૧૯૮૬-૮૭ની વાત. સુરતના રાજમાર્ગ પરથી બાપ્પાની વિસર્જનયાત્રા પસાર થઈ રહી છે. ઢોલના ધબકારે ભક્તો નાચી રહ્યા હતા. એવામાં વાહન ટેકઓવર કરવાના મામલે બે ગણેશમંડળ વચ્ચે ચકમક ઝરી. ઝઘડો વધ્યો અને ધિંગાણામાં ત્રણ યુવાનોની હત્યા થઈ. શહેર આખું સ્તબ્ધ.
ગણેશ ઉત્સવ દરમિયાન આવાં કેટલાંય દૂષણો એ સમયે હતાં, જેને નાબૂદ કરવાના નિર્ધાર સાથે સુરતમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિનો જન્મ થયો. ત્યારથી આજ સુધી અનેક સામાજિક બદલાવ સાથે સુરતમાં આ સમિતિના માર્ગદર્શન હેઠળ ગણેશ ઉત્સવની ઉજવણી થાય છે.
ઈતિહાસ જોઈએ તો લોકમાન્ય ટિળકે સાર્વજનિક ગણેશ ઉત્સવનો આરંભ કરાવ્યો એ વાયરો સુરત સુધી પણ પહોંચ્યો. ૧૯૪૨માં ગોપીપુરા હિંદુ મિલન મંદિરમાં પ્રથમ સાર્વજનિક ગણેશોત્સવ ઊજવાયો. આઝાદી પછી આ ઉજવણીનો વિસ્તાર થયો, પરંતુ સાથે દૂષણો પણ ઘૂસ્યાં. પંડાલમાં દારૂ-જુગારની મહેફિલ, મોડી રાત સુધી લાઉડસ્પીકર પરથી ગીતોનો અવાજ, દર્શન અને વિસર્જનની ભીડમાં છેડતી, ધમાલ, મારામારી, હત્યા... અને છેલ્લે ટ્રિપલ મર્ડરની ઘટના બાદ સુરતના સંતજનોનું હૃદય દ્રવી ઊઠ્યું કે ભગવાનના ઉત્સવની આવી કેવી વલે?
ક્યાંક બાપ્પાને લાખોના દામીના ચહે છે, ક્યાંક એમના આગમન વખતે લાખોના ખર્ચે રોશની કરવામાં આવે છે તો ક્યાંક દસ દિવસ એમને બિરાજમાન કરવા હીરામહેલ તૈયાર થાય છે. ગણેશોત્સવ નિમિત્તે સુરતમાં જનજાગૃતિના કાર્યક્રમ થાય છે અને શહીદોના પરિવારને સહાય પણ કરવામાં આવે છે.
આ વચ્ચે દૈનિક ગુજરાત મિત્રમાં ભગવતીકુમાર શર્માનો આ વિષય પરનો લેખ આવ્યો ને ૧૯૮૮માં અંબરીષાનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ ૧૫ સંતોની ગાઈડલાઈન મુજબ ગણેશ ઉત્સવ સમિતિની રચના થઈ. સમિતિએ આચારસંહિતા ઘડીને લોકોને એ મુજબ ઉજવણી કરવા પ્રેર્યા. રસ્તામાં કંકુગુલાલ ઉડાડવાનું બંધ થયું, ચોક્કસ રૂટ બન્યા, ઓવારાની સંખ્યા વધારાઈ, પોલીસ-પાલિકા વચ્ચે સંકલન થયું અને લોકોને માટીની મૂર્તિ માટે પ્રેરિત કરવા છેલ્લાં ચાર વર્ષથી સમિતિ દ્વારા ઝુંબેશ પણ ચાલે છે.
この記事は Chitralekha Gujarati の September 16, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の September 16, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.