
તુર્કી અને સિરિયામાં તાજેતરમાં મળસકે ૭.૮ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો અને એમાં હજારો લોકો ઊંઘમાં જ કાટમાળ હેઠળ ધરબાઈને મૃત્યુ પામ્યા. ધરતીકંપના આંચકા ઝીલી શકે એવો દાવો થતો હતો એવી અનેક નવી બહુમાળી મંજીલો પણ ગંજીફાનાં પાનાંના મકાનની જેમ કડડડભૂસ થઈ. મૃત્યાંક ૩૫ હજારને પાર થઈ ગયો છે અને એક અંદાજ મુજબ આ આંક બમણો કે ત્રણ ગણો પણ થઈ શકે. સિરિયામાં જ્યાં ભૂકંપ આવ્યો છે ત્યાં આંતરવિગ્રહ ચાલે છે એટલે ત્યાં કોઈ આંતરરાષ્ટ્રીય રાહત ખાસ પહોંચી નથી અને ત્યાં લોકો ભૂખમરાનો શિકાર પણ બની શકે છે. એ સિવાય બન્ને દેશમાં કાતિલ ઠંડી બેઘરો માટે મોતનું કારણ બની રહી છે.
આ આ ભયજનક પરિસ્થિતિ માંડવાનું કારણ એ કે જો ભારતના કોઈ મોટા શહેર કે નગરમાં આટલી જ કે એથી વધુની તીવ્રતાનો ભૂકંપ આવે તો શું થાય? શું ભારતમાં તુર્કી અને સિરિયા કરતાં પણ ભયજનક સ્થિતિ ઊભી થશે? વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ ભારતમાં હિમાલયની તળેટીમાં રિક્ટર સ્કેલ પર આઠથી વધુની તીવ્રતાનો ભૂકંપ ગમે ત્યારે આવવાની પૂરેપૂરી શક્યતા છે અને જો એ આગાહી સાચી પુરવાર થઈ તો તુર્કી-સિરિયા કરતાં પણ વધુ વિનાશ સર્જાશે-ખરેખર હાહાકાર મચી જશે.. હિમાલય પર્વતમાળામાં ભૂકંપની જ્યાં સૌથી વધુ શક્યતા છે એવા ગઢવાલ-ઉત્તરાખંડ વિસ્તારના જ ભૂસ્તરશાસ્ત્રી પ્રોફેસર ડૉ. એસ.પી. સતી ચિત્રલેખા સાથેની ટેલિફોનિક મુલાકાતમાં આ માહિતી આપે છે.
બાવીસ વર્ષ પહેલાં ૨૦૦૧માં કચ્છ અને શેષ ગુજરાતના ભૂકંપમાં થયેલી ખુવારી અને વિનાશનાં સ્મરણો હજી ગુજરાતીઓનાં મનમાં તાજાં જ છે. એ ધરતીકંપ ૭.૬ની તીવ્રતાનો હતો. એ ભૂકંપમાં તેર હજારથી વધુ લોકોના જીવ પણ ગયા હતા. ગઢવાલી ભૂસ્તરશાસ્ત્રી ડૉ. એસ.પી. સતી ઉમેરે છે કે અત્યાર સુધી જે કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ થયો છે એ મુજબ, ભારતમાં હિમાલયના તળેટી પ્રદેશોમાં આઠથી વધુની તીવ્રતાનો ભૂકંપ આવવાની પૂરેપૂરી શક્યતા છે. એ ક્યારે આવશે એની કોઈને ખબર નથી. હિમાલયની રેન્જ ૨૮૦૦ કિલોમીટર લાંબી છે અને આશરે ૩૦૦ કિલોમીટર પહોળી છે અને આટલી તીવ્રતાનો ભૂકંપ આવવાનું જોખમ સૌથી વધુ ઉત્તરાખંડના માથે છે. આટલો મોટો ભૂકંપ આવશે તો એની વિપરીત અસર દેશમાં દૂર દૂર સુધી પડી શકે છે.
Diese Geschichte stammt aus der February 27, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der February 27, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

આ... અબ તો લૌટ ચલેં!
ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

નો માર્કેટિંગ
… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

મજા હારમાં છે, ગજબ ગેમ છે...
જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

જસ્ટ, એક મિનિટ..
વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.