સ્વાસ્થ્ય જાળવવા માટેની મુખ્ય ચાવી પોષણયુક્ત આહાર છે. તમે તમારી દિનચર્યા બરાબર જાળવો અને પોષક આહાર લો તો તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે એ નક્કી છે, પરંતુ જંક ફૂડના આ જમાનામાં પોષણ જાળવી રાખવું થોડું મુશ્કેલ થઈ ગયું છે. મોટા ભાગના માણસો રોજિંદી ઘટમાળમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે સપ્તાહમાં બે-ચાર વખત ઘરના સાત્ત્વિક ખોરાકની જગ્યાએ એ બહારના, તાજા અને પૌષ્ટિક પણ ના હોય (ટૂંકમાં, મહદંશે બિનઆરોગ્યપ્રદ હોય) એવો આહાર લે છે. એના પરિણામે નાની ઉંમરે ડાયાબિટીસ જેવી વ્યાધિનું જોખમ વધતું જાય છે.
દિવસ દરમિયાન તમે જે પણ આહાર લો, એની પસંદગી સમજી-વિચારીને કરવી જોઈએ. મૂળ તો તમે જે પણ ખાદ્ય પદાર્થ લો એનાં સારાં-નરસાં પાસાં વિશે માહિતગાર હો એ જરૂરી છે, કારણ કે એ સજાગતાથી જ તમે તમારા શરીરને જાળવી શકો છો. એ ઉપરાંત, આહારનો સ્વાદ અને સંતોષ પણ મેળવી શકો છો.
આહાર લેતી વખતે પણ તમારું પૂરતું ધ્યાન ખોરાક પર હોવું જરૂરી છે અને આથી જ ટીવી જોતાં જોતાં, ફોનમાં વાત કરતાં કરતાં કે કમ્પ્યુટરનો ઉપયોગ કરતાં કરતાં જમવું ન જોઈએ. આવી આદતથી તમે જે ખોરાક લઈ રહ્યા છો એની ગુણવત્તા તેમ જ માત્રામાં પણ ધ્યાન આપી શકતા નથી, જે ભવિષ્યમાં વજન પણ વધારી શકે છે. આ આદત ચાલુ રહી તો વજન વધવાને કારણે મોટી ઉંમરે તમારું શરીર ઘણાય રોગ નોતરી શકે છે એટલે સામાન્ય લાગતી આ આદતને થોડી ગંભીરતાથી લેવી જરૂરી છે. આખરે તંદુરસ્તી તમારા હાથમાં જ છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.