આકરા તડકા સામે બંડ પોકારતા ગરમાળો અને ગુલમહોર પુરજોશથી ખીલે છે, આગ ઝરતાં આકાશ સામે બોગનવેલ ગુલાબી આંદોલન ચલાવે છે. ત્યારે સમજાય છે કે વિષમ પરિસ્થિતિમાં બમણા વેગથી જીવન માટે ઝઝૂમવું એ નિસર્ગની તાસીર છે. ટકી રહેવું એ જીવ માત્રનો મંત્ર હોય શકે, પરંતુ મનુષ્ય એટલેથી અટકતો નથી. તેને માત્ર જીવંત રહેવાથી સંતોષ નથી. તે સતત પ્રગતિશીલ રહે છે. વિવિધ કલાઓ અને ઉપકરણોથી જીવનને સૌંદર્યમય અને સુવિધાપૂર્ણ બનાવવા મથતો રહે છે. આ રીતે લોકકલાઓ અને હસ્તકલાઓમાં ચોક્કસ પ્રદેશના લોકો, રીતરસમો અને ભૌગોલિક પરિસ્થિતિનો પ્રભાવ જોવા મળે છે.
ભારતમાં સૌથી વધારે વિષમ આબોહવા ધરાવતું રાજ્ય રાજસ્થાન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીં અગણિત કલા, પરંપરાઓ જન્મી છે અને વિકસી છે અને હાલમાં પણ જીવંત છે. થારના રણમાં આવેલું ‘કૅમલ કન્ટ્રી’ – બિકાનેર પ્રવાસીઓનું પ્રિય સ્થળ છે. રાજસ્થાનનું આ જૂનું શહેર વિશિષ્ટ ખાનપાન, લાલ પથ્થરમાંથી બનેલા કિલ્લા, મહેલો અને વિવિધ જોવાલાયક ઐતિહાસિક સ્થળો માટે પ્રસિદ્ધ છે અને અહીં આવેલા રાજસી મહેલોનો વૈભવી શણગાર છે - ‘ઉસ્તા કલા’.
શ્રેષ્ઠતાના પર્યાય તરીકે ફારસી શબ્દ ‘ઉસ્તાદ’ પરથી અપભ્રંશ થઈને ‘ઉસ્તા’ તરીકે તેનું નામકરણ થયું છે. ઉસ્તા ચિત્રોની પરંપરા ૧૭મી સદીની છે. એવું માનવામાં આવે છે કે, પર્શિયામાંથી મુલતાન થઈને પછી મુગલ દરબારો સુધી પહોંચી છે. આ રીતે મૂળ પર્શિયા - ઈરાનમાં જન્મેલી આ કલા મુઘલો સાથે ભારતમાં આયાત થઈ. મુઘલ રાજાઓ દ્વારા પોતાના મહેલોને સજાવવામાં માટે ઉસ્તા કારીગરોને ભારતમાં લાવવામાં આવેલા.
આ કારીગરો ભારતમાં જ વસી ગયા અને તેમણે પોતાની બેનમૂન કારીગરી પ્રમાણિત કરી. ખાસ કરીને દિલ્હી દરબાર અને પશ્ચિમ ભારતના મુઘલ શાસિત પ્રદેશોમાં તેનો પ્રચાર અને પ્રસાર થયો. કહેવાય છે કે શારજહાંના શાસનકાળમાં મોટી સંખ્યામાં કારીગરોને ભારત લાવવામાં આવેલા.
રાજપૂત રાજાઓએ પણ આ કલા અને કલાકારોને ઘણું પ્રોત્સાહન આપ્યું. બિકાનેરના રાજા રાયસિંહજી અકબરના દરબારમાં હતા. આ કલા શૈલીથી પ્રભાવિત થઈને તેઓ ઉસ્તા કલાકારોને બિકાનેર લઈ આવ્યા. રાજસ્થાનની પ્રાદેશિક કલા સાથે જોડાઈને આ ઉસ્તા કલા ખૂબ લોકપ્રિય બની. તેનો યશ રાજા રાયસિંહને ફાળે જાય છે. તેમણે ઉસ્તા કલાના ઉત્તમ કલાકારોને બિકાનેરમાં લાવવાની પહેલ કરીને નવો પ્રવાહ વિકસાવ્યો.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 24/08/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 24/08/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?