
જુઓ, આ જૅકી છે. એ પંદરેક દિવસનો હતો અને જન્મ્યા પછી એની આંખ હજી માંડ ખૂલી હતી. એ ઊભા થવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ એના ચારે પગ પેરેલાઈઝ્ડ હતા. હું એને આજુબાજુના ત્રણ-ચાર ડૉક્ટર્સ પાસે લઈ ગઈ, પણ ક્યાંય સારવાર ન મળી. ઊલટાનું, એવો જવાબ મળ્યો કે બહેન, એને ભગવાન ભરોસે છોડી દો.. હું ઘડીભર માયૂસ થઈ ગઈ. જૅકીની આંખમાં આંખ પરોવીને જોયું તો જાણે એ મને એવું કહી રહ્યો હતો કે શું તું પણ મને તરછોડી દઈશ..? બસ, એને ન છોડવાનું નક્કી કરી હું જૅકીને ઘરે લઈ આવી. કેટલાક મિત્રોની મદદથી પાટાપિંડી કરી સારવાર શરૂ કરી અને થોડા દિવસોમાં એ ધીરે ધીરે ચાલતો થઈ ગયો. મારી ખુશીનો પાર ન રહ્યો. આ જૅકી આજે ૧૨ વર્ષનો થયો છે..!'
પોરબંદરનાં નેહલ કારાવદરા જેના વિશે આટલી વહાલપ સાથે એકશ્વાસે બોલે છે એ જૅકી નામના શ્વાને તો એમની જિંદગીને એક નવા વળાંક પર લાવીને મૂકી દીધી છે. એ ઘટનાને ૧૨ વર્ષ જેટલો લાંબો સમય થવા છતાં આજે પણ કોઈ જૅકી શબ્દ બોલે તો એમના ચહેરા પર ખુશી છવાઈ જાય છે. કણસતા શ્વાનનો જીવ બચી ગયો એનો આનંદ પછી તો આવા અનેક અબોલ જીવોને જિંદગી આપવા પ્રેરણારૂપ બન્યો.
આ ઘટના પછી તો જ્યાં પણ કોઈ પશુ-પંખી બીમાર હોવાના ખબર મળે તો નેહલબહેન તરત ત્યાં પહોંચી એને સારવાર આપે છે. વાત માત્ર આટલેથી અટકતી નથી, આવાં અનેક પશુ-પક્ષીને બીજે ક્યાંય રાખવાની જગ્યા ન મળી તો પોતાના ઘરમાં જ એ અબોલ જીવોને એમણે આશ્રય આપ્યો. આજે આ મહિલાના ઘરે અનેક પંખી અને કૂતરા-બિલાડી જ્યાં-ત્યાં (અને ઘરના સોફા પર પણ) બેઠાં હોય છે તો ક્યારેક આખા ઘરમાં બિન્દાસ આંટા મારતાં હોય એવાં દશ્યો જોવા મળે છે.
પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલા પોતાના ઘરના બગીચાને જ ડૉ. નેહલ કારાવદરાએ અબોલ જીવ માટે ઘર બનાવી દીધો છે. આજે એમાં ૬૦ જેટલા શ્વાન અને પંદરેક બિલાડી છે, વિવિધ પ્રજાતિનાં આશરે ૭૦ પંખી તો ૧૫૦ જેટલી ગાય છે. આજે શહેરી જીવનમાં ઘરે એક શ્વાનને પાળવો મુશ્કેલ બને છે ત્યારે આટલાં પશુ-પંખીને સાચવવાનું પડકારભર્યું કામ નેહલબહેન કરી રહ્યાં છે.
この記事は Chitralekha Gujarati の February 06, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の February 06, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

આ... અબ તો લૌટ ચલેં!
ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

નો માર્કેટિંગ
… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

મજા હારમાં છે, ગજબ ગેમ છે...
જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

જસ્ટ, એક મિનિટ..
વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.