દુનિયાઆખીને ઉધ્વસ્ત કરી નાખનાર જીવલેણ કોરોના વાઈરસની બીમારીએ વારાણસીમાં વસતાં જ્યોતિ પરીખના જીવન પર જાણે બ્રેક લગાવી દીધી. મૂળ વડનગરના વિશા વણિક વૈષ્ણવપરિવારમાંથી આવતાં ને આયખાના સાડા પાંચ દાયકા વટાવી ચૂકેલાં જ્યોતિબહેનના પતિ રાજીવ પરીખનો જ્ઞાનનગરી વારાણસીમાં ઈલેક્ટ્રોનિક્સનો સ્ટોર. થોડા સમય પહેલાં વેપારમાં દગો-વિશ્વાસઘાતનો ફટકો વાગતાં એમણે સરકારી ટેન્ડર પર ધ્યાન દોર્યું. માંડ થોડાં વર્ષે પરીખપરિવાર સ્થિર થયો ત્યાં આવ્યો. કોવિડ ને ૨૦૨૦ના ડિસેમ્બરમાં સાઠ વર્ષી રાજીવભાઈનું અકાળ અવસાન થયું. પરીખપરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. પત્ની અને જવાન પુત્ર-પુત્રીનાં જીવન જાણે થંભી ગયાં.
૨૬ વર્ષની ગરિમા પ્રિયદર્શિનીને કહે છેઃ ‘એવું નહોતું કે પપ્પાના એકાએક જવાથી અમે રસ્તા પર આવી ગયાં. મારા ભાઈ ગર્વીતે પપ્પાનું કામકાજ સંભાળવા માંડ્યું, પણ આર્થિક સંકટ હતું ખરું. એથીય વિશેષ ચિંતા મમ્મીની હતી, કેમ કે મમ્મીનું જીવન પપ્પાની આસપાસ જ ફરતું. એનો દિવસ ઊગતો પપ્પાનાં ચા-નાસ્તાથી ને રાત પડતી ડિનર તથા નિયમિત લેવાતી એમની દવા-ગોળીથી. પપ્પા વારાણસીના સમાજમાં આગળ પડતા હતા, જાણ્યાઅજાણ્યાને, દીનદુખિયાને મદદ કરવી, સારા-નરસા પ્રસંગમાં ઊભા રહેવું, ઘરે આવનારનો આતિથ્યસત્કાર, વગેરે ચાલુ જ હોય. એ કારણે અમારે ત્યાં મહેમાનોનો આવરોજાવરો સતત રહેતો. જો કે પપ્પા અવારનવાર મમ્મીને મનગમતી પ્રવૃત્તિ કરવા પ્રોત્સાહન આપતા, પણ એ વિશે વિચારવાનો એને સમય જ મળ્યો નહોતો. પપ્પાની ઓચિંતી વિદાયથી મમ્મીને પ્રચંડ આઘાત લાગ્યો હતો. એ એકલી પડતી ને જૂની યાદોમાં ખોવાઈ જતી. એને આમાંથી બહાર કાઢવી, કશીક પ્રવૃત્તિમાં વ્યસ્ત કરવી જરૂરી હતું. ટૂંકમાં, એવું કશુંક કરવું, જેથી જીવનની અટકી ગયેલી ગાડી ફરી દોડતી થાય...’
એ અરસામાં વારાણસીમાં પરીખપરિવારની સ્નેહી એવી યુવતી શિખા શાહે હસ્તબનાવટના કારીગરો માટે સ્થાપેલી સ્ક્રેપશાલામાં એક ઈવેન્ટનું આયોજન કર્યું, જેમાં જ્યોતિબહેન-ગરિમાએ ગુજરાતી વાનગીઓનો સ્ટૉલ રાખ્યો. વાનગીઓ ખૂબ વખણાઈ એટલે મા-દીકરીએ ૨૦૨૧ના માર્ચમાં શરૂ કર્યું: ધ ગુજ્જુ ઠેલા.
この記事は Chitralekha Gujarati の July 01, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の July 01, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
સોશિયલ મિડિયા એડિક્શનઃ તમે ભાન ભૂલી ગયા છો?
બીજાની ‘લાઈક્સ’ મેળવવાનો નશો વળગણ બની જાય એ પહેલાં ચેતો તો સારું.
આ બચૂકડાં બિયાં છે બડાં ગુણકારી
જીવનજરૂરી સત્ત્વોથી ભરપૂર સીડ્સ ઘણી બીમારી સામે આપે છે રક્ષણ.
કંઈ કરવાની જરૂરત નહોતી, પણ એને તો ઝંખના હતી સ્વઓળખ મેળવવાની
એનો જન્મ જાહોજલાલી વચ્ચે થયો. ધનાઢ્ય પિતાની એકમાત્ર દીકરી તરીકે ઉછેર પણ ભારે લાડકોડભર્યો અને પછી સાધનસંપન્ન પરિવારમાં લગ્ન. સુખસાગરથી છલોછલ આ નારીને તેમ છતાં કંઈક અધૂરપ લાગતી, હજી કંઈક ખાલીપો છે એવું લાગતું. એ ખાલી જગ્યા હતી સ્વઓળખ માટેની, જેને મેળવવા માટેની જાત સાથેની જ લડાઈ અનેક મહિલાને પ્રેરણા આપે છે.
ભારતના દિલમાં વાઘ ઉપરાંત શું શું છે જોવા જેવું?
સાતપૂડા ટાઈગર રિઝર્વ મધ્ય પ્રદેશમાં છ-છ ટાઈગર રિઝર્વ છે. જો કે એ બધાંમાં સાતપૂડાનું સ્થાન કંઈક ઔર છે. ખાસ્સો મોટો વિસ્તાર અને એમાં વન્યજીવોની ભરમાર. છોગામાં, સદીઓ અગાઉના રૉક પેન્ટિંગ્સ સાથેની અનેક ગુફા સાતપૂડાને અન્ય જંગલથી અલગ પાડે છે. વળી, એની નજીકમાં જ છે મધ્ય પ્રદેશનું કશ્મીર ગણાતું પંચમઢી હિલસ્ટેશન.
નકલી ઘી એટલે ક્ષતિ કે ષડયંત્ર?
બાલાજી મંદિર ૧૮૫૭માં ગૌમાંસની ચરબી ચોડેલા કારતૂસની અફવા પ્રસરી ત્યારે અંગ્રેજો સામે ભારતીયોએ વિપ્લવ કર્યો હતો, હવે તિરુપતિના વેંકટેશ્વરા મંદિરના લાડુપ્રસાદમાં વપરાયેલાં ઘીમાં ગાયની ચરબી તથા અન્ય વાંધાજનક સામગ્રી મળી હોવાના લૅબ રિપોર્ટથી દુનિયાભરના હિંદુઓ ખળભળી ઊઠ્યા છે. વિશ્વમાં સૌથી ધનિક ગણાતા આ બાલાજી મંદિરનું સંચાલન રાજ્ય સરકાર નિયંત્રિત બોર્ડના હાથમાં છે. નકલી ઘીનો વર્તમાન વિવાદ મોટી આગ પકડશે તો આ દેવસ્થાનમમાં ભક્તોએ ભાવથી ચઢાવેલી રોકડ ભેટનો ઉપયોગ ઈતર ધર્મીઓના તુષ્ટીકરણ માટે થતો હોવાનો અને એના વહીવટી મંડળમાં બિનહિંદુઓના સમાવેશના મુદ્દા પણ ઊછળશે જ.
વેદનાની હાઈ-ટેક વસૂલાત...
પેજર, વૉકીટૉકી બૉમ્બધડાકા, એક જ હવાઈ હુમલામાં સાડા ચારસોથી વધુ લેબનીસ નાગરિકનાં મોત... લેબેનોનમાં હિઝબુલ્લાહના વિનાશવાદીઓ સામે બદલો લેવા ઈઝરાયલે કરેલા હાઈ-ટેક અટેક પાછળ જેનું ભેજું કામ કરે છે એ યુનિટ તથા એની વિવિધ કામગીરીની અલ્પ જાણીતી વાતો.
જૂથવાદનો ગિરનારી પવન કોનું વહાણ ડુબાડશે?
ભાજપમાં એક તરફ સદસ્યતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢમાં જવાહર ચાવડાએ પાર્ટી સામે જાહેરમાં જંગ છેડીને પ્રદેશ નેતાગીરીને પડકારી છે.
૩૬૫ દિવસ ૨૪ કલાક ખુલ્લું રહેતું પુસ્તકાલયઃ ન કોઈ ડિપોઝિટ-ન લવાજમ
આ છે જિતુભાઈ ચૂડાસમાની તાળાં વારની લાઈબ્રેરી: અહીં તો વાચકો જ બને છે પુસ્તકોના રખેવાળ.
મન કે ઝરોખે મેં ઝાંક કર તો દેખિયે...
‘રણ સહસ્ર યોદ્ધા લડે, જીતે યુદ્ધ હજાર, પર જો જીતે સ્વયં કો, વહી શૂર સરદાર.’ અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ જેવા ભવરોગથી મુક્તિ પામવા સ્વયંને જીતવાની સાધના કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. સંસારની દરેક વ્યક્તિ બુદ્ધપદે ન પહોંચી શકે, પણ બુદ્ધે આપેલી વિપશ્યના સાધનાના અભ્યાસ થકી પોતાના મનને તો જીતી જ શકે. અઢી સૈકા જૂની, પણ ભારતમાંથી લુપ્ત થયેલી આ પ્રાચીન ધ્યાનપદ્ધતિને પંચાવન વર્ષ પહેલાં ફરી સ્વદેશ લઈ આવનારા સત્યનારાયણ ગોએન્કાજીએ મુંબઈમાં નિર્મિત કરેલા પગોડામાં ભગવાન બુદ્ધનો સંદેશ હવે લાઈટ ઍન્ડ સાઉન્ડ મ્યુઝિયમ રૂપે સમજવા મળે છે.
આપણે કોની પાછળ ભાગીએ છીએ?
આંબી શકતા નથી ચરણ એને એટલી ઝડપે પ્યાસ ચાલે છે એમ ચાલે છે જિંદગી જાણે જિંદગીનો રકાસ ચાલે છે.