
ગુજરાતના માર્કેટ યાર્ડોમાં સામાન્ય રીતે ખેડૂતો અને એજન્ટોના પ્રશ્નોના મુદ્દે આંદોલન થાય અને ક્યારેક હડતાળ પણ પડે. જો કે હમણાં પહેલી વાર માત્ર એક જણસ એટલે કે ચાઈનીઝ લસણના વિરોધમાં વેપારી-એજન્ટ ઍસોસિયેશન દ્વારા કામકાજ બંધ રાખવામાં આવ્યું. સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા ગોંડલ ઉપરાંત રાજકોટ સહિતના યાર્ડના વેપારીઓ આ બંધમાં જોડાયા.
ગુજરાતી સ્વાદશોખીન પ્રજા છે. કેટલાક ચોક્કસ ધર્મ તથા સંપ્રદાયને બાદ કરતાં ગુજરાતીઓની રસોઈમાં લસણનો ઉપયોગ સામાન્ય ગણાય છે. લસણનો તીખો સ્વાદ અને ખાસ તો એની સોડમ ઘણાને ગમે છે અને એ જ ભારતીય લસણની ખાસિયત છે. જો કે છેલ્લા કેટલાક વખતથી લસણ રૂપે ચીન આપણી થાળીમાં પગપેસારો કરી રહ્યું છે. ભારત કરતાં ચીનના લસણની ગુણવત્તા ઘણી ઊતરતી છે, પરંતુ સસ્તું હોવાને કારણે કેટલાક વેપારી હવે બજારમાં ચીની લસણ ઠાલવતાં થયા છે, એની આયાત પર પ્રતિબંધ હોવા છતાં!
રંગ, સોડમ અને બીજી લાક્ષણિકતાને કારણે અલગ પડતું ચાઈનીઝ લસણ સૌરાષ્ટ્ર સુધી પણ કરી રાખ્યું એના વિરોધમાં ગોંડલ યાર્ડના વેપારીઓએ પાળ્યો બંધ.
એવો એક કિસ્સો હમણાં ગુજરાતમાં બન્યો અને ખાસ્સો ગાજ્યો પણ ખરો. એ જ કારણે ગુજરાતના માર્કેટ યાર્ડમાં એક દિવસ બંધ પાળવામાં આવ્યો. ગુજરાતમાં ચીની લસણને કારણે જે વિવાદ જાગ્યો એની શરૂઆત સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ યાર્ડથી થઈ. ગોંડલ યાર્ડમાં એક દિવસ લસણની જે આવક થઈ રહી હતી એમાં આશરે ૩૦ કટ્ટા (મણ) ચાઈનીઝ લસણનો માલ ઊતર્યો હોવાનું કેટલાક વેપારીઓના ધ્યાનમાં આવ્યું. એમણે તરત યાર્ડના હોદ્દેદારોને જાણ કરી. યાર્ડના ચૅરમૅન-વેપારીઓએ માલની ખરાઈ કરીને સરકારના કૃષિ વિભાગ અને પોલીસ સુધી વાત પહોંચાડતાં ભારતમાં પ્રતિબંધિત માલ કેવી રીતે ઘૂસી ગયો એની તપાસ શરૂ કરવામાં આવી. આ લસણના નમૂના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પણ મોકલવામાં આવ્યા. પછી તો આખો મામલો રાજકોટ સહિત અન્ય યાર્ડ સુધી પહોંચ્યો. આમ લસણનો આ વિરોધ વંટોળનું સ્વરૂપ લઈ રહ્યો છે.
هذه القصة مأخوذة من طبعة September 30, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 30, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

આ... અબ તો લૌટ ચલેં!
ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

નો માર્કેટિંગ
… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

મજા હારમાં છે, ગજબ ગેમ છે...
જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

જસ્ટ, એક મિનિટ..
વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.