વરુઓ વચ્ચે લડાઈ...
એક દાદા પોતાના પૌત્રને લાગણીઓની કશમકશ વિશે સમજણ આપી રહ્યા હતા. એમણે કહ્યું: ‘મારી અંદર એક ભીષણ લડાઈ ચાલી રહી છે.’ ‘અંદર લડાઈ કોણ લડે ?' પુત્રએ જિજ્ઞાસાવશ પૂછ્યું.
‘અંદર બે વરુઓ છે. એક વરુમાં ક્રોધ છે, ઈર્ષા અશાંતિ છે, પીડા છે, લાલચ છે, નફરત છે, અહંકાર છે અને લઘુતા છે. બીજા વરુમાં શાંતિ છે, સંતોષ છે, પ્રેમ છે, નમ્રતા છે, કરુણા છે અને સહાનુભૂતિ છે. બન્ને વચ્ચે વર્ચસની લડાઈ ચાલે છે. આવી લડાઈ દરેક વ્યક્તિની અંદર ચાલતી હોય છે.’
‘એમ?’ પૌત્રને આશ્ચર્ય થયું અને થોડી વાર વિચારીને પૂછ્યું: ‘દાદા, એમાં કયા વરુનો વિજય થાય?'
દાદાએ કહ્યું: ‘આપણે જેને પંપાળીને તગડું બનાવીએ એ જીતે.'
***
થોડા દિવસ પહેલાં મુંબઈના ભાઈદર સ્ટેશનનો એક વાઈરલ ને સહાનુભૂતિ જોયો હતો. એમાં એક પિતા અને એનો પુત્ર એકબીજાના હાથ પકડીને પ્લૅટફૉર્મ પરથી ઊતરીને રેલપટરી પર જાય છે અને સામેથી આવતી ટ્રેન નીચે સૂઈ જાય છે. આ વિડિયો સ્ટેશનના સીસીટીવી કૅમેરામાં કેદ થયો હતો. એવું કહેવાય છે કે શૅરબજારમાં ભારે ખોટ ગઈ હોવાથી એમનું દેવું વધી ગયું હતું.
આ ઘટનાના બે દિવસ પછી, દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકાના ધારાગઢ ગામમાં એક જ પરિવારના ચાર લોકોએ સામૂહિક આપઘાત કર્યાના સમાચાર વાંચવામાં આવ્યા, એમાં પતિ-પત્ની અને એમનાં છોકરા-છોકરીએ ખૂલી સીમમાં ઝેર પી લીધું હતું. એમાં પણ આર્થિક સંકડામણ હોવાનું કારણ સામે આવ્યું હતું.
આપઘાતની મોટા ભાગની ઘટનામાં દેખીતી રીતે જ પારિવારિક-સામાજિક કારણો હોય છે, પરંતુ એક બાબત નોંધવા જેવી એ પણ છે કે એવાં કારણ લગભગ દરેકના જીવનમાં મોજૂદ હોય છે, પણ એ તમામ લોકો આપઘાત નથી કરતા. તો એવું શું બને છે કે એકસરખાં કારણ હોવા છતાં અમુક માણસ આપઘાત કરે છે અને બાકીના લોકો નથી કરતા?
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.