રાજકારણમાં કાયમી શત્રુ કે મિત્ર હોતા નથી એ વાતનો મહારાષ્ટ્રના મતદારોને પ્રેક્ટિકલ અનુભવ છે, જેમ કે ૨૦૧૯માં દરેક સભામાં નરેન્દ્ર મોદીને દેશની શાન ગણાવનારા શિવસેનાના સંજય રાઉત હવે મોદીની સરખામણી ઔરંગઝેબ સાથે કરીને એમને મહારાષ્ટ્રની ધરતીમાં દાટી દેવાની ધમકી આપે છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી)ના અજિત પવારના કથિત સિંચાઈ સ્કેમ સામે વર્ષો સુધી કાગારોળ મચાવનારા ભાજપના નેતાઓ-કાર્યકરો હવે અજિતદાદાના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. એમ તો ૨૦૧૪થી ૨૦૧૯ સુધી ભાજપના સાંસદ તરીકે નરેન્દ્ર મોદીનું સમર્થન કરનારા નાના પટોળે (હવે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ) કહે છે કે અમે સત્તા પર આવીશું તો રામમંદિરને ગંગાજળથી ધોઈને શુદ્ધ કરી નાખીશું. આવા તો અનેક રાજકીય વિરોધાભાસ મુંબઈ-મહારાષ્ટ્રના ચૂંટણીમંચ પર ભજવાઈ રહ્યા છે.
૧૯૭૭થી તમામ ચૂંટણી કવર કરનારા મહારાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક પ્રકાશ આકોલકર ચિત્રલેખાને કહે છેઃ ‘મહારાષ્ટ્રમુંબઈ માટે આ પહેલી ચૂંટણી એવી છે જેમાં મતદારોને આકર્ષે કે એમને રસ પડે એવો કોઈ ચોક્કસ મુદ્દો નથી, જેમ કે મરાઠવાડાના સૌથી વિકસિત શહેર લાતુરમાં સપ્તાહમાં એક જ વાર પાણી આવે છે, છતાં આશ્ચર્યજનક રીતે ચૂંટણીમાં આ સમસ્યા મુદ્દો જ ન બની. જાન્યુઆરીમાં અધૂરા મંદિરે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરાવીને એને ચૂંટણીનો મુદ્દો બનાવવાની ભાજપની ગણતરી હતી, પણ મહારાષ્ટ્રના લોકો તો શું, ભાજપના ઉમેદવારો સુદ્ધાં હવે રામમંદિરને ભૂલી ગયા છે. અરે, મોદીજી પોતે જ એટલા ગૂંચવાયેલા લાગે છે કે એમણે એક સભામાં શરદ પવારને ભટકતો આત્મા કહ્યા તો બીજી સભામાં ભાજપના સાથી થવાનું આમંત્રણ આપી દીધું. સામે પક્ષે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર બેરોજગારી જેવા મુદ્દા ઉખેળી રહ્યા છે અને પ્રિયંકા ગાંધીને પણ મહારાષ્ટ્રમાં સપોર્ટ મળી રહ્યો છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.