હું ઍક્ટિવિસ્ટ છું, પરંતુ ઝંડો લઈ રસ્તા પર ઊતરવાનું કામ નથી કરતી. મારું કામ આંદોલન કરવાનું જરૂર છે, પણ એ તો એ કળા અને સંવેદના દ્વારા હકારાત્મક આંદોલનો ઊભાં કરવાનું..’
જૂઈ મેળા દ્વારા દેશભરમાં જાણીતાં થયેલાં કવયિત્રી, વિવેચક, સંપાદક ડૉ. ઉષા ઉપાધ્યાય આમ બોલે ત્યારે એમના શબ્દમાં ભાર વર્તાતો નથી. હા, એમના શબ્દનું વજન જરૂર પડે છે.
જૂઈ મેળો.. આ શબ્દ સાહિત્ય અને કળાજગત સાથે સંકળાયેલી મહિલાઓ માટે અજાણ્યો નથી. માત્ર મહિલાઓ માટે કાર્યરત આ મંચ ઉષા ઉપાધ્યાયનું માનસ સંતાન છે. મૂળ ભાવનગરનાં અને અમદાવાદસ્થિત ગૂજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગનાં અધ્યક્ષા અને વરિષ્ઠ પ્રાધ્યાપિકા તરીકે નિવૃત્ત થયેલાં જૂઈ મેળાનાં જનની એવાં ઉષાબહેન પ્રિયદર્શિનીને કહે છેઃ હું
‘સાહિત્યજગતમાં મહિલાઓને સ્થાન નથી મળતું એમ ન કહી શકાય, પરંતુ મહિલાની પ્રતિભાની તુલનાએ એની ઉપેક્ષા સતત થતી રહી છે. આ ઉપરાંત, મહિલાઓ સાથેનો કેટલોક વ્યવહાર પણ પીડા આપતો હતો. આ સંવેદનામાંથી માત્ર મહિલાઓ માટે કોઈ વિશેષ મંચ ઊભો કરવાની ઈચ્છા થઈ અને ૨૦૧૮માં આ જૂઈ મેળને આકાર આપ્યો. વિશ્વભારતી સંસ્થાન દ્વારા માર્ચ, ૨૦૧૮માં પહેલો જૂઈ મેળો અમદાવાદમાં યોજાયો, જેમાં ગુજરાત અને મુંબઈ ઉપરાંત બ્રિટન તથા અમેરિકાની લેખિકાઓ ઉપસ્થિત રહી હતી.’
કળાના માધ્યમથી હકારાત્મક વાતાવરણઃ માત્ર મહિલાઓ માટેનો વિશેષ મંચ ઊભો કરવાની ઈચ્છામાંથી જન્મ થયો ‘જૂઈ મેળા’નો. અહીં તમામ કાર્યક્રમમાં કેન્દ્રસ્થાને મહિલા જ હોય છે.
આ પ્રથમ કાર્યક્રમમાં કરવામાં આવેલી ઘોષણા મુજબ પ્રતિ વર્ષ અલગ અલગ સ્થળે આ જૂઈ મેળો યોજાતો રહ્યો છે. પ્રથમ બે વાર્ષિક સંમેલન અમદાવાદમાં તો એ પછી દિલ્હી, ત્યાર બાદ ભાવનગર, પાંચમું સંમેલન કેલિફોર્નિયા (અમેરિકા) અને થોડા વખત પહેલાં છઠ્ઠો વાર્ષિક જૂઈ મેળો ઈન્દોર ખાતે યોજાઈ ગયો. આ ઉપરાંત, વર્ષ દરમિયાન કવિસંમેલન, કવિતા કાર્યશાળા સહિતના અન્ય કાર્યક્રમો પણ યોજાતા રહે અને આ તમામ કાર્યક્રમમાં કેન્દ્રસ્થાને માત્ર મહિલા જ હોય છે. જૂઈ મેળા અંતર્ગત પાંચ વર્ષ દરમિયાન ગુજરાતી, હિંદી, મરાઠી અને અન્ય ભાષાની ૧૦૦૦થી વધુ લેખિકાઓને ઉષાબહેન ઉપાધ્યાયે એક તાંતણે જોડ્યાં છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.