ગુસ્સાની ખીલીઓ...
એક બાળકને ગુસ્સો બહુ આવતો હતો. એના પિતા આવા વર્તનથી પરેશાન થઈ ગયા હતા અને બાળકને પણ કોઈ ગુસ્સો રોકતાં આવડતું નહોતું. એક દિવસ પિતાએ એને એક હથોડી અને ખીલીઓ ભરેલી થેલી આપી અને કહ્યું કે તને ગુસ્સો આવે ત્યારે તારે ઘર ફરતે લાંકડાની વાડ છે એમાં એક ખીલી મારી આવવાની. બાળકે સૂચનાનું પાલન શરૂ કર્યું અને પહેલા જ દિવસે એણે દસ ખીલી લગાવી, કારણ કે એને દસ વખત ગુસ્સો આવ્યો હતો. દિવસો વીતવા લાગ્યા તેમ એ થાકવા લાગ્યો, કારણ કે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે એણે દોડીને બહાર જવું પડે અને લાકડામાં ખીલી ઠોકવી પડે.
મહિનો પૂરો થતાં સુધીમાં તો એને એવું લાગવા માંડ્યું કે આવી કવાયત કરવા કરતાં ગુસ્સો ન કરવો એ જ બહેતર છે. એમ કરતાં કરતાં એનો ગુસ્સો સંપૂર્ણ શાંત થઈ ગયો અને ખીલી ઠોકવાની માથાકૂટ બંધ થઈ ગઈ. એણે ઉત્સાહમાં આવીને પિતાને સમાચાર આપ્યા કે એને હવે ગુસ્સો નથી આવતો. પિતાએ એને શાબાશી આપી અને કહ્યું કે હવે તું એક કામ કર, જે દિવસે તું ગુસ્સો રોકે તે દિવસે લાકડામાંથી એક ખીલી પાછી કાઢ. બીજો એકાદ મહિનો ગયો અને બાળકે સફળતાપૂર્વક બધી ખીલી પાછી ખેંચીને થેલીમાં ભરી લીધી. ફરી એણે પિતાને શુભ સમાચાર આપ્યા.
પિતા એને લઈને વાડ જોવા ગયા અને કહ્યું: ‘બહુ સરસ કામ કર્યું બેટા, પણ તું આ લાકડામાં પડેલાં કાણાં જો, હવે આ લાકડું પહેલાં જેવું નહીં રહે, એ નબળું પડી ગયું છે. આપણા મનનું પણ એવું જ છે. જ્યારે પણ આપણે ગુસ્સો કરીએ, અપશબ્દ બોલીએ, આક્રમક વર્તન કરીએ ત્યારે એમાં એક કાણું પડે છે. આપણે ભલે પસ્તાવો કરીએ કે માફી માગીએ, પણ એ ઘા જતો નથી.’
બાળક સમજી ગયો અને પિતાને ખાતરી આપી કે એ હવે ગુસ્સાને કાયમ કાબૂમાં રાખશે.
***
મશહૂર અભિનેતા નાના પાટેકરે એકરાર કર્યો છે કે એ અત્યંત ગુસ્સાવાળા છે અને એને કારણે એમને અંગત અને વ્યાવસાયિક રીતે નુકસાન પણ થયું છે. એમણે એમ કહ્યું છે કે એમણે હવે આવેશપૂર્ણ પ્રતિક્રિયા ટાળવાનું શીખી લીધું છે. હમણાં એક હિંદી ચૅનલ સાથે એક લાંબા ઈન્ટરવ્યૂમાં નાનાએ એમના સહકલાકારો-કસબીઓ સાથે થયેલા ઝઘડા યાદ કરીને કહ્યું હતું કે હું મારા ગુસ્સાને કાબૂમાં નથી રાખી શકતો. એમણે સ્વીકાર્યું કે એમણે નાની નાની વાતમાં ઉગ્ર પ્રતિક્રિયા આપવાની જરૂર નહોતી.
Diese Geschichte stammt aus der July 22, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 22, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.