પ્રવાસન
ABHIYAAN|Abhiyaan Magazine 06/04/2024
પૂર્વનું સ્કોટલેન્ડ, શિલોન્ગ
રક્ષા ભટ્ટ
પ્રવાસન

આપણા ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. બીજી બાજુ હોળાષ્ટક પૂર્ણ થતાં ગરમીનો પારો તો રોજે રોજ રાજાની કુંવરી માફક વધી રહ્યો છે. એવી સ્થિતિમાં ભારતના બહુ બધા પ્રદેશો તરફ તો આંખ માંડીને જોઈ પણ નહિ શકાય, તો તે પ્રદેશમાં પ્રવાસ કરવાની તો વાત જ પડતી મૂકવી પડે.

પરંતુ ભારત તો ભારત છે, જેમાં ઋતુઓને ધ્યાનમાં રાખીને બારેય માસ રખડવાના પ્રદેશો ખૂટે એમ નથી. આવા અખૂટ ઇન્ડિયામાં આપણા ઉત્તર પૂર્વીય પ્રદેશોમાંનું મેઘાલય અને મેઘાલયમાં વળી મેઘાલયની રાજધાની શિલોન્ગ તો ઉત્તર-પૂર્વીય ભારતનું જોવા જેવું હિલ સ્ટેશન છે.

પૂર્વનું સ્કૉટલૅન્ડ ગણાતું શિલોન્ગ ઇસ્ટ ખાસી હિલ્સ જિલ્લાનું મુખ્યાલય હોવા ઉપરાંત ૪,૯૯૦ ફૂટથી માંડીને ૬,૪૩૩ ફૂટ સુધીનો સ્કાય વ્યૂ આપતું ગંતવ્ય છે.

શિલોન્ગ પ્લેટુ તરીકે જાણીતો આ પઠાર પ્રદેશ મેઘાલયનો હાઇલૅન્ડ વિસ્તાર છે. આસપાસના વિસ્તારથી ઊંચો પરંતુ ફ્લેટ ભૂપ્રદેશ ધરાવતું આ શિલોન્ગ એવું રોલિંગ ટેબલલૅન્ડ છે જેમાં તેની પશ્ચિમે, ઉત્તરે અને દક્ષિણે રહેલા માટીના ઢોળાવો અનુક્રમે ગારો, ખાસી અને જયંતિયા હિલ્સ તરીકે ઓળખાય છે.

બ્રિટિશ હકૂમત વખતે આસામની રાજધાની રહી ચૂકેલા કોલોનિયલ શિલોન્ગ શહેરમાં હરતાં-ફરતાં તેની વાસ્તુકલા અને ઑવરઑલ લૅ-આઉટ જોઈએ તો તેમાં બ્રિટિશ અસર અછતી રહેતી નથી.

તે ઉપરાંત શિલોન્ગનો પ્રવાસન ઇતિહાસ એવું પણ નોંધે છે કે વિશ્વના સૌથી જૂના ગોલ્ફ કોર્સિસમાંનો એક ગોલ્ફ કોર્સ શરૂ થવા સાથે જ શિલોન્ગમાં પ્રવાસનનો પણ પ્રારંભ થયો હતો અને ભારતની આઝાદી પછી તો લીલીછમ ટેકરીઓથી સભર આ પ્રદેશમાં દેશી-વિદેશી પ્રવાસીઓની ઉનાળુ અવરજવર વધી હતી. આ અવરજવર કે એક્સ્પ્લોરેશનમાં શિલોન્ગથી ચોવીસ કિલોમીટર દૂર રહેલી ડેવિડ સ્કૉટ ટ્રેઇલ પ્રવાસમાં રોમાંચ શોધતા સાધકોને મન સ્વર્ગ છે. બ્રિટિશ અમલદાર ડેવિડ સ્કૉટે બાંધેલો આ હોર્સ-કાર્ટ ટ્રંક આપણી માટે સોળ કિલોમીટરનો સાહસથી ભરપૂર ટૂંક છે, જ્યાં ટ્રૅક દરમિયાન દર્શનીય જળધોધ, સ્ફટિક જેવા સ્વચ્છ જળનાં ઝરણાં અને ગાઢ જંગલ આપણને નિત્ય નૂતન દૃશ્ય ફલકો પીરસવા આતુર હોય છે.

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 06/04/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 06/04/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
તિરુપતિ પ્રસાદના ઘીનાં ટેન્કર જીપીએસ સિસ્ટમથી સજ્જ
ABHIYAAN

તિરુપતિ પ્રસાદના ઘીનાં ટેન્કર જીપીએસ સિસ્ટમથી સજ્જ

નંદિનીનું વડું મથક જીપીએસ સિસ્ટમ મારફત ટૅન્કરો પર નજર રાખશે. ટૅન્કરો પર ગોઠવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક લૉકને માત્ર વડામથક દ્વારા મોકલવામાં આવેલ ઓટીપી દ્વારા જ ખોલી શકાશે

time-read
2 分  |
Abhiyaan Magazine 05/10/2024
હૃદય એટલે ભૌતિક અર્થમાં અંગ અને અભૌતિક અર્થમાં અનુભૂતિ...
ABHIYAAN

હૃદય એટલે ભૌતિક અર્થમાં અંગ અને અભૌતિક અર્થમાં અનુભૂતિ...

એક એવી કથા છે કે ભગવાને સૃષ્ટિની રચના કરી અને બધી વસ્તુઓ યોગ્ય જગ્યા પર ગોઠવી. એમાં છેલ્લે સત્ય વધ્યું, ઘણું વિચાર્યા બાદ ભગવાને સત્યને માણસના હૃદયમાં મૂક્યું !

time-read
3 分  |
Abhiyaan Magazine 05/10/2024
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ABHIYAAN

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે

time-read
3 分  |
Abhiyaan Magazine 28/09/2024
બિજ-થિંગ.
ABHIYAAN

બિજ-થિંગ.

‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા

time-read
5 分  |
Abhiyaan Magazine 28/09/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!

time-read
5 分  |
Abhiyaan Magazine 28/09/2024
કચ્છમાં મળી નવી વનસ્પતિ
ABHIYAAN

કચ્છમાં મળી નવી વનસ્પતિ

જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.

time-read
5 分  |
Abhiyaan Magazine 28/09/2024
વિવાદ
ABHIYAAN

વિવાદ

ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?

time-read
2 分  |
Abhiyaan Magazine 28/09/2024
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
ABHIYAAN

ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે

કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે

time-read
4 分  |
Abhiyaan Magazine 28/09/2024
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે

time-read
7 分  |
Abhiyaan Magazine 28/09/2024
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
ABHIYAAN

સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ

*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.

time-read
4 分  |
Abhiyaan Magazine 28/09/2024