અહીં ઘણા મતદારો પોતાની જ્ઞાતિના ઉમેદવારને જ વોટ આપે છે, એમને મન પક્ષનું મહત્ત્વ નથી. કેટલાક મતદારો વળી સમાજવાદી પાર્ટી અથવા તો બહુજન સમાજ પાર્ટીને જ મત આપે છે. એમને મન ઉમેદવારનું મહત્ત્વ નથી. અમુક મતદારો એવા પણ છે, જે વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની પડખે રહે છે, પણ લોકસભામાં મોદી માટે જ વોટ આપે છે.
ટૂંકમાં, રાહુલ ગાંધી જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે એ ઉત્તર પ્રદેશના રાયબરેલી મતક્ષેત્રનું ચૂંટણીગણિત બહુ અટપટું છે અને અહીંનું રાજકારણ એકદમ વિલક્ષણ છે. ૧૯૫૨ અને ૧૯૫૭માં અહીંથી ફિરોઝ ગાંધી જીત્યા હતા. ત્યારથી ૨૦૨૪ સુધી બે અપવાદને બાદ કરતાં અહીં કોંગ્રેસે જ જીત મેળવી હતી. ઈન્દિરા ગાંધી બે વાર, સોનિયા ગાંધી ચાર વાર, આર.પી. સિંહ, બૈજનાથ કુરિલ, અરુણ નેહરુ, શીલા કૌલ અને કૅપ્ટન સતીશ શર્મા એક-એક વાર સાંસદ રહી ચૂક્યાં છે. ૧૯૭૭માં જનતા પાર્ટીના રાજ નારાયણે અહીં ઈન્દિરાને હરાવ્યાં હતાં. ૧૯૯૬માં પણ આ સીટ ભાજપના અશોકસિંહે જીતી હતી.
૨૦૨૪માં ભાજપે રાહુલ ગાંધી સામે દિનેશસિંહને મેદાનમાં ઉતાર્યા છે, જેમની કરિયરની શરૂઆત સમાજવાદી પાર્ટીથી થઈ હતી. ત્યાર બાદ એ બહુજન સમાજ પક્ષ અને કોંગ્રેસમાં પણ આંટો મારી આવ્યા હતા. ૨૦૧૮થી એ ભાજપમાં છે અને રાજ્ય વિધાન પરિષદના સભ્ય તથા યોગીજીના પ્રધાનમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી પણ છે.
રાયબરેલી સંસદીય ક્ષેત્રમાં રાજ્ય વિધાનસભાની પાંચ બેઠક આવે છે. એમાં અદિતિસિંહ (ભૂતપૂર્વ કોંગ્રેસી) તથા મનોજ પાંડે (ભૂતપૂર્વ સમાજવાદી) આ વખતે ભાજપ તરફથી બૅટિંગ કરી રહ્યા છે. અન્ય એક સમાજવાદી ધારાસભ્ય પણ ભાજપને મદદ કરવાના છે. તો બીજા બે ધારાસભ્યોથી કોંગ્રેસને બહુ લાભ નથી. ૨૦૧૯માં સોનિયા ગાંધીએ અહીં દિનેશસિંહને ૧.૬૭ લાખ મતથી હરાવ્યા હતા એટલે આ વખતે ભાજપ રાહુલ ગાંધીને પરાજય આપવા પૂરી તાકાત લગાવી રહ્યો છે.
રાયબરેલી વિશે ટીવી પરની ચૂંટણીચર્ચા જુઓ તો ફક્ત મતોના ગણિતની વાત થાય છે, પણ આ વીઆઈપી મતક્ષેત્રના ભાવિ વિકાસનો મુદ્દો કોઈ ઉપાડતું નથી. ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક વારસો સમૃદ્ધ હોવા છતાં વિકાસની દોડમાં રાયબરેલી દુર્ભાગ્યે પાછળ છે. તેમ છતાં મતદારો કોંગ્રેસને કેમ સમર્થન આપે છે એનું કારણ જણાવતાં સ્થાનિક આગેવાન સર્વેશ પ્રતાપસિંહ ચિત્રલેખાને કહે છેઃ
Diese Geschichte stammt aus der May 20, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 20, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.