સામાન્ય રીતે દર ફેબ્રુઆરીમાં રજૂ થતું કેન્દ્ર સરકારનું બજેટ આ વખતે લોકસભા ચૂંટણીને કારણે ગયા મહિને સંસદમાં રજૂ થયું અને થોડા દિવસમાં એ વિધિવત્ પસાર થશે એ સાથે એનો અમલ શરૂ થશે.
બજેટમાં બીજા કરવેરાના પ્રમાણમાં વધુ ચર્ચા આવકવેરાની થાય છે. જો કે હકીકત એ છે કે દેશની પાંચ ટકા પ્રજા જ ઈન્કમ ટૅક્સ એટલે કે આવકવેરો ભરે છે. આમ તો સદીઓથી આપણે ત્યાં જુદા જુદા પ્રકારે, જે-તે સમયના શાસકો દ્વારા આવકવેરો લેવામાં આવતો હતો, પરંતુ અત્યારે જે રીતે આ વેરો વસૂલ કરવામાં આવે છે એ માળખું બ્રિટિશરાજના સમયનું છે. અંગ્રેજ સરકારે ૧૮૬૦માં ભારતમાં આ ટૅક્સ લાગુ કર્યો હતો, એનું કારણ થોડું વિચિત્ર હતું. વાત એમ બની કે ૧૮૫૭ની સશસ્ત્ર ક્રાંતિ વખતે બ્રિટિશરાજે સારુંએવું નુકસાન વેઠવું પડ્યું હતું, ઉપરાંત એ વખતે ચાલી રહેલા એંગ્લો-રશિયન યુદ્ધ માટે બ્રિટિશરોને નાણાભંડોળની જરૂરત હતી. પરિણામે બ્રિટિશ સરકારે ૧૮૬૦ની ૨૪ જુલાઈએ ભારતમાં પ્રથમ વાર આવકવેરો વસૂલવાની શરૂઆત કરી. અલબત્ત, બ્રિટિશરોએ લાદેલો આ કરવેરો શરૂઆતમાં પૈસાવાળા લોકો અને અંગ્રેજ અમલદારો પર જ લાગુ પડતો હતો. પાછળથી આવકવેરાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા.
૧૮૭૦ના દાયકામાં મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં મહાપાલિકા બની ત્યારે આવકવેરો ભરનારા રડ્યાખડ્યા નાગરિકોને જ એની ચૂંટણીમાં મતાધિકાર આપવામાં આવ્યો હતો!
આઝાદી પછીના દોઢ દાયકે (૧૯૬૧માં) સંસદે આવકવેરા ધારો પસાર કર્યો. આ ઍક્ટ પછી પ્રથમ વાર ભારતમાં પગાર, ધંધો, નફો, મિલકત અને અન્ય સ્રોત દ્વારા થતી આવક પર જુદો જુદો ટૅક્સ લાગુ કરવાની શરૂઆત થઈ. અત્યારે તો આપણે પોતે ઘેરબેઠાં ઈન્કમ ટૅક્સ ભરી શકીએ એવી સવલત પણ ઉપલબ્ધ છે. જો કે આ સુવિધા શરૂઆતમાં નહોતી, ૧૯૯૪માં PAN કાર્ડ આવ્યા પછી ૨૦૦૬-૦૭માં ઈન્કમ ટૅક્સની ઈ-ફિલિંગ સેવા શરૂ કરવામાં આવી હતી.
પ્રજાને કોઈ પણ પ્રકારની સુવિધા આપવા માટે સરકાર પાસે આવકના જુદા જુદા સ્રોત હોવા જોઈએ. રાજ્યનો વિકાસ ત્યારે જ થાય જ્યારે પ્રજા પણ રાજ્યની કમાણીમાં યથાયોગ્ય ફાળો આપે. આવકવેરો આ પ્રકારનું એક યોગદાન છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ કરવેરો વસૂલ કરવાનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે.
この記事は Chitralekha Gujarati の August 19, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の August 19, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.