આપણા હિન્દુસ્તાનના શૌર્યથી ભરપૂર ઇતિહાસમાં મજબૂત કિલ્લાઓનું મહત્ત્વ ભારતની સ્વતંત્રતાની લડત જેટલું જ મૂલ્યવાન છે. દિલ્હીનો લાલ કિલ્લો હોય કે ગ્વાલિયરમાં સ્થિત ગ્વાલિયરનો કિલ્લો હોય, આપણા હિન્દુસ્તાનના કિલ્લાઓ અનેક યુદ્ધો, આક્રમણો અને ભારતની બ્રિટિશરો સામેની લડતના બળવાન સૈનિકો છે.
બળવાન સૈનિકો જેવા શક્તિશાળી અને અભેદ્ય કિલ્લાઓની યાદીમાં ઉત્તર પ્રદેશના ઝાંસીમાં સ્થિત ઝાંસીનો કિલ્લો આજની તારીખે મણિકર્ણિકા તાંબે એટલે કે ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈ, ઝાંસીની રિયાસત, ૧૮૫૭નો ભારતીય વિદ્રોહ, બ્રિટિશ શાસનનો પ્રતિરોધ અને ભારતની સ્વતંત્રતાની લડતના શૂરવીર ઇતિહાસનું સ્મરણ કરાવે છે.
પશ્ચિમે મધ્યપ્રદેશનું શિવપુરી, ઉત્તરે દતિયા અને ગ્વાલિયર, પૂર્વે બેતવા નદીના કિનારે રહેલું પરીછા અને દક્ષિણે ફરી બેતવા અને લલિતપુરનો બુંદેલવંશી ઇતિહાસ લઈને જીવતું ઝાંસી ગામ ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈના ઝાંસીના કિલ્લાથી પ્રખ્યાત છે.
સત્તરમી સદીના પ્રથમ દાયકામાં ઓર્કા રાજ્યના બુંદેલ વંશના રાજપૂત રાજા વીર સિંઘદેવ બુંદેલાએ સમારોપિત કરેલો આ કિલ્લો બુંદેલોનો ગઢ હતો, જે ઝાંસી ગામના બંગીરા નામના પર્વત શિખર પર સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવતો આજે પણ અડીખમ ઊભો છે અને સતત ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈ જેવા વીરાંગનાના દેશપ્રેમની વાતો કરતો બુલંદ અવાજે કહે છે કે, ‘મેં મેરી ઝાંસી નહિ દુંગી’
મરાઠા સામ્રાજ્ય, પેશવાઓ, નેવાલકર, સિંધિયા અને બ્રિટિશ રાજની હકૂમત ભોગવી ચૂકેલો આ ઐતિહાસિક કિલ્લો ઝાંસી શહેરની બરાબર મધ્યમાં આવેલો છે. ૩૧૨ મીટર લાંબા અને ૨૨૫ મીટર પહોળા આ કિલ્લાને સોળથી વીસ ફૂટ જાડી કાંગરાવાળી ગ્રેનાઇટની દીવાલો છે. પંદર એકરની વિશાળ ભૂમિ પર સ્થિત આ કિલ્લાને ખંડેરાવ, દતિયા, ઉન્નાવ, બડાગાંવ, લક્ષ્મી, સાગર, ઓર્કા, સૈનાર અને ચાંદ ગેટ જેવા દસ તોતિંગ દરવાજાઓ છે અને પ્રવેશદ્વારે પૂર્વજોની ઈશ્વર ભક્તિના પ્રતીક સમું પ્રાચીન ગણેશ મંદિર અને શિવ મંદિર પણ છે.
ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈના પતિ ગંગાધર રાવના ભાઈ રઘુનાથ રાવ વાસ્તુકલાના શોખીન હોવાથી તેના કલાપ્રેમને સન્માન આપવા બંધાયેલી બારાદરીનું સ્ટ્રક્ચર અહીં જોવા જેવું છે. બારાદરીની ભવ્ય સંરચનાનું રુફ અહીં એવી રીતે ડિઝાઇન થયેલું છે કે તે એક તળાવની રચના કરે છે, જે તળાવમાંથી સતત બારાદરીના બિલ્ડિંગ પર પાણીનો છંટકાવ થયા કરે.
Esta historia es de la edición Abhiyaan Magazine 24/08/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 24/08/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
એનાલિસિસ.
અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.