૫૯ વર્ષનાં રાધિકાબહેન અત્યંત સક્રિય ગૃહિણી. જો કે છેલ્લા કેટલાક સમયથી એમના જીવનમાં ચિંતાજનક ફેરફાર આવ્યો હતો. એ લાંબો સમય ઘરથી બહાર રહેવાનું પણ ટાળતાં હતાં. એમને ડર હતો કે જો હું બહાર જઈશ તો મારે પેશાબ જવા માટે દોડવું પડશે એટલે જ્યાં જાય ત્યાં બાથરૂમ છે કે નહીં એની પહેલાં પૂછતાછ કરી લેતાં. પોતાની આ સ્થિતિથી એ બહુ શરમ અનુભવતાં હતાં. આ સમસ્યાથી કંટાળીને એમણે એક ગાયનેકોલૉજિસ્ટની સલાહ લીધી. ગાયનેકોલૉજિસ્ટે આ સમસ્યાનું નિદાન યુરિનરી ઈનકન્ટિનન્સ તરીકે કર્યું અને કહ્યું કે ઘણી સ્ત્રીને આ ઉંમરે આવી તકલીફ થતી હોય છે.
ગાયનેકોલૉજિસ્ટે એમને સર્જિકલ અને નૉન-સર્જિકલ એમ બન્ને વિકલ્પ દ્વારા સારવારના ઉપાય વિશે સમજાવ્યું. વિગતવાર સમજ્યા પછી રાધિકાબહેને સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો. જો કે એમને ડર હતો કે સર્જરીને પગલે એમણે થોડા દિવસ સુધી પથારીમાં પડ્યા રહેવું પડશે, પણ એમની ધારણાથી વિપરીત ગણતરીના દિવસોમાં એમની સમસ્યામાં નોંધપાત્ર સુધારો થયો.
રાધિકાબહેન જે સમસ્યાથી પીડાતાં હતાં એ યુરિનરી ઈનકન્ટિનન્સ એટલે કે અનિયંત્રિત પેશાબની સમસ્યા. અનેક પુરુષો અને મહિલાઓ યુરિનરી ઈનકન્ટિનન્સથી પીડાતાં હોય છે. આ લોકો પેશાબ પર નિયંત્રણ રાખી શકતાં નથી. જો કે ઘણા લોકો શરમને કારણે કોઈને પણ એમનાં લક્ષણ વિશે જણાવતા નથી અથવા તો આનો કોઈ ઈલાજ નથી એમ વિચારી ચુપચાપ સહન કર્યા કરે છે.
Diese Geschichte stammt aus der September 16, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 16, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.