૨૬૪ વર્ષ પૂર્વેની આ વાત છે. રાજસ્થાનના જોધપુરમાં એ સમયે ૧૩ જૈન સાધુ અને ૧૩ શ્રાવકો પ્રભુભક્તિમાં ડૂબેલા રહેતા. ભગવાન મહાવીરની વાણીનો મૃદુ પ્રચાર કરતા આ સાધુ-શ્રાવકોના ૧૩-૧૩ના સમૂહને જોઈને સેવક જાતિના એક કવિએ એને નામ આપી દીધું: તેરાપંથ પછી તો બધા એને તેરાપંથી તરીકે જ ઓળખવા લાગ્યા. વાત ભિક્ષુ સ્વામી સુધી પહોંચી. તો એમણે ઈશ્વરને ધ્યાનમાં રાખીને કહ્યુંઃ હે પ્રભો, યે તેરા પંથ હૈ... બસ, એ રીતે તેરાપંથનો જન્મ થયો. એના આદ્ય સ્થાપક ભિક્ષુ સ્વામી. તેરાપંથ જૈન ધર્મની એક વિશિષ્ટ શાખા છે, જેના વર્તમાન સુકાની છે, આચાર્યશ્રી મહાશ્રમણ.
હાલ જૈન સમુદાયમાં ચાતુર્માસ ચાલી રહ્યા છે. આરાધનાના આ દિવસોમાં સાધુ-સાધ્વીજી એક જગ્યાએ સ્થિરતા ધારણ કરીને લોકોને જિનવાણી સંભળાવે છે. સુરતમાં શ્વેતાંબર તેરાપંથ ધર્મ સંઘના ૧૧મા આચાર્ય શ્રી મહાશ્રમણજીના ચાતુર્માસ ચાલી રહ્યા છે. આખા સુરતમાં આ ભવ્ય ચાતુર્માસની ચર્ચા છે અને હજારો ધર્મપ્રેમીઓ દરરોજ પ્રવચનગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે.
‘સંયમ વિહાર’માં જિનવાણીના શ્રવણ માટે વિશાળ મંડપ છે, તો બુદ્ધિ કૌશલ્ય અને સંસ્કાર વિકાસ માટે ગેમ ઝોન અને મ્યુઝિયમ પણ છે.
સુરતના વીઆઈપી રોડ પર ભગવાન મહાવીર યુનિવર્સિટી સમીપ સંયમ વિહાર નામે વિશાળ નગરીનું નિર્માણ થયું છે. રાજમહેલ જેવો આકર્ષક પ્રવેશદ્વાર અને ઉપર લહેરાતી ધર્મની ધજા, મહાશ્રમણના શાંતિ અને અહિંસાના સંદેશને આખા સુરતમાં લહેરાવી રહી છે. ચાતુર્માસના પ્રારંભે સુરતમાં ભારે વરસાદ પડ્યો. આ વિસ્તારમાં ખૂબ પાણી ભરાયાં હતાં તેમ છતાં પ્રવચનનો નિત્યક્રમ અખંડ રહ્યો અને લોકોની હાજરીમાં પણ ખાસ ફરક પડ્યો નહોતો.
Diese Geschichte stammt aus der August 12, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 12, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.