
જીન્મ-મરણથી માંડી જીવનમાં બનતી મોટા ભાગની ઘટનાની જાણ બીજાને કરવા માટે આપણે ત્યાં વ્હૉટ્સઍપ મેસેજનું ચલણ બહુ જ વધી ગયું છે. એ વચ્ચે એવા લોકો પણ છે જે માને છે કે જે લગ્ન માટેની કંકોતરી યજમાન (ખાસ તો વર-કન્યાનાં માતા-પિતા) પોતે સગાંસંબંધી ને આપવા જાય એ લગ્નમાં મહેમાનો ઉમળકાભેર સામેલ થાય છે, પછી ભલે એ લગ્નપ્રસંગ કોઈ સામાન્ય માણસના ઘરે હોય.આમ જોવા જઈએ તો વાત સાવ સાચી છે, કારણ કે જે પ્રસંગમાં હૃદયથી આમંત્રણ મળ્યું હોય ત્યાં જવાનું સૌકોઈ પસંદ કરે જ. આખરે તો હાથોહાથ આપવામાં આવતી કંકોતરીમાં યજમાનનો ભાવ છલકતો હોય.
આજે લોકોમાં કંકોતરી આપવા જવાનો યુગ આથમતો જાય છે. એની જગ્યાએ મોટા ભાગના લોકો ડિજિટલ કંકોતરી તૈયાર કરી પીડીએફ્ના રૂપમાં આમંત્રણ મોકલી આપે છે અને પછી ફોન પર વાત કરી લે છે. જો કે શુકન ખાતર, ધર્મસ્થળમાં મૂકવા માટે તથા એકદમ નજીકનાં સગાંસંબંધીઓને આપવા માટે થોડી તો થોડી, કંકોતરી છપાવવાનું ચલણ છે ખરું. કંકોતરીમાં લગ્નપ્રસંગ વિશે માહિતી, સગાંસંબંધીઓનાં નામ અને શુભ સ્થળનું સરનામું, વગેરે તો હોય જ, પણ એથીય વિશેષ તો આમંત્રણ પાઠવનારી વ્યક્તિના હૃદયની ભાવના હોય અને આ જ કારણસર કંકોતરીની પરંપરા હજી જળવાઇ રહી છે.
બહુ મર્યાદિત સંખ્યામાં કંકોતરી છપાવવાની હોય એટલે કેટલાક પામતાં-પહોંચતાં લોકો એ કસ્ટમાઈઝ્ડ પણ કરાવે છે, જેમાં લાગણી નીતરતી વાત વણી શકાય. વડોદરાનાં ગૃહિણી આરતી મહેશ્વરી એમાં મહારત ધરાવે છે. આરતીબહેન યજમાનના હૃદયના ભાવ કંકોતરીમાં ઉતારી આપવાનું કામ કરે છે. ખાસ હાથે બનાવેલાં અને જાતે ગ્રાહકની જરૂરત મુજબ ડિઝાઈન કરી આપેલાં વેડિંગ કાર્ડ અને અન્ય આમંત્રણ પત્રિકા તૈયાર કરવાનું કામ આરતી મહેશ્વરી પાછલા અઢી દાયકાથી કરે છે.
Diese Geschichte stammt aus der February 19, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der February 19, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

આ... અબ તો લૌટ ચલેં!
ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

નો માર્કેટિંગ
… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

મજા હારમાં છે, ગજબ ગેમ છે...
જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

જસ્ટ, એક મિનિટ..
વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.