
દિવાળી ગઈ. શિયાળો આવ્યો. જીવન ચાલતું રહ્યું. પરિવર્તન આવ્યું જ હોય. મન સાથે તનની સ્થિતિ બદલાય. કેટકેટલું ખાધું અને પીધું હશે. અફસોસ કે તંદુરસ્તી આપમેળે સર્વથા સારી રહે તેવી કોઈ વ્યવસ્થા હોતી નથી. કશું પણ ગ્રહણ કરીએ એટલે સ્વાસ્થ્ય પર અસર પડે જ. આજે બહારથી નીરોગી જણાતું શરીર અંદર નાના મોટા રોગના કારણ ઘર કરી બેઠું હોય એવું બને. તહેવારમાં અસામાન્ય ઓઇલી અને સ્વીટ ફૂડ આરોગ્યા પછી આપણે ઉત્તમ આરોગ્યની આશા રાખીએ તો આપણી માનસિક સ્થિતિ યોગ્ય ના કહેવાય. સારું છે કે ઠંડીમાં ફેટ અને કૅલરીની વધારે જરૂર પડે છે. તેમ છતાં દેહમાં આકસ્મિક વસા અને શર્કરા વધવાથી અસંતુલન થાય એ ખોટું. શરદી થાય, એસિડિટી થાય અને ગેસ ગરબડ કરે એ પહેલાં હાથવગાં પગલાં લેવામાં શાણપણ છે. આયુર્વેદ અનુસાર ત્રણ દોષનું એટલે કે કફ, પિત્ત ‘ને વાયુનું સમાયોજન ખોરવાય તો એક કે વધુ રુગ્ણતાનો ભોગ બની શકીએ છીએ. એ સિવાય સ્ફૂર્તિ, ઉત્સાહ, આત્મવિશ્વાસ જેવા બળથી ચેતનવંતા રહેવું જરૂરી હોય છે. વળી આપણે ત્યાં શિયાળો માંડ આવે છે અને ઝટ જતો રહે છે, એવામાં ઠંડકનો ફાયદો ના ઉઠાવી શકીએ તો એ આપણી ભૂલ કહેવાય. ગળ્યું ખાવ એટલે શરીરમાં શુગર વધે એ સૌને ખબર છે. શુગર વધે તેમ જ બહુ વધે જ એટલે શું થઈ શકે બધાંજાણેછે.શું શરદી એ પણ આપણે પીડાઈએ કે ડાયાબિટીસનો ભોગ બનીએ કે શરીર વધે એ પછી જાગવું છે? ના. થોડું થોડું તળેલું ખાઈએ તો ચાલે એમ કરી નાસ્તા ચાલ્યા કરે. એમાં કોઈક દિવસ ઘણું તેલ પેટમાં જાય, કે ચીઝ, બટર યા ઘી ખાવામાં કે આવે. વળી, ઉત્સવની ઉજવણીમાં મસ્ત હોઈએ કે બહાર ફરવા સાથે મજા કરવા ગયા હોઈએ ત્યારે આમ પણ ખાવાનું વધી જાય. પીવાનું વધે એ જુદું. રહી વાત કસરતની, તો સાધારણ કાળમાં જે રોજ કસરત કરનાર હોય છે તે દિવાળીના અંતરાલમાં પોતાનું રૂટિન રેગ્યુલરલી ફૉલો કરે એવું ઓછું થતું હોય છે. એટલે એમના માટે પણ વૅકેશન થોડા કે વધુ અસ્વસ્થ થવાનો ગાળો બની રહે. તદુપરાંત શિયાળાની ઠંડી આપણા દેહ માટે નવી-નવી હોય છે. જેની પ્રકૃતિ ગરમ હોય તેમને ઠંડી ગમે કે માફક આવે, પણ બાકીનાને ઠંડી લાગે છે. તો અન્ય ઘણાં કારણ સાથે ઉષ્મા મેળવવા શિયાળામાં વસાણાં ખાવામાં આવે છે. એટલે ફરી ગળપણ અને ચરબીનો મારો થવાનો.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 16/11/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 16/11/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول

નીરખને ગગનમાં....
'FAST FASHION ના ભભકા ભારે

કવર સ્ટોરી
વિવિધ ઉત્સવો થકી વડનગર બની રહ્યું છે, સાંસ્કૃતિક ધામ

પ્રવાસન
સંત કવિ રૈદાસ અને તેમનું જન્મ સ્થળી મંદિર, વારાણસી

રણવીરકાંડઃ યુ-ટ્યૂબ જગતમાં ખળભળાટ
લગભગ તમામ વીડિયો/સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ, ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક વગેરે સેંકડો લોકોનું ધ્યાન ખેંચી એમના માનસને પ્રભાવિત કરવાનું શક્તિશાળી ચાલક બળ બન્યા છે, ત્યારે સરકારની જવાબદારી બને છે કે અસત્ય ઉચ્ચારી કુપ્રચાર કરનારા, ઘૃણા ઉપજાવે એવા વલ્ગર સામગ્રી પીરસતાં વાંધાજનક પ્લેટફોર્મ્સ અને સંબંધિત વ્યક્તિઓની પ્રવૃત્તિઓને કાયદાના દાયરામાં લઈ આવે.

વિશ્લેષણ
ટ્રમ્પનાં તરંગી ફરમાનોથી દુનિયા દંગ, ભારત પણ તંગ!

શિવના નટરાજ સ્વરૂપનો મહિમા
મહાશિવરાત્રિ આપણા તમામ ધાર્મિક પર્વોમાં અનોખા પ્રકારનું પર્વ છે.

નવા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
દિલ્હીની સરકાર પર કેન્દ્રની 'વૉચ' રહેશે

વિઝા વિમર્શ
રૂપિયાના ડોલર કરવા છે?

સાંબેલાના સૂર
‘વેલેન્ટાઇન ડે'ની પોલિટિક્સ ઇફેક્ટ!

આંસ્કર ૨૦૨૫: ..ચર્ચા છે
‘ધ સબસ્ટન્સ’, ‘અનોરા’, ‘એમિલી પેરેઝ’ અને ‘ધ બ્રુટાલિસ્ટ’ની!