અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય રામમંદિરના ઉદ્ઘાટન અને રામલલ્લાની નવી પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાનું પવિત્ર કાર્ય સંપન્ન થઈ ગયું છે. મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર રાજ્યપાલ આનંદીબહેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃ ત્યગોપાલદાસ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત હાજર રહ્યા હતા. પ્રાણપ્રતિષ્ઠાના આ ભવ્ય સમારંભમાં દેશભરમાંથી અગ્રણી સંતો, મહંતો, ધર્મગુરુઓ, ઉદ્યોગપતિઓ, કલાકારો, રમતવીરો, રાજકીય નેતાઓ, કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો સહિત અનેક ભાવિક ભક્તો હોશભેર હાજર રહ્યા હતા. વડાપ્રધાને પ્રસંગને અનુરૂપ તેમના સંબોધનમાં કહ્યું કે, ‘હવે આપણે દેશવાસીઓએ આ ક્ષણે જ સમર્થ, સક્ષમ, ભવ્ય, દિવ્ય ભારતના નિર્માણ માટે સોગંદ લેવાના છે. આપણી ચેતનાનો વિસ્તાર રામથી રાષ્ટ્ર સુધી કરવાનો છે. હનુમાનજીની સેવા અને સમર્પણ એવા ગુણ છે, જે આપણે બહાર ક્યાંય શોધવા નથી પડતા. પ્રત્યેક ભારતીયમાં ભક્તિ, સેવા અને સમર્પણના ભાવ ભારતના વિકાસનો આધાર બનશે. પ્રાચીન કાળથી દેશના દરેક ખૂણામાં લોકો રામના રસનું આચમન કરે છે.’
પ્રાણપ્રતિષ્ઠા સમારંભ પૂરો થયા પછી રામમંદિરની બહાર હાજર હજારો મહેમાનો પર આર્મી હેલિકૉપ્ટરથી ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં હાજર ૧૨૦૦૦થી વધુ આમંત્રિત મહેમાનોએ જય શ્રીરામના જયઘોષથી વાતાવરણ ગજવી દીધું હતું. સૂર્યોદયથી લઈને સમગ્ર દિવસ દરમિયાન અને મોડી રાત્રિ સુધી સમગ્ર દેશમાં રામ નામનો અનોખો ઉત્સવ ઊજવાતો રહ્યો, જાણે પ્રભુ શ્રીરામ ધરતી પર સ્વયં પધાર્યા હોય!
Denne historien er fra February 03, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra February 03, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર