
કડી પત્તાં જેવા છોડ બહુ માવજત માગી લેતા નથી.
સારી માટી કે કમ્પોસ્ટ બનાવી લીધા પછી એના હાર્વેસ્ટિંગ વિશે-ઉપયોગ વિશે જાણવાનું અત્યંત જરૂરી છે.
જે માટલા કે કૂંડામાં માટી બનાવી રહ્યા હોઈએ એમાં સામગ્રી ઉમેર્યાના ચાર-પાંચ દિવસ પછી એને ખોલશો તો ઢગલો નીચે દબાયેલો દેખાશે એટલે ખાલી પડેલી જગ્યા પૂરવા નવી સામગ્રી ઉમેરવાનું મન થશે. જો કે અહીં સવાલ એ છે કે આ રીતે ફ્રેશ મટીરિયલ નાખતાં જ જઈએ તો હાર્વેસ્ટ ક્યારે કરીશું? જવાબ છે કે ૧૦૦ ટકા ભરેલા માટલામાંથી ત્રીસથી ૪૦ ટકા કમ્પોસ્ટ જ મળવાનું છે. એના ટૉપ લેયરની સામગ્રીને દૂર કરતાં નીચેના સ્તરની સામગ્રીનો રંગ કાળો અથવા તો ઘેરો થઈ ગયો હોય, માટીનું તાપમાન ઠંડું હોય અને કચરાની દુર્ગંધને બદલે ભીની માટીની સરસ સુગંધ આવતી હોય તો એના હાર્વેસ્ટ-વપરાશ કરી શકાય.
મોટા ભાગની સામગ્રી વિઘટિત થઈ ગઈ હશે, પણ મકાઈના ડોડા, કેરીના ગોટલા, વગેરે અધકચરા જ ગળ્યા હશે. એના પૂર્ણ વિઘટનની રાહ જોયા વિના ખાતરનો ૭૦ ટકા જથ્થો કાઢી લેવો અને તળિયામાં ચોટેલો માટીવાળો ભાગ રહેવા દેવો. એમાં માઈક્રોબલ ઍક્ટિવિટી પૂર્ણ કક્ષાએ વિકસેલી હોવાથી નવો બેચ વધુ ઝડપથી અને વધુ સારો બનશે. આ તળિયા પર ફરીથી નવા ઑર્ગેનિક વેસ્ટ ઉમેરીને બીજો બેચ ચાલુ કરી શકીએ છીએ.
この記事は Chitralekha Gujarati の May 08, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の May 08, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

આ... અબ તો લૌટ ચલેં!
ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

નો માર્કેટિંગ
… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

મજા હારમાં છે, ગજબ ગેમ છે...
જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

જસ્ટ, એક મિનિટ..
વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.