માનવશરીરનું રક્ત જમા કરતી ને જરૂરતમંદોને પૂરું પાડતી બ્લડ બૅન્કથી લઈને આંખોને રોશની આપતી આઈ બૅન્ક તથા માતાનું દૂધ કે વીર્ય સંઘરતી બૅન્કો એ આર્થિક વહેવારો સિવાયની બૅન્કો છે. થોડાં વર્ષ પહેલાં ગુજરાતની પ્રથમ બોન (હાડકાં) બૅન્ક અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં શરૂ થઈ ને તત્કાળ બંધ થઈ ગઈ. આવી અનોખી બૅન્કોની યાદીમાં સ્કિન બૅન્કનું પણ નામ આવે, જ્યાં માનવશરીરની ત્વચાની વૈજ્ઞાનિક પદ્ધતિથી જાળવણી થાય છે. જાણીને નવાઈ લાગે કે ત્વચા એ માનવશરીરનું સૌથી મોટું અવયવ છે અને શરીર ના કુલ વજનનો પંદરેક ટકા હિસ્સો ધરાવે છે. ત્વચાદાન દ્વારા મેળવાતી ચામડી આ બૅન્કમાં જમા કરી દાઝી ગયેલા કે અકસ્માતમાં ઈજા પામેલા લોકોને અથવા તો કૅન્સરના દરદીને આપવામાં આવે છે.
ત્વચાનાં આઠ પડમાંથી ત્વચાદાન માટે બાહ્ય પડ (એપિડર્મિસ) લેવામાં આવે છે. દેશની પ્રથમ સ્કિન બૅન્ક ૧૯૭૨માં ડૉ. મનોહર કેસવાનીએ મુંબઈમાં શરૂ કરી હતી. અત્યારે દેશમાં પચ્ચીસથી વધુ સ્કિન બૅન્ક છે, જેમાંની આઠ તો મુંબઈની સ્કિન બૅન્કે જ શરૂ કરાવી છે. ગુજરાતમાં ત્રણ સ્કિન બૅન્ક છે. સૌપ્રથમ સ્કિન બૅન્ક ખાનગી ધોરણે રાજકોટ માં ૨૦૨૧ના જાન્યુઆરીમાં શરૂ થઈ. બીજી સ્કિન બૅન્ક અનુક્રમે રાજકોટ અને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં શરૂ થઈ.
અમદાવાદની સ્કિન બૅન્કના વડા અને સિવિલ હૉસ્પિટલના બર્ન્સ ઍન્ડ પ્લાસ્ટિક સર્જરી વિભાગના પ્રાધ્યાપક ડૉ. જયેશ સચદે કહે છે: ‘બ્રેન ડેડ વ્યક્તિના શરીરમાંથી આંખ, કિડની, હૃદય, ફેફસાં, પેન્ક્રિયાઝ અને આંતરડું લઈ એનું જરૂરતમંદના શરીરમાં પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ) થાય છે એ જ રીતે મૃત વ્યક્તિના પગના પાછળના ભાગ અને પીઠમાંથી ત્વચાનું બાહ્ય પડ મૃત્યુના છ કલાકમાં લઈ શકાય. એ સમયે પ્લાસ્ટિક સર્જન અને નર્સિંગ ટીમ મૃતકની ત્વચા અને થોડુંક લોહી લે. ત્વચા ગ્લિસરોલમાં જાળવી એની બૅક્ટેરિયલ અને ફંગસ ટેસ્ટ તથા લોહીની એચઆઈવી, હેપેટાઈટિસ બી અને સી, વગેરે ટેસ્ટ થાય.'
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.