આપણા દેશમાં ધાર્મિક સમારંભો, ધર્મસ્થાનો કે વિશેષ આયોજનો પર શ્રદ્ધાળુઓની ભીડની ભાગદોડથી અત્યંત દુઃખદ કહી શકાય તેવી દુર્ઘટનાઓ ઘણીવાર સર્જાઈ છે, જેમાં સેંકડો નિર્દોષ લોકો માર્યા ગયા છે. તાજેતરમાં આવી જ એક અત્યંત દર્દનાક ઘટના ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સિકંદરારાઉ વિસ્તારમાં ઘટી. ત્યાંના એક ભોલેબાબાના સત્સંગ સમારોહમાં સત્સંગ પૂરો થયા પછી પબ્લિકની ભાગદોડમાં ૧૨૧ લોકોનાં મૃત્યુ થયાં, જેમાં ૧૦૦થી વધારે મહિલાઓ હતી. અનેક ઘાયલ થયા. કહે છે કે ભોલેબાબાનો કાફલો નીકળી રહ્યો હતો ત્યારે તેમની ચરણરજ (ચરણસ્પર્શ થયેલી ધૂળ) લેવા ભીડમાં દોડાદોડી થઈ. કોઈ કહે છે કે ત્યાં નળમાં જે પીવાનું પાણી આવતું હતું, તે પીવાથી કોઈ પણ રોગ નિર્મૂળ થાય છે, તેવું ચમત્કારી હોવાનું માનીને તે પાણી લેવા માટે પણ પડાપડી થયેલી! ૨૦૦ વીઘા જેટલી જમીન પર બાબાનાં દર્શન કરવા બે લાખથી વધારે મેદની ઊમટી હતી. આવા સમયે ઉત્તર પ્રદેશની સરકારના વહીવટી તંત્રએ ત્યાં માત્ર ૬૯ પોલીસ જવાનો, એક એમ્બ્યુલન્સ અને એક ફાયરબ્રિગેડનું અગ્નિશામક વાહન ફાળવ્યા હતા. એક પણ ડૉક્ટર ત્યાં ફરજ પર નહોતા. સમારંભ સ્થળ હાઇવેના કિનારે હોવા છતાં વ્યવસ્થામાં ટ્રાફિક પોલીસ માત્ર ૪ હતા!
હવે આ દુર્ઘટના પછી જે શોરબકોર સંભળાય છે, તેમાં પોલીસ અને વહીવટી તંત્રની લાપરવાહી, આયોજકોની ગુનાહિત બેદરકારી, ભોલેબાબાની નિષ્ફિકર ભૂમિકા જેવું ઘણું ઘણું સંભળાય છે. વળી, ભોલેબાબાના વકીલ તો આશ્ચર્યજનક થિયરી લઈ આવ્યા છે. તેમણે ચાર દિવસ પછી શોધી કાઢ્યું કે, કોઈએ ભોલેબાબાની ઈર્ષ્યા ખાતર ષડયંત્ર કર્યું છે, કેટલાક લોકોના ટિફિનમાંથી ઝેરીલો પદાર્થ મળ્યો છે’! સરકારે મુખ્ય સ્વયંસેવકને પકડવા એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું અને હવે તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. ભોલેબાબાનું નામ એફઆઈઆરમાં નથી, અને બાબા કયાં છે તેની કોઈને ખબર નથી! હવે દુર્ઘટના અંગે પોલીસ તપાસ સાથે જ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ ત્રણ સભ્યોની એક ટીમની પણ રચના થઈ છે. સરકારે મૃતકોના પરિવારજનો અને ઘાયલોને રાહતરૂપી નાણાં ફાળવીને હાલ પૂરતો મામલો શાંત કર્યો છે.
દુર્ઘટનાઓનો વણથંભ્યો સિલસિલો :
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 20/07/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 20/07/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?