કોઈ પણ પુષ્ટિમાર્ગી હવેલી અર્થાત્ મંદિરમાં પ્રવેશ કરો એટલે ઝાંઝ-પખવાજની સંગત સાથે સંગીતની મધુર સુરાવલી તમારા કર્ણપ્રદેશમાં મિસરી ઘોળવા લાગે. મંગલા, શૃંગાર, પલના, રાજભોગ, ઉત્થાપન, ભોગ, આરતી અને શયન એમ આઠ સેવા દરમિયાન કીર્તન થાય છે. અન્ય પ્રકારનાં સંગીતમાં બધા રસ અનુભવવા મળે, પણ હવેલીમાં ગવાતાં કીર્તનમાં માત્ર ભક્તિરસ છે. એ મનોરંજનનું સાધન નથી.
ઈતિહાસ જુઓ તો સોળમી સદીમાં ભારતમાં સંગીતની એક નવી ધારા વહી હતી, જેણે પુષ્ટિમાર્ગને ભક્તિથી તરબતર કર્યો. અષ્ટસખા દ્વારા રચાયેલાં અને ગવાયેલાં સંગીતમય પદોની સરવાણી વખત જતાં આકાશવાણીના કાર્યક્રમોમાં પ્રસ્તુત થવા માંડી ત્યારથી એને હવેલી સંગીત એવી ઓળખ મળી.
મોટા ભાગે પ્રાચીન વારસો અસ્તિત્વ સામે ઝઝૂમતો જોવા મળે. હવેલી સંગીત પણ એ જ શ્રેણીમાં હતું. જો કે અત્યારે એવા કેટલાક કીર્તનકારો છે, જે હવેલી સંગીતની હવેલીને નામશેષ થવા દેવાના નથી, ઊલટું એમના પ્રયાસોથી આ ઉજ્જ્વળ પરંપરા નવી પેઢીમાં ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. સુરતના કીર્તનકાર મોહનભાઈ જમરિયાનું આ પ્રયાસમાં ઉલ્લેખનીય યોગદાન છે.
બધી માથ મોહનભાઈ હોળી અને જન્માષ્ટમી સમયે બે જાહેર કાર્યક્રમ કરે છે, જેમાં શ્રોતાઓ વિનામૂલ્યે કીર્તનશ્રવણ કરે છે. આ રીતે એ ૪૮ કાર્યક્રમો કરી ચૂક્યા છે. એમનાં પત્ની હેમલતાબહેન સહિત અનેક ગાયકો કોરસમાં એમનો સાથ આપે છે.
Diese Geschichte stammt aus der July 01, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 01, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ઋતુ સંક્રમણ સમયે કેવો આહાર લેશો?
પાચનશક્તિ મંદ બનાવતી આ સીઝનમાં શું ખાવું-પીવું અને શું ન ખાવું-પીવું એ જાણી લો...
દો કદમ તુમ ભી ચલો... દો ક્દમ હમ ભી ચલે...
પૈડાં બરાબર દોડતાં રાખવાં હોય તો સ્ત્રી-પુરુષે સ્વસ્થ સંબંધ રાખતાં શીખવું જોઈએ.
જીવનની સમી સાંજે મેળવી સ્વાદિષ્ટ સફળતા...
વારાણસીમાં વસતી વડનગરા વિશા નાગર વણિકપરિવારની સુપર ટેલેન્ટેડ મા-દીકરીની આ જોડી અનુકરણીય છે. માતાએ કપરા સમયમાં હિંમત હાર્યા વિના આંગળાં ચટાડતી વાનગીઓ બનાવી, જ્યારે પુત્રીએ જન્મદાત્રીની પાકકળાને વ્યાવસાયિક સ્વરૂપ આપ્યું.
જૂનાગઢમાં ચાલી રહી છે અનોખી પુસ્તકક્રાંતિ...
સંગીત હોય કે નૃત્ય કે ચિત્રકળા, શરીર પર એની યોગ્ય જેવી જ સકારાત્મક અસર થાય છે.
અંગવિચ્છેદની પીડા કચ્છ આજેય ભૂલ્યું નથી...
પાકિસ્તાન સાથેનાં દરેક યુદ્ધે ભારતની પ્રજાને કડવી યાદ આપી છે, પરંતુ ૧૯૬૫ના યુદ્ધમાં કચ્છનો ભૂ-ભાગ ગયો એ વેદનાનો જખમ ક્યારે રૂઝાશે?
વડોદરામાં બની રહ્યું છે સંગીતવાદ્યોનું સંગ્રહાલય
યુનિવર્સિટીની ઐતિહાસિક ઈમારતમાં જોવા મળશે ૬૦ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ.
મંગલ ગાઓ. ભાઈ..
સમયના વહેણમાં ઘણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા લુપ્ત થતી હોય છે, પણ પુષ્ટિમાર્ગમાં જેને પાંચમો વેદ કહે છે એ હવેલી સંગીતની પ્રાચીન પરંપરા નામશેષ થવાના મૂડમાં નથી. આ પરંપરામાં તાલીમ લેવા માટે યુવાપેઢી ખૂબ ઉત્સાહી છે. ૨૧ જૂને વિશ્વ સંગીત દિન ઊજવાઈ રહ્યો છે ત્યારે શ્રીપ્રભુની મંગળાથી શયન પર્યંતની સેવા સાથે સંલગ્ન કીર્તનપ્રથા સુરતના અગ્રણી કીર્તનિયા પાસેથી સમજવા જેવી છે.
સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...
જામનગર શહેરની મધ્યમાં આશરે પોણા બસ્સો વર્ષ પહેલાં બંધાયેલા ઐતિહાસિક ભૂજિયા કોઠાનું નવીનીકરણ પૂર્ણતાના આરે પહોંચતાં ટૂંક સમયમાં જ એ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે.
માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...
પર્યાવરણ માટે સૈનિક તરીકે કામ કરતાં ચેરિયાનાં વૃક્ષો અનેક સમુદ્રી જીવોનું આશ્રયસ્થાન છે.એ ઉપરાંત, એ સુનામીથી લઈને અનેક દરિયાઈ આફત સામે રક્ષણ આપે છે, પરંતુ વિવિધ કારણસર આપણે જ એને ખતમ કરી રહ્યા છીએ.
નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!
જીવનમાં જ્યારે આપણી આશાનો ભંગ થયો હોય ત્યારે એક નિરાશા અને નિરર્થકતા આપણને લપેટાઈ જાય છે. ધર્મ ત્યારે આપણને એક જમીન પૂરી પાડે છે અને એના પર આપણે લડખડાતી જિંદગીને સ્થિરતા બક્ષવા માટે પ્રયાસ કરીએ છીએ.