તમામ સર્પોને બાળી નાખનારો જનમેજયનો સર્પયજ્ઞ યા તો યોજાય જ નહીં અને યોજાય તો સફળ ન થાય એ માટે શું થઈ શકે એની વિચારણા માટે સર્પોના રાજા વાસુકિએ બેઠક બોલાવી. એ બેઠકમાં છળ, કપટ, પુરોહિતોની હત્યા તેમ જ સ્વયં જનમેજયની હત્યાને લગતાં સૂચનો આવ્યાં, પરંતુ વાસુકિને આ સૂચનો ધર્મયુક્ત ન લાગ્યાં.
નાગરાજ વાસુકિ ભારે ધર્મનિષ્ઠ હતા. એટલે જ તો એ શિવજીના અત્યંત લાડલા બનેલા અને શિવજીના ગળામાં આભૂષણની જેમ વીંટળાઈ રહેવાનું સૌભાગ્ય એમણે મેળવેલું. આ ધર્મનિષ્ઠ વાસુકિ જનમેજયને રોકવા બાબતે મક્કમ હતા, પરંતુ આ કાર્ય યેનકેન પ્રકારેણ નહીં, બલકે સૌનું કલ્યાણ થાય એ રીતે પાર પાડવાનો એમનો આગ્રહ હતો.
અહીં મોહનદાસ ગાંધીનો સત્યાગ્રહ યાદ આવે. લડવાનું ખરું, પરંતુ એવી રીતે લડવાનું, જેથી બન્ને પક્ષને લાભ થાય. ગાંધી પોતાના સત્યાગ્રહ નામના હથિયારને એવી કાલ્પનિક તલવાર સાથે સરખાવતા, જેનાથી લડનારનું પણ ભલું થાય અને જેની સામે લડવામાં આવે એનું પણ ભલું થાય.
– તો છેવટે જ્યારે વાસુકિના સર્પબંધુ એલાપત્રે એવું કહ્યું કે એણે છુપાઈને સાંભળેલી બ્રહ્માજીની વાત મુજબ, ઋષિ જરત્કારુના પુત્રની સમજાવટ જનમેજયને રોકી શકશે ત્યારે વાસુકિને લાગ્યું કે આવું થઈ શકે તો એના જેવું ઉત્તમ બીજું કશું નહીં.
પછી તો આ ઉપાય બાબતે સ્વયં બ્રહ્માજી સાથે વાત કરવાનો અવસર પણ વાસુકિને મળ્યો. થયું એવું કે સમુદ્રમંથન વખતે વાસુકિએ દેવોને મદદ કરી. દેવોને સમુદ્રને વલોવવા માટે પ્રચંડ મંદરાચલને ઘુમાવી શકે એવું નેતરું-દોરડું જોઈતું હતું. એવું સક્ષમ નેતરું બન્યા નાગરાજ વાસુકિ. પછી મંથન થયું. દેવોને અમૃત મળ્યું. આ મહાકાર્યમાં સેવા આપનારા વાસુકિને દેવો બ્રહ્માજી પાસે લઈ ગયા અને એમણે બ્રહ્માજી કહ્યું: ‘આ વાસુકિએ અમને ઘણી મદદ કરી છે. એમના મનમાં એક પીડા છે. આપ એ પીડા દૂર કરવામાં એમને મદદ કરો.’
هذه القصة مأخوذة من طبعة July 31, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 31, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.