
અહીં ઘણા મતદારો પોતાની જ્ઞાતિના ઉમેદવારને જ વોટ આપે છે, એમને મન પક્ષનું મહત્ત્વ નથી. કેટલાક મતદારો વળી સમાજવાદી પાર્ટી અથવા તો બહુજન સમાજ પાર્ટીને જ મત આપે છે. એમને મન ઉમેદવારનું મહત્ત્વ નથી. અમુક મતદારો એવા પણ છે, જે વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની પડખે રહે છે, પણ લોકસભામાં મોદી માટે જ વોટ આપે છે.
ટૂંકમાં, રાહુલ ગાંધી જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે એ ઉત્તર પ્રદેશના રાયબરેલી મતક્ષેત્રનું ચૂંટણીગણિત બહુ અટપટું છે અને અહીંનું રાજકારણ એકદમ વિલક્ષણ છે. ૧૯૫૨ અને ૧૯૫૭માં અહીંથી ફિરોઝ ગાંધી જીત્યા હતા. ત્યારથી ૨૦૨૪ સુધી બે અપવાદને બાદ કરતાં અહીં કોંગ્રેસે જ જીત મેળવી હતી. ઈન્દિરા ગાંધી બે વાર, સોનિયા ગાંધી ચાર વાર, આર.પી. સિંહ, બૈજનાથ કુરિલ, અરુણ નેહરુ, શીલા કૌલ અને કૅપ્ટન સતીશ શર્મા એક-એક વાર સાંસદ રહી ચૂક્યાં છે. ૧૯૭૭માં જનતા પાર્ટીના રાજ નારાયણે અહીં ઈન્દિરાને હરાવ્યાં હતાં. ૧૯૯૬માં પણ આ સીટ ભાજપના અશોકસિંહે જીતી હતી.
૨૦૨૪માં ભાજપે રાહુલ ગાંધી સામે દિનેશસિંહને મેદાનમાં ઉતાર્યા છે, જેમની કરિયરની શરૂઆત સમાજવાદી પાર્ટીથી થઈ હતી. ત્યાર બાદ એ બહુજન સમાજ પક્ષ અને કોંગ્રેસમાં પણ આંટો મારી આવ્યા હતા. ૨૦૧૮થી એ ભાજપમાં છે અને રાજ્ય વિધાન પરિષદના સભ્ય તથા યોગીજીના પ્રધાનમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી પણ છે.
રાયબરેલી સંસદીય ક્ષેત્રમાં રાજ્ય વિધાનસભાની પાંચ બેઠક આવે છે. એમાં અદિતિસિંહ (ભૂતપૂર્વ કોંગ્રેસી) તથા મનોજ પાંડે (ભૂતપૂર્વ સમાજવાદી) આ વખતે ભાજપ તરફથી બૅટિંગ કરી રહ્યા છે. અન્ય એક સમાજવાદી ધારાસભ્ય પણ ભાજપને મદદ કરવાના છે. તો બીજા બે ધારાસભ્યોથી કોંગ્રેસને બહુ લાભ નથી. ૨૦૧૯માં સોનિયા ગાંધીએ અહીં દિનેશસિંહને ૧.૬૭ લાખ મતથી હરાવ્યા હતા એટલે આ વખતે ભાજપ રાહુલ ગાંધીને પરાજય આપવા પૂરી તાકાત લગાવી રહ્યો છે.
રાયબરેલી વિશે ટીવી પરની ચૂંટણીચર્ચા જુઓ તો ફક્ત મતોના ગણિતની વાત થાય છે, પણ આ વીઆઈપી મતક્ષેત્રના ભાવિ વિકાસનો મુદ્દો કોઈ ઉપાડતું નથી. ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક વારસો સમૃદ્ધ હોવા છતાં વિકાસની દોડમાં રાયબરેલી દુર્ભાગ્યે પાછળ છે. તેમ છતાં મતદારો કોંગ્રેસને કેમ સમર્થન આપે છે એનું કારણ જણાવતાં સ્થાનિક આગેવાન સર્વેશ પ્રતાપસિંહ ચિત્રલેખાને કહે છેઃ
Esta historia es de la edición May 20, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 20, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

આ... અબ તો લૌટ ચલેં!
ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

નો માર્કેટિંગ
… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

મજા હારમાં છે, ગજબ ગેમ છે...
જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

જસ્ટ, એક મિનિટ..
વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.