મન કે ઝરોખે મેં ઝાંક કર તો દેખિયે...
Chitralekha Gujarati|October 07, 2024
‘રણ સહસ્ર યોદ્ધા લડે, જીતે યુદ્ધ હજાર, પર જો જીતે સ્વયં કો, વહી શૂર સરદાર.’ અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ જેવા ભવરોગથી મુક્તિ પામવા સ્વયંને જીતવાની સાધના કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. સંસારની દરેક વ્યક્તિ બુદ્ધપદે ન પહોંચી શકે, પણ બુદ્ધે આપેલી વિપશ્યના સાધનાના અભ્યાસ થકી પોતાના મનને તો જીતી જ શકે. અઢી સૈકા જૂની, પણ ભારતમાંથી લુપ્ત થયેલી આ પ્રાચીન ધ્યાનપદ્ધતિને પંચાવન વર્ષ પહેલાં ફરી સ્વદેશ લઈ આવનારા સત્યનારાયણ ગોએન્કાજીએ મુંબઈમાં નિર્મિત કરેલા પગોડામાં ભગવાન બુદ્ધનો સંદેશ હવે લાઈટ ઍન્ડ સાઉન્ડ મ્યુઝિયમ રૂપે સમજવા મળે છે.
સમીર પાલેજા (મુંબઈ)
મન કે ઝરોખે મેં ઝાંક કર તો દેખિયે...

કોઈ પણ મ્યુઝિયમમાં પ્રાચીન ચિત્રો, શિલ્પ, પ્રતિમા, કળાના નમૂના, વસ્ત્રો, શસ્ત્રો, વગેરે સાચવવામાં આવ્યાં હોય છે, પણ મુંબઈનું એક મ્યુઝિયમ એવું છે, જ્યાં આશરે અઢી હજાર વર્ષ પહેલાં માનવજાતને અપાયેલો એક ચીરકાલીન સંદેશો આધુનિક ટેક્નોલૉજીની મદદથી તાદશ્ય કરવામાં આવ્યો છે.

આ સંદેશ એટલે ભગવાન બુદ્ધે શીખવેલી કલ્યાણકારી વિપશ્યના સાધના. આ મ્યુઝિયમ હકીકતમાં મિની થિયેટર્સની એક શૃંખલા સમાન છે. જેમ જેમ આગળ વધતા જાઓ એમ એક પછી એક વિશાળ પડદા આવતા જાય અને એમાં લઘુ ચિત્રપટો દર્શાવાતાં જાય. રાજકુમાર સિદ્ધાર્થના પાછલા જન્મથી લઈને એમનું વર્તમાન રાજવી જીવન, જીવનનાં દુઃખોનો પરિચય, સંસારત્યાગ, સત્યની શોધના વિવિધ પ્રયાસમાં નિષ્ફળતા, પછી કેવળજ્ઞાનની પ્રાપ્તિ, તથાગત બુદ્ધમાં રૂપાંતર અને છેવટે મનુષ્યજાતિ માટે એમણે આપેલો પરમ લાભકારી બોધ... આ બધી ઘટનાની ઍનિમેટેડ શૉર્ટ ફિલ્મ જોઈને આશરે એક કલાક પછી તમે બહાર નીકળો છો ત્યારે બુદ્ધે તમામ દુઃખોથી છૂટવાની આપેલી ગુરુચાવી રૂપી વિપશ્યના સાધના વિશે વધુ જાણવાની ઉત્કંઠા રોકી શકતા નથી.

આ મ્યુઝિયમ એટલે મુંબઈમાં ગોરાઈ (બોરીવલી) સ્થિત ગ્લોબલ વિપશ્યના પગોડા, જેને મહારાષ્ટ્રની સાત અજાયબીમાંની એક ગણવામાં આવી છે. પ્રાચીન વિપશ્યના સાધનાને ભારતમાં લાવનારા સત્યનારાયણ ગોએન્કાજી ઉર્ફે ગુરુજીની જન્મશતાબ્દીનું વર્ષ એટલે ૨૦૨૪. ગોએન્કાજી ૧૯૬૯માં વિપશ્યનાને મ્યાનમારથી ભારત લાવ્યા એને આ વર્ષ પંચાવન વર્ષ થયાં. આ બન્ને પ્રસંગની ઉજવણી અનોખી રીતે થવી જોઈએ એ વિચારમાંથી આકાર પામી ધ જર્ની ઑફ ધમ્મ મ્યુઝિયમની દશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ.

રાજકુમાર સિદ્ધાર્થને સંસારનાં દુ:ખોમાંથી છૂટવાનો માર્ગ ખોજવાની પ્રબળ ઈચ્છા થઈ અને માનવજાતને મળી સ્વયંને ઓળખવાની સચોટ ધ્યાનપદ્ધતિ વિપશ્યના. મુંબઈના આ પોતાના મ્યુઝિયમમાં અનેક મિની ફિલ્મોના માધ્યમથી કરો બુદ્ધનાં જ્ઞાનનો સાક્ષાત્કાર.

Esta historia es de la edición October 07, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición October 07, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
વેદનાની હાઈ-ટેક વસૂલાત...
Chitralekha Gujarati

વેદનાની હાઈ-ટેક વસૂલાત...

પેજર, વૉકીટૉકી બૉમ્બધડાકા, એક જ હવાઈ હુમલામાં સાડા ચારસોથી વધુ લેબનીસ નાગરિકનાં મોત... લેબેનોનમાં હિઝબુલ્લાહના વિનાશવાદીઓ સામે બદલો લેવા ઈઝરાયલે કરેલા હાઈ-ટેક અટેક પાછળ જેનું ભેજું કામ કરે છે એ યુનિટ તથા એની વિવિધ કામગીરીની અલ્પ જાણીતી વાતો.

time-read
6 minutos  |
October 07, 2024
જૂથવાદનો ગિરનારી પવન કોનું વહાણ ડુબાડશે?
Chitralekha Gujarati

જૂથવાદનો ગિરનારી પવન કોનું વહાણ ડુબાડશે?

ભાજપમાં એક તરફ સદસ્યતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢમાં જવાહર ચાવડાએ પાર્ટી સામે જાહેરમાં જંગ છેડીને પ્રદેશ નેતાગીરીને પડકારી છે.

time-read
2 minutos  |
October 07, 2024
૩૬૫ દિવસ ૨૪ કલાક ખુલ્લું રહેતું પુસ્તકાલયઃ ન કોઈ ડિપોઝિટ-ન લવાજમ
Chitralekha Gujarati

૩૬૫ દિવસ ૨૪ કલાક ખુલ્લું રહેતું પુસ્તકાલયઃ ન કોઈ ડિપોઝિટ-ન લવાજમ

આ છે જિતુભાઈ ચૂડાસમાની તાળાં વારની લાઈબ્રેરી: અહીં તો વાચકો જ બને છે પુસ્તકોના રખેવાળ.

time-read
3 minutos  |
October 07, 2024
મન કે ઝરોખે મેં ઝાંક કર તો દેખિયે...
Chitralekha Gujarati

મન કે ઝરોખે મેં ઝાંક કર તો દેખિયે...

‘રણ સહસ્ર યોદ્ધા લડે, જીતે યુદ્ધ હજાર, પર જો જીતે સ્વયં કો, વહી શૂર સરદાર.’ અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ જેવા ભવરોગથી મુક્તિ પામવા સ્વયંને જીતવાની સાધના કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. સંસારની દરેક વ્યક્તિ બુદ્ધપદે ન પહોંચી શકે, પણ બુદ્ધે આપેલી વિપશ્યના સાધનાના અભ્યાસ થકી પોતાના મનને તો જીતી જ શકે. અઢી સૈકા જૂની, પણ ભારતમાંથી લુપ્ત થયેલી આ પ્રાચીન ધ્યાનપદ્ધતિને પંચાવન વર્ષ પહેલાં ફરી સ્વદેશ લઈ આવનારા સત્યનારાયણ ગોએન્કાજીએ મુંબઈમાં નિર્મિત કરેલા પગોડામાં ભગવાન બુદ્ધનો સંદેશ હવે લાઈટ ઍન્ડ સાઉન્ડ મ્યુઝિયમ રૂપે સમજવા મળે છે.

time-read
4 minutos  |
October 07, 2024
આપણે કોની પાછળ ભાગીએ છીએ?
Chitralekha Gujarati

આપણે કોની પાછળ ભાગીએ છીએ?

આંબી શકતા નથી ચરણ એને એટલી ઝડપે પ્યાસ ચાલે છે એમ ચાલે છે જિંદગી જાણે જિંદગીનો રકાસ ચાલે છે.

time-read
2 minutos  |
October 07, 2024
પ્રકાશનું પ્રદૂષણઃ આ વળી કઈ બલા છે?
Chitralekha Gujarati

પ્રકાશનું પ્રદૂષણઃ આ વળી કઈ બલા છે?

હજી થોડાં વર્ષ અગાઉ ચોખ્ખું આકાશ આપણાં નસીબમાં હતું. લોકો તારલા જોવાની પ્રવૃત્તિ કરતા. હવે ઊંચી ઊંચી ઈમારતો વચ્ચે બારીમાંથી ક્યાંક ડોકાઈ જતો આકાશનો ટુકડો આપણા ભાગે આવે છે અને એમાંય તારા દેખાતા નથી. પૃથ્વીના ગોળા પરની રોશનીએ પોલ્યુશનનું એવું તો પડળ આપણી ફરતે ફેલાવી દીધું છે કે...

time-read
5 minutos  |
October 07, 2024
સ્વાસ્થ્ય, સ્વતંત્રતા, સંબંધ અને સંપત્તિ
Chitralekha Gujarati

સ્વાસ્થ્ય, સ્વતંત્રતા, સંબંધ અને સંપત્તિ

સમૃદ્ધિની છત-અછત પૈસાદાર હોવું અને સમૃદ્ધ હોવું એમાં ફરક છે. પૈસા ન હોય છતાં આપણે સુખી હોઈએ એ સમૃદ્ધિ. તમારી પાસે અઢળક પૈસા હોય, પણ જો તમે માનસિક અને શારીરિક રીતે સંતાપમાં હો, સંબંધો બગડેલા હોય, પોતાના કે બીજાના માટે સમયનો અભાવ હોય તો સુખની અનુભૂતિ તો દૂરની વાત છે, એની કલ્પના પણ કરવી અર્થહીન છે.

time-read
5 minutos  |
October 07, 2024
અમેરિકા કેમ આપે છે ભારતવિરોધી માહોલને હવા?
Chitralekha Gujarati

અમેરિકા કેમ આપે છે ભારતવિરોધી માહોલને હવા?

મોદી-બાઈડનની મુલાકાતના કલાકો પહેલાં અમેરિકી પ્રશાસને ખાલિસ્તાની વિભાજનવાદીઓ સાથે મસલત કરી, જેને કારણે થોડા દિવસ અગાઉ રાહુલ ગાંધીએ અમેરિકામાં જ શીખ સમાજની કથિત અવદશા વિશે કરેલાં બેફામ વિધાનોને જાણે સમર્થન મળી ગયું!

time-read
5 minutos  |
October 07, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

પોતાની પાસે જે હોય એની કદર ન હોય અને એની સંભાળ લેવાની બેદરકારી દાખવીને કોઈ નવી વસ્તુ તરફ લલચાઈ એની પાછળ આંધળી દોટ લગાવવાથી તો બન્ને વસ્તુ ગુમાવવાનો વારો આવી શકે છે. નવાની લાયમાં જૂનાની અવગણના કરવી જોઈએ નહીં.

time-read
1 min  |
October 07, 2024
હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પર જીએસટીઃ આ ‘વ્યાધિ’ દૂર કરો!
Chitralekha Gujarati

હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પર જીએસટીઃ આ ‘વ્યાધિ’ દૂર કરો!

લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમ પરનો ઊંચો જીએસટી નાબૂદ કરવાની અથવા એમાં નોંધપાત્ર ઘટાડો કરવાની માગણી થઈ રહી છે. અત્યારે તો આ મામલો નવેમ્બર સુધી લંબાવી દેવાયો છે, પણ મધ્યમ વર્ગ અને ખાસ તો વરિષ્ઠ નાગરિકોને રાહત આપવા આ પગલું ભરવામાં વિલંબ થવો જોઈએ નહીં.

time-read
5 minutos  |
September 30, 2024