માત્ર ૨૮ વર્ષની વયે એમબીબીએસ, એમડી, ડીએમ (ડૉક્ટરેટ ઑફ મેડિસિન) ડિગ્રી મેળવનારા ડૉ. પાર્થ કરમટા કદાચ ગુજરાતના સૌથી યુવા ઑન્કોલૉજિસ્ટ હશે. મૂળ રાજકોટના, પણ મુંબઈમાં પ્રેક્ટિસ કરતા તથા ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) જેવી કેટલીક સુપરસ્પેશિયાલિટી હૉસ્પિટલ્સ સાથે સંકળાયેલા ડૉ. પાર્થ કરમટા ચિત્રલેખાને કહે છે: ‘મેડિકલ સાયન્સ આજે એ હદે આગળ વધી ગયું છે કે કૅન્સર એટલે (લાઈફ) કૅન્સલ એ વાક્ય હવે ભૂતકાળ બની જશે.’
થોડા જ સમય પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે જેમનું કૉન્વોકેશન થયું એ ડૉ. પાર્થ આમ તો બધા જ પ્રકારનાં જટિલ કૅન્સરના કેસ ટ્રીટ કરે છે, પણ એમની વિશેષતા છે લ્યુકેમિયા અને છેલ્લા તબક્કાની પડકારરૂપ સારવાર, જેમ કે થોડા સમય પહેલાં એમણે તાજા જન્મેલા શિશુના લ્યુકેમિયાની ટ્રીટમેન્ટ કરી. હાલ, એ સ્વસ્થ છે.
ડૉ. પાર્થ કરમટા: રેડિયેશન અને પેસ્ટિસાઈડથી લથબથ ખોરાક કૅન્સર થવાનાં મોટાં કારણ છે.
કૅન્સર સારવારની લેટેસ્ટ ટેક્નિક વિશે એ કહે છેઃ ‘છેલ્લા થોડા સમયથી ટાર્ગેટ સેલ થેરાપી અસરકારક નીવડી રહી છે. વાચકો માટે સાવ સરળ શબ્દોમાં કહીએ તો, ટાર્ગેટ સેલ થેરાપી એટલે કૅન્સરના કોષોને લક્ષ બનાવી એને નષ્ટ કરતી ટ્રીટમેન્ટ.'
એ કહે છેઃ ‘ધારો કે તમારા કમ્પ્યુટરમાં પરેશ નામથી ૧૪૦ વ્યક્તિની માહિતી છે, પણ તમે અત્યંત જરૂરી એવા ચાર-પાંચ પરેશને શોધી બાકીનાને બાજુએ મૂકી દો એમ ટાર્ગેટ સેલ થેરાપીમાં પણ જે શરીર માટે જીવલેણ છે એવા કૅન્સર સેલ્સને શોધીને નષ્ટ કરવામાં આવે છે. આ થેરાપીનો ફાયદો એ કે એ બીજા સારા કોષોને હાનિ પહોંચાડતી નથી તથા કોઈ આડઅસર નથી. કહી શકાય કે કેમોથેરાપી પછીની ૧૦મી જનરેશન છે ટાર્ગેટ સેલ થેરાપી. આ ઉપરાંત, કેટલાંક ઈન્જેક્શન્સ પણ ઉપલબ્ધ છે, જેનો સક્સેસ રેટ ૯૦-૯૫ ટકા છે.’
શું કૅન્સર એ વારસાગત બીમારી છે?
જવાબમાં ડૉ. પાર્થ કરમટા કહે છેઃ ‘ઘણી વાર પાનમસાલા-ધૂમ્રપાનથી આપણે જોઈએ છીએ કે સદા દૂર રહેનારી તંદુરસ્ત વ્યક્તિને પણ કૅન્સર થઈ જાય છે. બની શકે કે એના દાદા, પરદાદા હુક્કો-ચલમના બંધાણી હોય, પણ ડીએનએનું મ્યુટેશન થતાં એક-બે પેઢી પણ વીતી જાય.’
Diese Geschichte stammt aus der September 25, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 25, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.