‘હેલ્લો, કરુણાલય.. હું સાબરમતીથી ગૌરવ બોલું છું. મારા ફાધરને કૅન્સર છે. એ પથારીવશ હોવાથી ડ્રેસિંગ કરવા તમારા ડૉક્ટર અમારા ઘેર આવશે? અને એનું પેમેન્ટ કેવી રીતે મોકલવાનું છે?’
કરુણાલયના કર્મચારીએ સમજાવ્યું: ‘તમે પેશન્ટના બાયોપ્સી, સીટી સ્કેન, વગેરે રિપોર્ટ્સ, દવા અને ડાયેટની માહિતી તથા ઘરનું ઍડ્રેસ અમને વ્હૉટ્સઍપ કરો. પછી ડૉક્ટર સાહેબ તમારા ઘેર આવશે.. એનો અમે ચાર્જ લેતા નથી.’
બીજા દિવસે કરુણાલયના ડૉક્ટરે ગૌરવના ઘેર જઈ દરદીની રાયલ્સ ટ્યૂબ બદલીને ડ્રેસિંગ કર્યું, દવા આપી અને સારસંભાળનું માર્ગદર્શન આપ્યું. છેલ્લે, ફરી હોમ વિઝિટ માટે આવશે કહીને વિદાય લીધી.
આ ઘટના છે અમદાવાદની અને કરુણાલય છે કૅન્સરના ઍડ્વાન્સ એટલે કે ત્રીજા-ચોથા સ્ટેજના દરદીને ઘેરબેઠાં નર્સિંગ કૅર, દવા અને સારસંભાળની સમજ વિનામૂલ્યે આપતું સેવા કેન્દ્ર.
આપણે જાણીએ છીએ કે ઍડ્વાન્સ સ્ટેજના કૅન્સરના ઘણા દરદીને કિમોથેરાપી, રેડિયેશન, ઑપરેશન, વગેરે ઉપાય કારગત ન નીવડે અને અસહ્ય પીડા થતી હોય. ઘણાને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે. ઝાડા-ઊલટી થાય કે ઊબકા આવે. ખોરાક અને ઊંઘ ઘટી જાય. અમુકને કૅન્સરગ્રસ્ત અંગમાં સડો થયાની પીડા થતી હોય. આવા અમુક દરદીને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપતી વખતે ડૉક્ટરે દરદીના સ્વજનને કહ્યું હોયઃ દરદીને ઘેર રાખીને થાય એટલી સેવા કરજો.
કારણ એ કે ઍડ્વાન્સ સ્ટેજમાં ઘણા દરદી મૃત્યુ પામે છે. જો કે સમયસર નિદાન બાદ પૂરતી સારવાર અને મક્કમ મનોબળથી ઘણા દરદીઓ રોગમુક્ત પણ થાય છે. આમ છતાંય કૅન્સરનો હાઉ હજી ઘટ્યો નથી. લોકસભામાં આપવામાં આવેલ માહિતી મુજબ દેશમાં આ વર્ષે ૧૪.૬૧ લાખ કૅન્સરના દરદીઓ નોંધાયા તથા ૧.૧૭ લાખ દરદીઓ મૃત્યુ પામ્યા. ચોંકાવનારી ખબર ગણો તો ડાયાબિટીસ કૅપિટલ ગણાતા ગુજરાતમાં કૅન્સરના દરદીઓ પણ વધ્યા છે. ગુજરાતમાં ત્રણ વર્ષ દરમિયાન અનુક્રમે ૬૯,૬૬૦, ૭૦,૫૦૭ અને ૭૩,૩૮૨ મળીને કૅન્સરના કુલ ૨,૧૩,૫૪૯ કેસો નોંધાયા. આ ગાળામાં ૪૦,૩૫૬ દરદી મૃત્યુ પામ્યા. જો કે સામાજિક જાગૃતિ અને સમયસર રોગનિદાનના લીધે કૅન્સરના દરદીઓની સંખ્યા વધી હોવાનું કૅન્સરના તબીબો માને છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.