એનાલિસિસ.
ABHIYAAN|Abhiyaan Magazine 28/09/2024
કેજરીવાલનું રાજીનામું : આપત્તિને અવસરમાં પલટાવી શકાશે?
સુધીર એસ. રાવલ
એનાલિસિસ.

ઘણીવાર માઠા સમાચાર પણ સુખદ્ અનુભૂતિ કરાવે અને સારા સમાચાર દુ:ખી પણ કરી દે! આવું સમાજજીવનમાં પણ બનતું હોય છે અને રાજકારણમાં પણ બનતું હોય છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવી ગયા અને ગણતરીના કલાકોમાં તેમણે અચાનક રાજીનામાની કરેલી જાહેરાત ભાજપ અને કોંગ્રેસ બંને માટે આવા જ એક સમાચાર છે!

અત્યાર સુધી કેજરીવાલને ભ્રષ્ટાચારી સાબિત કરવામાં રાત-દિવસ એક કરી રહેલા ભાજપ માટે તેમને જેલમાં જ રાખવા અત્યંત જરૂરી હતું, પરંતુ સર્વોચ્ચ અદાલતે કોઈ પણ નક્કર પુરાવા વગર કેજરીવાલને મહિનાઓ સુધી જેલમાં રાખવાની સીબીઆઈની કુટિલ નીતિ-રીતિની પોલ ખોલી નાખી અને તેમને છોડી મૂક્યા. ભાજપ માટે સ્વાભાવિક રીતે જ આ માઠા સમાચાર છે, પરંતુ હરિયાણાની ચૂંટણીમાં મતવિભાજનનો લાભ લઈને કોંગ્રેસને હરાવવી હોય તો કેજરીવાલને મેદાનમાં છુટ્ટા મૂકી દેવામાં જ ભાજપનો લાભ છે, કારણ કે હરિયાણામાં ‘ઇંડિયા' ગઠબંધનના સાથી તરીકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોડાણ નથી!

કોંગ્રેસ માટે આ બાબત સિક્કાની બીજી બાજુ જેવી છે. ‘ઇન્ડિયા' ગઠબંધનના સાથી અને મોદી વિરોધી જૂથના મહત્ત્વના નેતા તરીકે કેજરીવાલને જામીન મળ્યા તે ખુશીની વાત, પરંતુ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષો ‘સામસામે' છે, ત્યારે કેજરીવાલનું ‘બહાર’ હોવું એ સમાચાર કેટલા ખુશીભર્યા કહેવાય?! હાલ કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને કેજરીવાલને જામીન મળ્યા તે બાબતે ખુશી વ્યક્ત કરવી કે ન કરવી, તેની ભારે દ્વિધા છે! કેજરીવાલ ભાજપ સામે જેટલા પ્રહારો કરશે તેટલા કોંગ્રેસના મતો જ કપાશે, કારણ કે અગાઉ ગુજરાત, દિલ્હી અને પંજાબ જેવાં રાજ્યોમાં ત્યાંની વિધાનસભા ચૂંટણીએ આ જ સાબિત કરેલું. ભાજપ અને કોંગ્રેસ બંનેના ચૂંટણી રણનીતિકારો આ ગણિત બરાબર સમજે છે. વિષય અટપટો છે પણ સમજવો જરૂરી એટલા માટે છે કે આગામી દિવસોમાં યોજાઈ રહેલી હરિયાણા અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી ઉપરાંત ત્યાર પછી તરત આવી રહેલી મહારાષ્ટ્ર અને દિલ્હીની ચૂંટણી પર તેનો પ્રભાવ પડશે, જે આગળ જતા કેન્દ્રની મોદી સરકારની સ્થિરતાને પણ અસરકર્તા સાબિત થવાનો છે. વળી કેજરીવાલે આપેલા રાજીનામાની ચતુર ચાલ પાછળ કેટલી ચતુરાઈ અને કેટલી મજબૂરી છે, તે પણ સમજવું જરૂરી છે.

ઓચિંતો ઘટનાક્રમ:

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 28/09/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 28/09/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ABHIYAAN

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે

time-read
3 分  |
Abhiyaan Magazine 28/09/2024
બિજ-થિંગ.
ABHIYAAN

બિજ-થિંગ.

‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા

time-read
5 分  |
Abhiyaan Magazine 28/09/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!

time-read
5 分  |
Abhiyaan Magazine 28/09/2024
કચ્છમાં મળી નવી વનસ્પતિ
ABHIYAAN

કચ્છમાં મળી નવી વનસ્પતિ

જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.

time-read
5 分  |
Abhiyaan Magazine 28/09/2024
વિવાદ
ABHIYAAN

વિવાદ

ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?

time-read
2 分  |
Abhiyaan Magazine 28/09/2024
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
ABHIYAAN

ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે

કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે

time-read
4 分  |
Abhiyaan Magazine 28/09/2024
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે

time-read
7 分  |
Abhiyaan Magazine 28/09/2024
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
ABHIYAAN

સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ

*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.

time-read
4 分  |
Abhiyaan Magazine 28/09/2024
હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા

આજના યુગના હાર્ટના કેટલાક હૃદયગમ્ય ઉપચારો

time-read
7 分  |
Abhiyaan Magazine 28/09/2024
શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા
ABHIYAAN

શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા

*દુનિયાના દરેક ખૂણામાં લોકો વિવિધ પ્રકારની માન્યતાઓ ધરાવે છે. *અમેરિકન સ્ટડીઝમાં ડૉક્ટરેટ ધરાવતા કોરીએ અમેરિકન સૈનિક, નાવિક, વિમાન ચાલક વગેરેમાં પ્રવર્તતી માન્યતાઓનો અભ્યાસ કરેલો છે, તેની વાત કરવી હોય તો પુસ્તકો લખાય. *અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાં પણ અનેક માન્યતાઓ પ્રવર્તે છે.

time-read
8 分  |
Abhiyaan Magazine 28/09/2024