આસામના ચરાઈદેવ જિલ્લામાં પટકાઈ પર્વતશૃંખલા આવેલી છે. આ પહાડીની તળેટીમાં સેંકડો નાની નાની ટેકરી જેવાં ઐતિહાસિક બાંધકામ નજરે પડે. પહેલી નજરે જોતાં ઈજિપ્તના પિરામિડ લાગે એવાં આ બાંધકામ અસલમાં આસામ પર આશરે ૬૦૦ વર્ષ જેમણે રાજ કર્યું એ અહોમવંશના રાજવીઓના મોઈદમ છે. મૌઈદ એ મૂળ અહોમ એટલે કે આસામી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાયઃ વિશાળ મકબરો.
હમણાં માત્ર આસામ નહીં, સમગ્ર ઈશાન ભારતની આ ઐતિહાસિક વિરાસતને સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા યુનેસ્કો દ્વારા કલ્ચરલ પ્રૉપર્ટી શ્રેણીમાં વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો. અદ્વિતીય કહી શકાય એવા કોઈ પણ માનવસર્જિત સ્થાપત્યને યુનેસ્કો દ્વારા આ સૂચિમાં સામેલ કરવામાં આવે છે. તાજમહાલ, ચાંપાનેર, ઈલોરાની . ગુફા જેવાં ભારતનાં કુલ ૪૨ ઐતિહાસિક બાંધકામ આ સૂચિમાં સામેલ છે. એમાં હવે અહોમ મોઈદમનું નામ પણ ઉમેરાયું છે.
યુનેસ્કો દ્વારા પાછલા એક દાયકામાં ભારતનાં ૧૩ સ્થાનોને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેના પરિણામે ભારત અત્યારે દુનિયામાં સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઈટ ધરાવતો છઠ્ઠો દેશ બન્યો છે. આસામમાં આવેલા માનસ અને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનને અગાઉ કુદરતી વૈશ્વિક ધરોહર તરીકે માન્યતા મળી છે. જો કે અત્યાર સુધી ભારતનાં ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં કોઈ પણ ઐતિહાસિક બાંધકામને આ ખાસ દરજ્જો મળ્યો હોય એવો આ પ્રથમ દાખલો છે.
નવી દિલ્હી ખાતે હમણાં યોજાયેલી ૪૬મી વર્લ્ડ હેરિટેજ કમિટીમાં આ ૭૦૦ વર્ષ કરતાં પણ જૂનાં, ઐતિહાસિક અને અજોડ બાંધકામને વર્લ્ડ હેરિટેજ તરીકે માન્યતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ વિસ્તારમાં આમ તો કુલ ૩૮૬ જેટલા મોઈદમ મળી આવ્યા છે, પણ એમાંથી માત્ર ૯૦નું જ સારી રીતે જતન કરવામાં આવ્યું છે.
અત્યારના નાગાલૅન્ડ અને અરુણાચલ પ્રદેશના સીમાડાને અડીને આવેલા આસામના આ વિસ્તારમાં તાઈ-અહોમ પ્રજાતિના ચરાઈદેવ રાજવીઓનો સૂર્ય ૬૦૦ વર્ષ સુધી ઝળહળતો રહ્યો હતો. ૧૬૭૧માં પોતાના પરાક્રમથી મુગલોને હરાવનાર સેનાપતિ ચિત બોરફુકન પણ અહોમવંશનો જ હતો. ૧૯મી સદીમાં અંગ્રેજોના આક્રમણથી અહોમ સામ્રાજ્યનો અંત આવ્યો અને એમની પ્રજાને આ વિસ્તાર જતો કરવો પડ્યો હતો. એ વખતથી રેઢી પડેલી આ વિરાસતની છેક હવે યોગ્ય નોંધ લેવામાં આવી છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.