
કરચોરી સામે કડક સજાની જોવાઈ પણ ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોને હરાવી શકતી નથી.
જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ)ના કલેક્શનના આંકડા દર મહિને સરકાર જાહેર કરે છે અને એના ઊંચા કે વધતા કલેક્શનથી રાજી રાજી થઈને ઘણા એની નોંધ પણ લે છે. દર મહિને સરકાર સરેરાશ સવાથી દોઢ લાખ કરોડ રૂપિયાનું કલેક્શન આ ટૅક્સમાંથી કરે છે. હવે એક આશ્ચર્યજનક વાત કરીએ તો તમને આશ્ચર્ય થાય કે ન થાય, પણ આંચકો તો ચોક્કસ લાગશે.
વાત એમ છે કે સરકાર જેટલી રકમની દર મહિને વસૂલી કરે છે એની સામે જીએસટીની ચોરીની રકમ પણ સતત મોટી થતી હોવાના કિસ્સા બહાર આવતા જાય છે. અલબત્ત, આ તો પકડાતી કે જાહેર થતી ચોરીની વાત છે, બાકી ન પકડાતી ચોરીની રકમ શું હશે એ તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જાણે.
કમ્પ્લાયન્સની કરુણતા-કઠણાઈ
જીએસટી અમલમાં આવ્યાને સાત વરસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હજી આ કરવેરા માળખું સરળ યા સારું (ગુડ) બની શક્યું નથી એવો રંજ વ્યક્ત કરતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શાર્દુલ શાહ ચિત્રલેખાને કહે છે કે જીએસટી આટલાં વરસો બાદ પણ ગૂંચવણભર્યો જ રહ્યો છે. એમાં સતત સમયાંતરે-મહિને, ત્રણ મહિને કમ્પ્લાયન્સનાં ધોરણોના સુધારા-વધારા આવતા રહે છે, વેપારઉદ્યોગ એને પૂરા કરવામાં જ નિચોવાઈ જાય છે. ખાસ તો નાના-મધ્યમ કક્ષાના વેપાર-ઉદ્યોગની દશા બેસી જાય છે. દેશની જુદી જુદી અદાલતોમાં જીએસટી સંબંધી અનેક વિવાદ ચાલી રહ્યા છે, જેનાં જુદાં જુદાં આદેશ-રુલિંગ આવે છે. ઘણા કેસમાં આખરે એ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે. જીએસટી માટે હાલ એમ્નેસ્ટી સ્કીમ ચાલે છે, પણ લોકો બહુ આગળ આવતા નથી.
જીએસટીની એક કરુણતા કે કઠણાઈ એ પણ છે કે એનું નિલ (શૂન્ય) રિટર્ન પણ ફરજિયાત ફાઈલ કરવું પડે છે. જીએસટીના કેસોમાં કડક જોગવાઈઓને લીધે ઘણા લોકોને જેલ પણ થઈ છે. આ બાબત વેપારીવર્ગમાં ગભરાટ ઊભો કરે છે. વાસ્તવમાં જ્યાં સંભવ હોય ત્યાં સરકારે કેસો ઍટલ કરવા જોઈએ, કમ્પાઉન્ડિંગ જોગવાઈ હોવી જોઈએ. એમાં સરકારની આવક પણ વધી શકે, અન્યથા વેપાર-ઉદ્યોગવર્ગ સૌથી વધુ નિરાશા અને નિરુત્સાહ અનુભવે છે.
નાના-મધ્યમ વર્ગને અન્યાય
Diese Geschichte stammt aus der June 12, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 12, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

આ... અબ તો લૌટ ચલેં!
ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

નો માર્કેટિંગ
… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

મજા હારમાં છે, ગજબ ગેમ છે...
જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

જસ્ટ, એક મિનિટ..
વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.