લોકસભાની ચૂંટણીમાં થોડી પીછેહઠ, થોડી નામોશી, થોડી નિરાશા, થોડી ભૂલ અને ઘણી બાબતોમાં ઓવર કૉન્ફિડન્સના અતિરેક બાદ સત્તા પર બિરાજમાન થયેલી મોદી સરકારે આ નવી મુદતમાં પ્રજાને રીઝવવાની રાજી કરવાની નીતિ-વ્યૂહરચના બદલવાનું નક્કી કર્યું હોવાનું આંખે ઊડીને વળગે છે. સત્તા ગ્રહણ કર્યા બાદ તરત જ કામે લાગી ગયેલી સરકારે એક પછી એક જાહેરાત અને મહત્ત્વનાં કામકાજ હાથ ધરી લીધાં વ્યય થવા લાગ્યો નારાજ પ્રજાને રાહત અને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકાર પાસે અત્યારે તો હાથવગું કોઈ શસ્ત્ર હોય તો એ છે બજેટ. જુલાઈના અંતિમ સપ્તાહમાં જાહેર થનારા બજેટના સંકેત બહાર આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે, જેમાં આ વખતે બધા જ વર્ગ માટે કંઈક ને કંઈક હશે, પણ જેમના પર છેલ્લાં અમુક વરસોમાં ખાસ ધ્યાન અપાયું નથી એવા વર્ગને પ્રાયોરિટી અપાશે અર્થાત્ મધ્યમ વર્ગ આ બજેટના કેન્દ્રસ્થાને હશે અને એને રીઝવવા માટે આવકવેરાની રાહત પણ કેન્દ્રસ્થાને રહેશે.
આ વિષયમાં આવકવેરાના નિષ્ણાતો-ટૅક્સ કન્સલ્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ચિત્રલેખા સાથેની વાતચીતમાં રજૂ કરેલાં વિચારો-સૂચનોમાં કેવા સુધારાની અપેક્ષા છે એની ઝલક જોઈએ.
સરળીકરણની તાતી આવશ્યકતા
જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શાર્દુલ શાહ ચિત્રલેખા સાથેની વાતચીત માં કહે છે કે નાણાપ્રધાને તાજેતરમાં ઈન્કમ ટૅક્સમાં રાહત આપવા ના ઈશારા તો કર્યા છે, જેમાં વપરાશ વધે એવો અભિગમ પણ છે, જેથી અર્થતંત્રને વેગ મળે, કિન્તુ સીધા વેરાની બાબતે સૌથી મહત્ત્વની બાબત એના સરળીકરણની છે. આ કાનૂન છેલ્લા કેટલાક સમયથી ગૂંચવણભર્યો થતો ગયો છે તેમ જ બચત અને રોકાણને નિરુત્સાહ કરતી જોગવાઈ પર જોર વધ્યું છે.
આવકવેરામાં બે પ્રકાર (રિજિમ) પ્રમાણે માળખું અમલમાં મૂક્યા બાદ અર્થાત્ કરરાહત-કરમુક્તિની સુવિધા ભિન્ન કરાયા બાદ એક માળખું એવું બન્યું છે જે બચત-રોકાણને જાણે અલગ પાડી દેતું હોય એવું લાગે. અત્યારે કરમુક્તિ કે કરરાહતની આશાએ જે લોકો ફરિજયાત બચત કે રોકાણ કરતા રહ્યા છે એમને આ નવા માળખામાં આવું કોઈ પ્રોત્સાહન ઉપલબ્ધ નથી. આને પગલે લોકો પીપીએફ સહિત વિવિધ સરકારી કરબચત યોજના કે ઈન્વેસ્ટમેન્ટ સાધનો ટાળી રહ્યા છે. આમ કરવામાં એકંદરે ઈકોનોમીને વિપરીત અસર થવાની શક્યતા વધુ રહે છે.
Esta historia es de la edición July 08, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 08, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
નવ વર્ષ મેં કંઈ દીકરીનાં લગ્નની ઉંમર છે?
છોકરી શારીરિક અને માનસિક રીતે પરિપક્વ ન થાય ત્યાં સુધી કોઈ પણ સંબંધમાં ‘સલામત અંતર’ રાખવું હિતાવહ છે.
સામતા પર કેમ મેળવશો અંકુશ
તમને કે બીજાને નુકસાન પહોંચાડી શકે એવું વર્તન બદલવા આટલું કરો.
ચોમાસું છે ત્યાં સુધી મકાઈ ખાઈ લો..
આમ તો હવે લગભગ બારે મહિના કૉર્ન મળે છે, પરંતુ વરસાદમાં મસાલેદાર ડૂંડાંની મજા કંઈક વિશેષ છે.
પ્રકૃતિ વચાળે તાજગીનો શ્વાસ લેવા નીકળો છો ને?
મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતના ગ્રામ્યવિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ધરતીએ લીલીછમ ચાદર ઓઢી હોય એવું દૃશ્ય હરકોઈનું મન મોહી લે છે ત્યારે કૉન્ક્રીટનાં જંગલોથી દૂર જઈને પ્રકૃતિના ખોળે રમવા વધુ ને વધુ લોકો બહાર નીકળી રહ્યા છે.
જુવાન દીકરીને જોખમ સમયે મદદ કરે એવી કોઈ ઍપ ખરી?
ઘરનાં મહિલા સદસ્યોના ફોનમાં આમાંથી કોઈ એક ઍપ અને આ બન્ને હેલ્પલાઈન નંબર છે કે નહીં એ આજે જ ચેક કરજો...
હવે પડશે દ્વારકાનો વટ...
પ્રાચીન મંદિરોમાં યાત્રાળુઓને વધુ મોકળાશ, વધુ સુવિધા, વધુ આરામ મળી રહે એ હેતુથી કાશી, મહાકાલ અને અયોધ્યાના કોરિડોર બન્યા છે. એ જ ધોરણે ગુજરાત સરકારે દ્વારકા અને બેટ દ્વારકાની કાયાપલટ કરવાનું આયોજન કર્યું છે. આગામી સમયમાં દ્વારકાધીશની નગરી કદાચ આપણે ઓળખી ન શકીએ એવી બની જાય.
તીર્થરક્ષા માટે જંગ છેડ્યો એક સાધુ... અને એક સંસારી સ્ત્રીએ
પર્યટનસ્થળ તરીકે વિકસાવવાની સાથે આવતી કેટલીક અનીતિથી જૈનોના યાત્રાધામ સમ્મેત શિખરજીને બચાવવાને લગતો કેસ આખરે વીસ વર્ષે સુપ્રીમ કોર્ટમાં ખૂલ્યો છે ત્યારે જોઈએ, આ સંકટ નિવારવા અદાલતની બહાર શું ચાલી રહ્યું છે.
ભોજનનો બગાડ અટકાવી ભૂખ્યાને ભોજન આપીએ...
ઘરે કે હોટેલમાં, કોઈ પાર્ટીમાં કે લગ્નસમારંભમાં આપણે કેટલું અન્ન વેડફીએ છીએ એનો કોઈ અંદાજ જ આપણને નથી. કમોસમી વરસાદને કારણે ખેતરમાં પલળીને બગડી જતાં કે ગોદામોમાં સરખી સાચવણને અભાવે સડી જતાં અનાજના જથ્થાના પ્રમાણ વિશે પણ આપણે અજાણ છીએ. આપણે સુધરવાનું નામ ક્યારે લેશું?
હરિશંકર પરસાઈની વ્યંગની વાંસળી
ગુજરાતી વાચકોએ હિંદી ભાષાના આ અનન્ય સર્જકનો પરિચય કેળવવા જેવો છે. એમણે ભારતીય સમાજની અને રાજનીતિની એવી સૂક્ષ્મતાઓને ઉજાગર કરી હતી, જે ભાષાની સીમા તોડીને હરેક ભારતીયનાં દિલને સ્પર્શતી હતી. આઝાદી પહેલાંના ભારતને સમજવા માટે પ્રેમચંદને અને આઝાદી પછીની પરિસ્થિતિને સમજવા માટે હરિશંકર પરસાઈને વાંચવા જરૂરી છે.
સ્ટેજ નું કૅન્સર? ડરવાની નહીં, યોગ્ય સમયે નિષ્ણાત ડોક્ટરો પાસે સારવારની જરૂર છે...
HIPEC મશીન દ્વારા કીમોથેરેપી સોલ્યુસનથી સારવાર