KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
Chitralekha Gujarati|May 13, 2024
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.
જયેશ ચિતલિયા
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન  કા પતા હૈ?

પણને બધાને દર થોડાં વરસે બૅન્ક સહિત જ્યાં જ્યાં આપણે પૈસા રોક્યા છે ત્યાંથી કેવાયસી માટે સૂચના-સંદેશ આવતાં જ હશે. એની અવગણના પણ થઈ ન શકે, કારણ કે તમે કેવાયસી ન કરાવો તો બૅન્ક યા સંબંધિત સંસ્થા તમારા એકાઉન્ટને કામચલાઉ સ્થગિત કરવાની ચીમકી આપે છે. પરિણામે તમારે નાછૂટકે પુનઃ કેવાયસીની વિધિ કરવી જ પડે છે. આમ તો આપણે પહેલી વાર એકાઉન્ટ ખોલાવીએ ત્યારે કેવાયસી થતું જ હોય છે, પણ ચોક્કસ શંકા અને અનુભવોને ધ્યાનમાં રાખી સરકારે દર થોડાં વરસે કેવાયસી કરાવવાનું ફરજિયાત લાગુ કર્યું છે.

મ્યુચ્યુઅલ ફંડ્સ હોય કે બૅન્ક એકાઉન્ટ, કેવાયસીનું કોકડું હવે માથાનો દુખાવો બની રહ્યું છે. સતત મની લોન્ડરિંગના ભયથી પીડાતી સરકાર કે સંબંધિત સરકારી વિભાગો સમયાંતરે કેવાયસીનો આગ્રહ રાખે છે. ખોટું કરનારા ચાર કે ચાલીસ જણ, પણ એને કારણે બનતા નિયમોના પાલનની સજા ભોગવનારા ચાર કરોડ લોકો જેવો આ ઘાટ છે. કેવાયસી એટલે નો યૉર કસ્ટમર (તમારા ગ્રાહકને ઓળખો). પૈસાની ઉચાપત સહિત નાણાકીય વ્યવહારો સંબંધી બોગસ એકાઉન્ટ્સ વગેરેનાં જોખમ સામે સરકારે તથા સેબી અને રિઝર્વ બૅન્ક જેવી નિયમન સંસ્થાઓએ કેવાયસી ફરજિયાત કર્યું છે, કરવું પણ જોઈએ, પરંતુ એમાં કંઈક તો તર્ક કે વ્યાવહારિકપણે અમલની શક્યતા જોઈએ કે નહીં? એનો જવાબ કોણ આપશે?

હવે ‘આધાર’નો જ આધાર

અત્યારે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં કેવાયસી માટે આધાર કાર્ડનો પુરાવો અનિવાર્ય છે. તમે ફંડના ઈન્વેસ્ટર છો અને આધાર-બેઝ્ડ કેવાયસી કરાવ્યું છે તો કોઈ સમસ્યા નથી, પણ અત્યારે ફંડ્સના રોકાણકારોમાંથી ૭૦ ટકા જેટલા લોકો આધારબેઝ્ડ વેલિડ કેવાયસી ધરાવતા નથી. બીજો વિકલ્પ છે, ઓવીડી (ઑફિસિયલ વેલિડ ડોક્યુમેન્ટ્સ) હોય તો વર્તમાન રોકાણના વ્યવહાર કરી શકો છો, પરંતુ નવું રોકાણ કરવા આધાર-બેઝ્ડ રિ-કેવાયસી કરાવવું પડે. જો ઓવીડી નથી, મોબાઈલ અથવા ઈ-મેલ પણ વેરિફાઈડ નથી તો એમનાં બધાં રોકાણ સ્થગિત રહેશે, જે નવી જરૂરી વિધિ બાદ જ કાર્યરત થઈ શકશે.

પેન કાર્ડની પારાયણ

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView all
સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
Chitralekha Gujarati

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર

એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

time-read
5 mins  |
February 24, 2025
આ... અબ તો લૌટ ચલેં!
Chitralekha Gujarati

આ... અબ તો લૌટ ચલેં!

ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

time-read
5 mins  |
February 24, 2025
ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
Chitralekha Gujarati

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ

ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

time-read
3 mins  |
February 24, 2025
મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
Chitralekha Gujarati

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ

ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

time-read
5 mins  |
February 24, 2025
નો માર્કેટિંગ
Chitralekha Gujarati

નો માર્કેટિંગ

… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

time-read
5 mins  |
February 24, 2025
મજા હારમાં છે, ગજબ ગેમ છે...
Chitralekha Gujarati

મજા હારમાં છે, ગજબ ગેમ છે...

જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

time-read
2 mins  |
February 24, 2025
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

time-read
1 min  |
February 24, 2025
ભાંગી મારી જન્મોજનમની ખામી
Chitralekha Gujarati

ભાંગી મારી જન્મોજનમની ખામી

ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

time-read
2 mins  |
February 17, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

time-read
1 min  |
February 17, 2025
સફળતાની ઠોકર વાગે ત્યારે!
Chitralekha Gujarati

સફળતાની ઠોકર વાગે ત્યારે!

તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.

time-read
5 mins  |
February 10, 2025