દર વર્ષે ચોમાસું આવે, વરસાદનાં બે-ચાર ઝાપટાં પડે ને ઘેર ઘેર બાળકો માંદાં પડે. મોટે ભાગે શરદી-ઉધરસ હોય. આમ તો બે ઋતુના સંક્રમણ કાળમાં આવી બીમારી જોવા મળતી જ હોય. પુણેમાં બાળરોગ નિષ્ણાત (પીડિયાટ્રિશિયન) તરીકે કાર્યરત ડૉ. બેલા ગાંધી પાસે પણ આવા કેસ આવે. દવા લેવાથી પંદર દિવસ ઠીક રહે, પછી પાછાં માંદાં પડે. એવાં બાળકોને તપાસી બેલાબહેનને થતું કે આવી સમસ્યા પાછળ કદાચ એલર્જીનું કારણ પણ હોઈ શકે.
એમાંથી એમને સૂઝ્યું એલર્જી વિશે વધુ જાણકારી મેળવવાનું.
એલર્જી એટલે કોઈ પણ બાહ્ય તત્ત્વ કે ચીજ સામે આપણા શરીરની ઈમ્યુન સિસ્ટમ (રોગપ્રતિકારક યંત્રણા) જે પ્રતિક્રિયા (રિઍક્શન) આપે એ, જેમ કે ઘણા લોકોને પરાગરજની એલર્જી હોય. કોઈ ફલના પરાગરજ (પોલન) શ્વાસમાં જાય તો એ લોકોને નાક ગળે, છીંક આવ્યા કરે, આંખમાંથી પાણી પડે અને કાન તથા ગળામાં ખંજવાળ આવે. કોઈને વળી ઘઉંમાં કુદરતી રીતે મળતા ગ્લુટેન નામના પ્રોટીનની પણ એલર્જી હોય. આપણા વાતાવરણમાં એવાં ઘણાં તત્ત્વો છે જેનાથી કોઈ ને કોઈ વ્યક્તિને એલર્જી હોય અને એનું શરીર જુદી જુદી રીતે પ્રતિક્રિયા આપે.
એલર્જીને એક પ્રકારનો વિકાર પણ ગણી શકાય. શરીરની સુરક્ષાપ્રણાલી કોઈ ખાદ્ય પદાર્થ અથવા તો પાવડર, પરફ્યૂમ, ધૂળ, ધુમાડો, દવા, ક્રીમ, વગેરે સામે બળવો પોકારે છે. સમજો કે આ પદાર્થોને દુશ્મન સમજીને એવો રિસ્પોન્સ આપે છે, જેને કારણે ત્વચા પર ખંજવાળ સહિત અનેક લક્ષણ દેખાય.
ખોરાકની એલર્જીના મુખ્ય સ્રોત
> દુગ્ધ પદાર્થો
> ઈંડાં
> સોયાબીન
> ઘઉં
> મગફળી
> સૂકોમેવો
> માછલી
> શેલફિશ
> તલ
આમ તો એલર્જીની સારવાર એલોપથી, આયુર્વેદ અને હોમિયોપથીમાં પણ મળે છે, છતાં ચોક્કસ નિદાન ન થાય ત્યાં સુધી કોઈ સારવાર અકસીર નીવડતી નથી. એલર્જીનાં શોધ-સંશોધનમાં પશ્ચિમના દેશો ખૂબ આગળ છે એટલે ડૉ. બેલા ગાંધીએ પણ લંડન જઈને એલર્જી શાસ્ત્રમાં વધુ અભ્યાસ કરવાનો નિર્ણય લીધો.
Diese Geschichte stammt aus der July 03, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 03, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.