આસામના આ પિરામિડ વિશે ક્યારેય સાંભળ્યું છે?
Chitralekha Gujarati|August 12, 2024
૧૩થી ૧૯મી સદીની શરૂઆત સુધી બ્રહ્મપુત્રા નદીની આસપાસ વિસ્તરેલા અહોમવંશના રાજવીઓના મૃતદેહનાં ‘માનપાન’ સાચવવા એમની માટે જમીન નીચે મોટા મકબરા બાંધી એના ઉપર ડુંગરી જેવું બનાવવામાં આવતું. ‘મૌઈદમ’ તરીકે ઓળખાતા આ સ્થાપત્યને હમણાં ‘યુનેસ્કો’એ વૈશ્વિક વિરાસત તરીકે દરજ્જો આપ્યો છે.
નિતુલ ગજ્જર
આસામના આ પિરામિડ વિશે ક્યારેય સાંભળ્યું છે?

સામના ચરાઈદેવ જિલ્લામાં પટકાઈ પર્વતશૃંખલા આવેલી છે. આ પહાડીની તળેટીમાં સેંકડો નાની નાની ટેકરી જેવાં ઐતિહાસિક બાંધકામ નજરે પડે. પહેલી નજરે જોતાં ઈજિપ્તના પિરામિડ લાગે એવાં આ બાંધકામ અસલમાં આસામ પર આશરે ૬૦૦ વર્ષ જેમણે રાજ કર્યું એ અહોમવંશના રાજવીઓના મોઈદમ છે. મૌઈદ એ મૂળ અહોમ એટલે કે આસામી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાયઃ વિશાળ મકબરો.

હમણાં માત્ર આસામ નહીં, સમગ્ર ઈશાન ભારતની આ ઐતિહાસિક વિરાસતને સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા યુનેસ્કો દ્વારા કલ્ચરલ પ્રૉપર્ટી શ્રેણીમાં વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો. અદ્વિતીય કહી શકાય એવા કોઈ પણ માનવસર્જિત સ્થાપત્યને યુનેસ્કો દ્વારા આ સૂચિમાં સામેલ કરવામાં આવે છે. તાજમહાલ, ચાંપાનેર, ઈલોરાની . ગુફા જેવાં ભારતનાં કુલ ૪૨ ઐતિહાસિક બાંધકામ આ સૂચિમાં સામેલ છે. એમાં હવે અહોમ મોઈદમનું નામ પણ ઉમેરાયું છે.

યુનેસ્કો દ્વારા પાછલા એક દાયકામાં ભારતનાં ૧૩ સ્થાનોને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેના પરિણામે ભારત અત્યારે દુનિયામાં સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઈટ ધરાવતો છઠ્ઠો દેશ બન્યો છે. આસામમાં આવેલા માનસ અને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનને અગાઉ કુદરતી વૈશ્વિક ધરોહર તરીકે માન્યતા મળી છે. જો કે અત્યાર સુધી ભારતનાં ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં કોઈ પણ ઐતિહાસિક બાંધકામને આ ખાસ દરજ્જો મળ્યો હોય એવો આ પ્રથમ દાખલો છે.

નવી દિલ્હી ખાતે હમણાં યોજાયેલી ૪૬મી વર્લ્ડ હેરિટેજ કમિટીમાં આ ૭૦૦ વર્ષ કરતાં પણ જૂનાં, ઐતિહાસિક અને અજોડ બાંધકામને વર્લ્ડ હેરિટેજ તરીકે માન્યતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ વિસ્તારમાં આમ તો કુલ ૩૮૬ જેટલા મોઈદમ મળી આવ્યા છે, પણ એમાંથી માત્ર ૯૦નું જ સારી રીતે જતન કરવામાં આવ્યું છે.

અત્યારના નાગાલૅન્ડ અને અરુણાચલ પ્રદેશના સીમાડાને અડીને આવેલા આસામના આ વિસ્તારમાં તાઈ-અહોમ પ્રજાતિના ચરાઈદેવ રાજવીઓનો સૂર્ય ૬૦૦ વર્ષ સુધી ઝળહળતો રહ્યો હતો. ૧૬૭૧માં પોતાના પરાક્રમથી મુગલોને હરાવનાર સેનાપતિ ચિત બોરફુકન પણ અહોમવંશનો જ હતો. ૧૯મી સદીમાં અંગ્રેજોના આક્રમણથી અહોમ સામ્રાજ્યનો અંત આવ્યો અને એમની પ્રજાને આ વિસ્તાર જતો કરવો પડ્યો હતો. એ વખતથી રેઢી પડેલી આ વિરાસતની છેક હવે યોગ્ય નોંધ લેવામાં આવી છે.

Diese Geschichte stammt aus der August 12, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der August 12, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
નવ વર્ષ મેં કંઈ દીકરીનાં લગ્નની ઉંમર છે?
Chitralekha Gujarati

નવ વર્ષ મેં કંઈ દીકરીનાં લગ્નની ઉંમર છે?

છોકરી શારીરિક અને માનસિક રીતે પરિપક્વ ન થાય ત્યાં સુધી કોઈ પણ સંબંધમાં ‘સલામત અંતર’ રાખવું હિતાવહ છે.

time-read
3 Minuten  |
September 09, 2024
સામતા પર કેમ મેળવશો અંકુશ
Chitralekha Gujarati

સામતા પર કેમ મેળવશો અંકુશ

તમને કે બીજાને નુકસાન પહોંચાડી શકે એવું વર્તન બદલવા આટલું કરો.

time-read
3 Minuten  |
September 09, 2024
ચોમાસું છે ત્યાં સુધી મકાઈ ખાઈ લો..
Chitralekha Gujarati

ચોમાસું છે ત્યાં સુધી મકાઈ ખાઈ લો..

આમ તો હવે લગભગ બારે મહિના કૉર્ન મળે છે, પરંતુ વરસાદમાં મસાલેદાર ડૂંડાંની મજા કંઈક વિશેષ છે.

time-read
2 Minuten  |
September 09, 2024
પ્રકૃતિ વચાળે તાજગીનો શ્વાસ લેવા નીકળો છો ને?
Chitralekha Gujarati

પ્રકૃતિ વચાળે તાજગીનો શ્વાસ લેવા નીકળો છો ને?

મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતના ગ્રામ્યવિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ધરતીએ લીલીછમ ચાદર ઓઢી હોય એવું દૃશ્ય હરકોઈનું મન મોહી લે છે ત્યારે કૉન્ક્રીટનાં જંગલોથી દૂર જઈને પ્રકૃતિના ખોળે રમવા વધુ ને વધુ લોકો બહાર નીકળી રહ્યા છે.

time-read
4 Minuten  |
September 09, 2024
જુવાન દીકરીને જોખમ સમયે મદદ કરે એવી કોઈ ઍપ ખરી?
Chitralekha Gujarati

જુવાન દીકરીને જોખમ સમયે મદદ કરે એવી કોઈ ઍપ ખરી?

ઘરનાં મહિલા સદસ્યોના ફોનમાં આમાંથી કોઈ એક ઍપ અને આ બન્ને હેલ્પલાઈન નંબર છે કે નહીં એ આજે જ ચેક કરજો...

time-read
3 Minuten  |
September 09, 2024
હવે પડશે દ્વારકાનો વટ...
Chitralekha Gujarati

હવે પડશે દ્વારકાનો વટ...

પ્રાચીન મંદિરોમાં યાત્રાળુઓને વધુ મોકળાશ, વધુ સુવિધા, વધુ આરામ મળી રહે એ હેતુથી કાશી, મહાકાલ અને અયોધ્યાના કોરિડોર બન્યા છે. એ જ ધોરણે ગુજરાત સરકારે દ્વારકા અને બેટ દ્વારકાની કાયાપલટ કરવાનું આયોજન કર્યું છે. આગામી સમયમાં દ્વારકાધીશની નગરી કદાચ આપણે ઓળખી ન શકીએ એવી બની જાય.

time-read
3 Minuten  |
September 09, 2024
તીર્થરક્ષા માટે જંગ છેડ્યો એક સાધુ... અને એક સંસારી સ્ત્રીએ
Chitralekha Gujarati

તીર્થરક્ષા માટે જંગ છેડ્યો એક સાધુ... અને એક સંસારી સ્ત્રીએ

પર્યટનસ્થળ તરીકે વિકસાવવાની સાથે આવતી કેટલીક અનીતિથી જૈનોના યાત્રાધામ સમ્મેત શિખરજીને બચાવવાને લગતો કેસ આખરે વીસ વર્ષે સુપ્રીમ કોર્ટમાં ખૂલ્યો છે ત્યારે જોઈએ, આ સંકટ નિવારવા અદાલતની બહાર શું ચાલી રહ્યું છે.

time-read
4 Minuten  |
September 09, 2024
ભોજનનો બગાડ અટકાવી ભૂખ્યાને ભોજન આપીએ...
Chitralekha Gujarati

ભોજનનો બગાડ અટકાવી ભૂખ્યાને ભોજન આપીએ...

ઘરે કે હોટેલમાં, કોઈ પાર્ટીમાં કે લગ્નસમારંભમાં આપણે કેટલું અન્ન વેડફીએ છીએ એનો કોઈ અંદાજ જ આપણને નથી. કમોસમી વરસાદને કારણે ખેતરમાં પલળીને બગડી જતાં કે ગોદામોમાં સરખી સાચવણને અભાવે સડી જતાં અનાજના જથ્થાના પ્રમાણ વિશે પણ આપણે અજાણ છીએ. આપણે સુધરવાનું નામ ક્યારે લેશું?

time-read
4 Minuten  |
September 09, 2024
હરિશંકર પરસાઈની વ્યંગની વાંસળી
Chitralekha Gujarati

હરિશંકર પરસાઈની વ્યંગની વાંસળી

ગુજરાતી વાચકોએ હિંદી ભાષાના આ અનન્ય સર્જકનો પરિચય કેળવવા જેવો છે. એમણે ભારતીય સમાજની અને રાજનીતિની એવી સૂક્ષ્મતાઓને ઉજાગર કરી હતી, જે ભાષાની સીમા તોડીને હરેક ભારતીયનાં દિલને સ્પર્શતી હતી. આઝાદી પહેલાંના ભારતને સમજવા માટે પ્રેમચંદને અને આઝાદી પછીની પરિસ્થિતિને સમજવા માટે હરિશંકર પરસાઈને વાંચવા જરૂરી છે.

time-read
5 Minuten  |
September 09, 2024
સ્ટેજ નું કૅન્સર? ડરવાની નહીં, યોગ્ય સમયે નિષ્ણાત ડોક્ટરો પાસે સારવારની જરૂર છે...
Chitralekha Gujarati

સ્ટેજ નું કૅન્સર? ડરવાની નહીં, યોગ્ય સમયે નિષ્ણાત ડોક્ટરો પાસે સારવારની જરૂર છે...

HIPEC મશીન દ્વારા કીમોથેરેપી સોલ્યુસનથી સારવાર

time-read
3 Minuten  |
September 09, 2024