મનુષ્ય સંબંધોથી લઈને શક્તિશાળી સંગઠન, દેશ કે સમુદાયો વચ્ચેની સમજૂતીઓ અમુક કિસ્સામાં એવા અતિ બારીક તાંતણાને સહારે ટકી હોય, જેને જરા પણ છંછેડતા સંતુલન ડગમગે. છેડછાડ ગંભીર હોય તો સંબંધો અને સમજૂતીઓ સાવ ધરાશાયી થઈ જાય. અનેકવાર આ બારીક તાંતણાને શોધીને શત્રુ બે પાર્ટીઓ વચ્ચેનો વિશ્વાસનો સેતુ તોડવાનું કામ કરતો હોય છે. શેક્સપિઅરની ‘થેલો’માં રૂપવાન ડેસ્ડમોનાને નાયક થેલો પરણે છે, પણ વિશ્વાસુ મિત્ર ઇએગો ઑથેલોના કાનમાં ઝેર ભરે છે. થેલો અને ડેસ્ડમોના વચ્ચેના પ્રેમ, લગ્નજીવનને ધ્વંસ કરવા ઇએગો ઈર્ષા અને શંકા જેવી સામગ્રી વાપરે છે. બે વ્યક્તિઓના સંબંધ સિવાયની વાત હોય તો સામગ્રી કે સાધન બદલવા પડે. આ પ્રકારની ભાંગફોડ માટે ઇંગ્લિશમાં શબ્દ છે, ‘સબૉટેજ' યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિઓ, નુકસાન કે નાશ કરવાના હેતુથી રચાતાં કાવતરાંઓ. સબૉટેજ સંબંધોનું પણ થાય અને સિસ્ટમનું પણ.
મહાન સાહિત્યકારો ક્યારેક ભવિષ્ય-દર્શન પણ કરાવતા હોય છે. મૂળ બ્રિટિશ નહીં, પણ પૉલિશ એવા જોસેફ કોન્રાડ ઇંગ્લિશ ભાષાના વીસમી સદીના શ્રેષ્ઠ નવલકથાકારોમાં ગણના પામે છે. ૧૯૦૭માં પ્રકાશિત એમની ‘ધી સિક્રેટ એજન્ટ’ નવલકથાથી પ્રેરાઈને આલ્ફ્રેડ હિચકોકે ૧૯૩૬ની ‘સબૉટેજ’ ફિલ્મ બનાવેલી. કથાની પ્રેરણા હતી ૧૮૯૪ની એક ઘટના. લંડનના ગ્રીનિચમાં આવેલી રૉયલ ઑબ્ઝર્વેટરી પાસે એક ફ્રેન્ચ નાગરિક પોતાનો જ બૉમ્બ સમય પહેલાં ફાટવાથી ગંભીર રીતે ઘાયલ થઈ મૃત્યુ પામેલો. વાસ્તવિક ઘટનામાં એ શું ખરેખર રૉયલ ઑબ્ઝર્વેટરીમાં બ્લાસ્ટ કરવા આવેલો, એ અસ્પષ્ટ હતું. મકસદ જણાવ્યા વગર જ એ મૃત્યુ પામેલો, પરંતુ જોસેફ કોન્રાડે ‘ધી સિક્રેટ એજન્ટ’માં નીચે જણાવ્યા પ્રમાણેનો કાલ્પનિક મકસદ સ્પષ્ટ કરેલો.
‘ધી સિક્રેટ એજન્ટ’માં લોકોને આતંકિત કરવા શું કરવું એની ચર્ચા વખતે એમ્બેસી, ચર્ચ, રેસ્ટોરન્ટ પર હુમલા કે કોઈ સત્તાધીશની હત્યા જેવા વિકલ્પને નકારી દેવામાં આવે છે. કેમ? એક પાત્ર સમજાવે છે કે આ પ્રકારની ઘટનાઓથી લોકો ટેવાઈ ગયા છે, એ પદ્ધતિ ઘસાઈ ગઈ છે, અખબારો પાસે પણ એનું વર્ણન કરવાના રેડી-મૅઇડ વાક્યો પડ્યાં છે. તો શેના પર નિશાનો સાધવું? વિજ્ઞાન ૫૨. કેમ કે ત્યારનો બ્રિટિશ સમાજ ઘણે અંશે માનતો હતો કે વિજ્ઞાને એમને ભૌતિક સમૃદ્ધિ આપેલી. એટલે હુમલા માટે પ્રતીક તરીકે રૉયલ ઑબ્ઝર્વેટરી પસંદ કરાઈ.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 14/09/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 14/09/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર