
ભૂલથી વસ્ત્રોની અદલાબદલી થવા જેવી નાની વાતે શર્મિષ્ઠા અને દેવયાની વચ્ચે થયેલા મોટા ઝઘડામાં શર્મિષ્ઠાના ધક્કાથી દેવયાની કૂવામાં પડી ગઈ. એ વખતે વનમાં શિકારે નીકળેલો રાજા યયાતિ કૂવામાંની દેવયાનીનો અવાજ સાંભળીને કૂવા પાસે આવ્યો. થયાતિએ દેવયાનીના કહ્યા મુજબ જમણો હાથ પકડીને કૂવામાંથી એને બહાર કાઢી. પછી રાજા તો ઝાઝી વાત કર્યા વિના તરત પોતાની નગરીમાં પાછો ફર્યો, પરંતુ દેવયાની ઘરે પાછી ન ફરતાં જંગલમાં જ અડિંગો જમાવીને બેસી રહી. પિતા શુક્રાચાર્યએ જંગલમાં દોડાદોડી કરીને એને શોધી કાઢી.
એમણે આખી ઘટના વિશે જાણ્યા બાદ પુત્રી દેવયાનીને ઉપદેશ આપ્યો: ‘સૌકોઈ પોતાના ગુણ-દોષો પ્રમાણે સુખી-દુઃખી થાય છે. તે કોઈ ખરાબ કામ કર્યું હોવાને લીધે તારા પર દુઃખ આવ્યું. હવે ક્રોધ છોડી દે. ક્રોધના ઘોડાની લગામ સારથિના હાથમાં હોય છે. જે સાથિ લગામ હાથમાં રાખીને નિષ્ક્રિય બેસી રહે છે એ સાચો સારથિ નથી, પરંતુ લગામ વડે ક્રોધ રૂપી ઘોડાને જે વશમાં રાખે છે એ સાચો સાથિ ગણાય. જે માણસ મનમાં જાગેલા ક્રોધને ક્ષમા વડે વશમાં કરી લે છે એ વાસ્તવમાં આખા જગતને વશમાં કરી શકે છે. બીજા પીડા આપે તેમ છતાં જે માણસ દુ:ખી થતો નથી એ ચારેય પુરુષાર્થો માટે યોગ્ય પાત્ર બની રહે છે. બે જણ લડી પડે અને વેર રાખે ત્યારે એમને જોઈને ડાહ્યા મનુષ્યો એમને અનુસરતા નથી, કારણ કે લડનાર અને વેર રાખનાર તો બાલક-બાલિકા ગણાય.’
દેવયાની પણ ગાંજી જાય એવી નહોતી. એણે વળતી દલીલો કરી: ‘હું સ્વીકારું છું કે હું બાલિકા છું, છતાં મારામાં પણ સમજ તો છે જ. શર્મિષ્ઠાએ મને જે કહ્યું એનો સાર એ હતો કે તમે, શુક્રાચાર્ય ભિખારી છો. શર્મિષ્ઠાના પિતા એવા દાનવરાજ વૃષપર્વાની ભીખ પર નભો છો. તમે રાજાનાં વખાણ કરીને ભીખ મેળવો છો. રાજા વૃષપર્વા અને એમની દીકરી શર્મિષ્ઠાની આવી રીતે બીજાનાં કુળ અને ચારિત્ર્યની ટીકા કરતાં હોય તો એ પાપી ગણાય. આવા પાપી બુદ્ધિવાળા લોકો સાથે સમજદાર અને બુદ્ધિશાળી લોકોએ ન રહેવું જોઈએ. એના કરતાં ત્યાં જઈને રહેવું જોઈએ જ્યાં ગુણોનો સાચો આદર થતો હોય. આ કારણે હું વૃષપર્વાની નગરીમાં નથી રહેવા માગતી. આપણે એમની નગરી છોડી દેવી જોઈએ.’
Esta historia es de la edición October 02, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 02, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

આ... અબ તો લૌટ ચલેં!
ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

નો માર્કેટિંગ
… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

મજા હારમાં છે, ગજબ ગેમ છે...
જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

જસ્ટ, એક મિનિટ..
વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.