આપણને બધાને દર થોડાં વરસે બૅન્ક સહિત જ્યાં જ્યાં આપણે પૈસા રોક્યા છે ત્યાંથી કેવાયસી માટે સૂચના-સંદેશ આવતાં જ હશે. એની અવગણના પણ થઈ ન શકે, કારણ કે તમે કેવાયસી ન કરાવો તો બૅન્ક યા સંબંધિત સંસ્થા તમારા એકાઉન્ટને કામચલાઉ સ્થગિત કરવાની ચીમકી આપે છે. પરિણામે તમારે નાછૂટકે પુનઃ કેવાયસીની વિધિ કરવી જ પડે છે. આમ તો આપણે પહેલી વાર એકાઉન્ટ ખોલાવીએ ત્યારે કેવાયસી થતું જ હોય છે, પણ ચોક્કસ શંકા અને અનુભવોને ધ્યાનમાં રાખી સરકારે દર થોડાં વરસે કેવાયસી કરાવવાનું ફરજિયાત લાગુ કર્યું છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ હોય કે બૅન્ક એકાઉન્ટ, કેવાયસીનું કોકડું હવે માથાનો દુખાવો બની રહ્યું છે. સતત મની લોન્ડરિંગના ભયથી પીડાતી સરકાર કે સંબંધિત સરકારી વિભાગો સમયાંતરે કેવાયસીનો આગ્રહ રાખે છે. ખોટું કરનારા ચાર કે ચાલીસ જણ, પણ એને કારણે બનતા નિયમોના પાલનની સજા ભોગવનારા ચાર કરોડ લોકો જેવો આ ઘાટ છે. કેવાયસી એટલે નો યૉર કસ્ટમર (તમારા ગ્રાહકને ઓળખો). પૈસાની ઉચાપત સહિત નાણાકીય વ્યવહારો સંબંધી બોગસ એકાઉન્ટ્સ વગેરેનાં જોખમ સામે સરકારે તથા સેબી અને રિઝર્વ બૅન્ક જેવી નિયમન સંસ્થાઓએ કેવાયસી ફરજિયાત કર્યું છે, કરવું પણ જોઈએ, પરંતુ એમાં કંઈક તો તર્ક કે વ્યાવહારિકપણે અમલની શક્યતા જોઈએ કે નહીં? એનો જવાબ કોણ આપશે?
હવે ‘આધાર’નો જ આધાર
અત્યારે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં કેવાયસી માટે આધાર કાર્ડનો પુરાવો અનિવાર્ય છે. તમે ફંડના ઈન્વેસ્ટર છો અને આધાર-બેઝ્ડ કેવાયસી કરાવ્યું છે તો કોઈ સમસ્યા નથી, પણ અત્યારે ફંડ્સના રોકાણકારોમાંથી ૭૦ ટકા જેટલા લોકો આધારબેઝ્ડ વેલિડ કેવાયસી ધરાવતા નથી. બીજો વિકલ્પ છે, ઓવીડી (ઑફિસિયલ વેલિડ ડોક્યુમેન્ટ્સ) હોય તો વર્તમાન રોકાણના વ્યવહાર કરી શકો છો, પરંતુ નવું રોકાણ કરવા આધાર-બેઝ્ડ રિ-કેવાયસી કરાવવું પડે. જો ઓવીડી નથી, મોબાઈલ અથવા ઈ-મેલ પણ વેરિફાઈડ નથી તો એમનાં બધાં રોકાણ સ્થગિત રહેશે, જે નવી જરૂરી વિધિ બાદ જ કાર્યરત થઈ શકશે.
પેન કાર્ડની પારાયણ
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.