હસતું જીવન...
એક નાના બાળકની માતાનું અચાનક અવસાન થયું. બાળક માટે એ એની મા, મિત્ર, શિક્ષક અને ઘણું બધું હતી. માની ગેરહાજરી બાળક માટે વજ્રાઘાત જેવી હતી. એ સૂનમૂન થઈ ગયો. પિતાએ વિચાર્યું કે થોડા દિવસમાં એ સામાન્ય થઈ જશે, પણ મહિના પછી પણ એ રોજ માને યાદ કરીને રડતો રહ્યો.
એક દિવસ પિતાએ એને કહ્યું કે તું માનો કબાટ ખોલીને એની ચીજવસ્તુઓ લઈ આવ. દીકરો કમરામાં ગયો અને કબાટ ફંફોસવા લાગ્યો. એમાં એને માની અમુક ચીજ સાથે એક પત્ર મળ્યો. માએ ભગવાનને પત્ર લખ્યો હતો. દીકરો એ પિતા પાસે લઈ આવ્યો. પિતાએ પત્ર મોટેથી વાંચ્યોઃ
હે ઈશ્વર,
મને ખબર છે કે મારો અંત નજીક આવ્યો છે. હું એના માટે તૈયાર છું. અગાઉના પત્રમાં તમે મને પૂછ્યું હતું કે મૃત્યુ પછી મારે ક્યાં રહેવું છે. બહુ વિચાર કર્યા પછી મને લાગે છે કે હું મારા દીકરાના હાસ્યમાં રહેવાનું પસંદ કરીશ. મને ખબર છે કે એ હસશે ત્યારે જ હું ત્યાં હોઈશ અને રડશે તો નહીં હોઉં, પણ ભગવાન તમે ચિંતા ના કરશો, એ કાયમ આનંદિત અને હસતો હોય છે એટલે મારું સ્થાન નિશ્ચિત જ છે.
- તમારી દીકરી
પિતાએ ચિંતાથી દીકરા તરફ જોયું. દીકરો સમજી ગયો. એણે પિતાના હાથમાંથી પત્ર લઈ લીધો અને હસતાં હસતાં કહ્યું: ‘પાપા, ચિંતા ન કરશો. હવેથી હું કાયમ હસતો રહીશ.’ પિતાના મોઢા પર હાસ્ય પથરાઈ ગયું. એમની યુક્તિ કામ કરી ગઈ હતી.
***
સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂરે એકરાર કર્યો છે કે એની માતાના અકાળ અવસાન પછી એ ધાર્મિક થઈ ગઈ છે. એક ટીવીચૅનલ સાથે વાત કરતી વખતે ૨૭ વર્ષની આ અભિનેત્રીએ કહ્યું હતુંઃ
هذه القصة مأخوذة من طبعة July 01, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 01, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ઋતુ સંક્રમણ સમયે કેવો આહાર લેશો?
પાચનશક્તિ મંદ બનાવતી આ સીઝનમાં શું ખાવું-પીવું અને શું ન ખાવું-પીવું એ જાણી લો...
દો કદમ તુમ ભી ચલો... દો ક્દમ હમ ભી ચલે...
પૈડાં બરાબર દોડતાં રાખવાં હોય તો સ્ત્રી-પુરુષે સ્વસ્થ સંબંધ રાખતાં શીખવું જોઈએ.
જીવનની સમી સાંજે મેળવી સ્વાદિષ્ટ સફળતા...
વારાણસીમાં વસતી વડનગરા વિશા નાગર વણિકપરિવારની સુપર ટેલેન્ટેડ મા-દીકરીની આ જોડી અનુકરણીય છે. માતાએ કપરા સમયમાં હિંમત હાર્યા વિના આંગળાં ચટાડતી વાનગીઓ બનાવી, જ્યારે પુત્રીએ જન્મદાત્રીની પાકકળાને વ્યાવસાયિક સ્વરૂપ આપ્યું.
જૂનાગઢમાં ચાલી રહી છે અનોખી પુસ્તકક્રાંતિ...
સંગીત હોય કે નૃત્ય કે ચિત્રકળા, શરીર પર એની યોગ્ય જેવી જ સકારાત્મક અસર થાય છે.
અંગવિચ્છેદની પીડા કચ્છ આજેય ભૂલ્યું નથી...
પાકિસ્તાન સાથેનાં દરેક યુદ્ધે ભારતની પ્રજાને કડવી યાદ આપી છે, પરંતુ ૧૯૬૫ના યુદ્ધમાં કચ્છનો ભૂ-ભાગ ગયો એ વેદનાનો જખમ ક્યારે રૂઝાશે?
વડોદરામાં બની રહ્યું છે સંગીતવાદ્યોનું સંગ્રહાલય
યુનિવર્સિટીની ઐતિહાસિક ઈમારતમાં જોવા મળશે ૬૦ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ.
મંગલ ગાઓ. ભાઈ..
સમયના વહેણમાં ઘણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા લુપ્ત થતી હોય છે, પણ પુષ્ટિમાર્ગમાં જેને પાંચમો વેદ કહે છે એ હવેલી સંગીતની પ્રાચીન પરંપરા નામશેષ થવાના મૂડમાં નથી. આ પરંપરામાં તાલીમ લેવા માટે યુવાપેઢી ખૂબ ઉત્સાહી છે. ૨૧ જૂને વિશ્વ સંગીત દિન ઊજવાઈ રહ્યો છે ત્યારે શ્રીપ્રભુની મંગળાથી શયન પર્યંતની સેવા સાથે સંલગ્ન કીર્તનપ્રથા સુરતના અગ્રણી કીર્તનિયા પાસેથી સમજવા જેવી છે.
સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...
જામનગર શહેરની મધ્યમાં આશરે પોણા બસ્સો વર્ષ પહેલાં બંધાયેલા ઐતિહાસિક ભૂજિયા કોઠાનું નવીનીકરણ પૂર્ણતાના આરે પહોંચતાં ટૂંક સમયમાં જ એ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે.
માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...
પર્યાવરણ માટે સૈનિક તરીકે કામ કરતાં ચેરિયાનાં વૃક્ષો અનેક સમુદ્રી જીવોનું આશ્રયસ્થાન છે.એ ઉપરાંત, એ સુનામીથી લઈને અનેક દરિયાઈ આફત સામે રક્ષણ આપે છે, પરંતુ વિવિધ કારણસર આપણે જ એને ખતમ કરી રહ્યા છીએ.
નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!
જીવનમાં જ્યારે આપણી આશાનો ભંગ થયો હોય ત્યારે એક નિરાશા અને નિરર્થકતા આપણને લપેટાઈ જાય છે. ધર્મ ત્યારે આપણને એક જમીન પૂરી પાડે છે અને એના પર આપણે લડખડાતી જિંદગીને સ્થિરતા બક્ષવા માટે પ્રયાસ કરીએ છીએ.