રાજકોટવાસી પ્રદીપસિંહ ચૌહાણની આંખોમાંથી જાણે અગનજ્વાળા વરસી રહી છે. એ કહે છેઃ ‘મારા પરિવારના આઠ સભ્યો ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા. આગની ઘટના બાદ ત્રણની ભાળ મળી, પણ મારા દીકરા સહિત હજી પાંચ લાપતા છે. હવે હું એકલો જ રહ્યો છું. જો આ અગ્નિકાંડ માટેના જવાબદારોને આકરી સજા પહેલાં જામીન મળશે તો હું એમને છોડીશ નહીં. આને ધમકી સમજો કે પછી એક બાપની વેદના... મારે સરકારની કોઈ સહાય જોઈતી નથી.’
તો શહેરની એક ખાનગી હૉસ્પિટલના દરવાજે સ્વજનોની કોઈ ભાળ મળે એની રાહ જોઈ રહેલા ચંદ્રસિંહ જાડેજા ચિત્રલેખાને કહે છે: ‘કસૂરવારો સામે કોઈ આકરાં પગલાં લેવાશે એવી આશા તો નથી.’
આવી વેદના એકલ-દોકલની નથી, રાજકોટમાં અગ્નિકાંડની ભયાનક દુર્ઘટના બાદ આવો આક્રોશ ઠેર ઠેર સાંભળવા મળી રહ્યો છે. ૨૮ મે, મંગળવારની બપોરે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ડીએનએ ટેસ્ટના આધારે ફક્ત ૧૬ મૃતકોની ઓળખ થઈ શકી છે. સત્તાવાર મરણાંક ૨૮ ગણીએ તો પણ હજી વણઓળખાયેલા મૃતદેહો પડ્યા છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ત્રીસેક જણ તો હજી લાપતા હોવાનું બોલાઈ રહ્યું છે.
ચિત્રલેખાનો આ અંક તમારા હાથમાં હશે ત્યારે હૈયાં હચમચાવી દેતી ઘટનાને અઠવાડિયું વીતવામાં હશે. શું બન્યું હતું એ દિવસે?
પચ્ચીસ મેનો એ ગોઝારો દિવસ...
ગયા વીકએન્ડમાં એટલે કે ૨૫ મે, શનિવારે રાજકોટવાસીઓ ફરવા નીકળ્યા હતા. રાજકોટમાં મોટા ભાગે લોકો બપોર બાદ ફરવા નીકળે. સમર વેકેશનમાં બાળકો સાથે કેટલાક રાજકોટવાસીઓ શહેરના કાલાવડ રોડ, નાના મવા નજીક એક મોટી હોટેલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગયા. ૭૦-૮૦ જેટલાં કિશોર-કિશોરી-બાળકો વિવિધ ગેમ્સનો આનંદ માણી રહ્યાં હતાં. રાજકોટ ઉપરાંત ગોંડલ, ધ્રોલ અને આસપાસનાં ગામોમાંથી પણ ટીનએજર્સ આવ્યા હતા.
સાંજે પાંચેક વાગ્યે આકરા ઉનાળાની ગરમીને કારણે ગેમ ઝોનના પતરાનો શેડ તપતો હતો ત્યાં અચાનક ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી. ગણતરીની સેકન્ડોમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળનો આખો ગેમ ઝોન ભીષણ આગમાં લપેટાઈ ગયો અને ૨૮થી વધુ આગમાં ભડથું થઈ ગયા. ગેમ ઝોન જાણે લાક્ષાગૃહમાં ફેરવાઈ ગયો.
Diese Geschichte stammt aus der June 10, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 10, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
આપણે કોની પાછળ ભાગીએ છીએ?
આંબી શકતા નથી ચરણ એને એટલી ઝડપે પ્યાસ ચાલે છે એમ ચાલે છે જિંદગી જાણે જિંદગીનો રકાસ ચાલે છે.
પ્રકાશનું પ્રદૂષણઃ આ વળી કઈ બલા છે?
હજી થોડાં વર્ષ અગાઉ ચોખ્ખું આકાશ આપણાં નસીબમાં હતું. લોકો તારલા જોવાની પ્રવૃત્તિ કરતા. હવે ઊંચી ઊંચી ઈમારતો વચ્ચે બારીમાંથી ક્યાંક ડોકાઈ જતો આકાશનો ટુકડો આપણા ભાગે આવે છે અને એમાંય તારા દેખાતા નથી. પૃથ્વીના ગોળા પરની રોશનીએ પોલ્યુશનનું એવું તો પડળ આપણી ફરતે ફેલાવી દીધું છે કે...
સ્વાસ્થ્ય, સ્વતંત્રતા, સંબંધ અને સંપત્તિ
સમૃદ્ધિની છત-અછત પૈસાદાર હોવું અને સમૃદ્ધ હોવું એમાં ફરક છે. પૈસા ન હોય છતાં આપણે સુખી હોઈએ એ સમૃદ્ધિ. તમારી પાસે અઢળક પૈસા હોય, પણ જો તમે માનસિક અને શારીરિક રીતે સંતાપમાં હો, સંબંધો બગડેલા હોય, પોતાના કે બીજાના માટે સમયનો અભાવ હોય તો સુખની અનુભૂતિ તો દૂરની વાત છે, એની કલ્પના પણ કરવી અર્થહીન છે.
અમેરિકા કેમ આપે છે ભારતવિરોધી માહોલને હવા?
મોદી-બાઈડનની મુલાકાતના કલાકો પહેલાં અમેરિકી પ્રશાસને ખાલિસ્તાની વિભાજનવાદીઓ સાથે મસલત કરી, જેને કારણે થોડા દિવસ અગાઉ રાહુલ ગાંધીએ અમેરિકામાં જ શીખ સમાજની કથિત અવદશા વિશે કરેલાં બેફામ વિધાનોને જાણે સમર્થન મળી ગયું!
જસ્ટ, એક મિનિટ...
પોતાની પાસે જે હોય એની કદર ન હોય અને એની સંભાળ લેવાની બેદરકારી દાખવીને કોઈ નવી વસ્તુ તરફ લલચાઈ એની પાછળ આંધળી દોટ લગાવવાથી તો બન્ને વસ્તુ ગુમાવવાનો વારો આવી શકે છે. નવાની લાયમાં જૂનાની અવગણના કરવી જોઈએ નહીં.
હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પર જીએસટીઃ આ ‘વ્યાધિ’ દૂર કરો!
લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમ પરનો ઊંચો જીએસટી નાબૂદ કરવાની અથવા એમાં નોંધપાત્ર ઘટાડો કરવાની માગણી થઈ રહી છે. અત્યારે તો આ મામલો નવેમ્બર સુધી લંબાવી દેવાયો છે, પણ મધ્યમ વર્ગ અને ખાસ તો વરિષ્ઠ નાગરિકોને રાહત આપવા આ પગલું ભરવામાં વિલંબ થવો જોઈએ નહીં.
પુરાની ફિલ્મો લાવી નવી બસંત!
પુરાણી ફિલ્મોને ફરી રિલીઝ કરવા પાછળનું ગણિત શું છે?
બાળકને બાળકની જેમ મોટાં થવા દો...
સોશિયલ મિડિયાએ આપણાં બચ્ચાંઓનું બાળપણ છીનવી લીધું છે અને એમના માટે અપાર સમસ્યા ઊભી કરી છે.
પ્રેગ્નન્સીમાં ક્યારે-કેવા ડેવા આવી શકે પ્રોબ્લેમ્સ?
ગર્ભાશયમાં ‘ફાઈબ્રોઈડ’ની બહુ ગાંઠ હોય તો એનો ઈલાજ હવે સરળ છે.
પિતૃતર્પણ રૂપે પીરસો આ વ્યંજન.
સોળ દિવસના શ્રાદ્ધપક્ષ દરમિયાન પૂર્વજોની તૃપ્તિ માટે શું શું બનાવી શકાય?