક લાગે છે અને સુસ્તી અનુભવાય છે. આગળ જતાં હાઇ બ્લડપ્રેશર, હૃદયરોગ અને મેદસ્વિતા જેવી સમસ્યાઓનું જોખમ વધી જાય છે. ગેસ, ખોરાકના પાચનમાં સમસ્યા, અપચો વગેરે જેવી સમસ્યાઓ મેટાબૉલિઝમની દેન છે. જીવનશૈલી સાથે જોડાયેલાં ઘણાં કારણોને લીધે મેટાબૉલિઝમ સ્લો થવા લાગે છે.
મેટાબોલિક સિન્ડ્રોમનાં લક્ષણો
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 28/09/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 28/09/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે
બિજ-થિંગ.
‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા
લાફ્ટર વાઇરસ
...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!
કચ્છમાં મળી નવી વનસ્પતિ
જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.
વિવાદ
ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે
હેલ્થ સ્પેશિયલ
નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.
હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા
આજના યુગના હાર્ટના કેટલાક હૃદયગમ્ય ઉપચારો
શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા
*દુનિયાના દરેક ખૂણામાં લોકો વિવિધ પ્રકારની માન્યતાઓ ધરાવે છે. *અમેરિકન સ્ટડીઝમાં ડૉક્ટરેટ ધરાવતા કોરીએ અમેરિકન સૈનિક, નાવિક, વિમાન ચાલક વગેરેમાં પ્રવર્તતી માન્યતાઓનો અભ્યાસ કરેલો છે, તેની વાત કરવી હોય તો પુસ્તકો લખાય. *અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાં પણ અનેક માન્યતાઓ પ્રવર્તે છે.