લોકશાહીમાં ન્યાયપાલિકાનું બંધારણમાં મહત્ત્વ અનેરું છે. આપણા ન્યાયપાલિકાની જવાબદારી બંધારણનું રક્ષણ કરવાની એટલે કે સૌથી મહત્ત્વની જવાબદારી છે. દેશના નાગરિકો માટે ન્યાય, સમાનતા અને સ્વતંત્રતા ઉપરાંત સુખાકારી, પ્રગતિ, માટેની બાંહેધરી આપતા બંધારણની રક્ષા ન થાય તો દેશની ગાડી આડા પાટે ચડી જાય, અને તેનાં માઠાં પરિણામો શું અને કેવા આવે?, તે સમજવું હોય તો બરબાદીની કગાર પર પહોંચેલા દુનિયાના કેટલાક દેશો પર નજર નાખવી જોઈએ, જેના પતનની કહાણી ઇતિહાસમાં મોજૂદ છે. સદ્નસીબે આઝાદી પછીના આજ સુધીના ઇતિહાસમાં ભારતની અદાલતો પર જનસામાન્યનો ભરોસો મહદ્અંશે ટકી રહ્યો છે તેવું કહી શકાય, કારણ કે હજુ પણ લોકો ન્યાય માટે અદાલતના દ્વાર ખટખટાવે છે. જોકે Justice Delayed' જ ‘Justice Denied'ના સિદ્ધાંત મુજબ વિચારીએ તો આપણી અદાલતોમાં ન્યાય મળે જ છે, તેવું કહી શકાય તેમ નથી. જનસામાન્યને સમયસર ન્યાય મળે તે માટે આપણી અદાલતો અને સમગ્ર ન્યાયપ્રક્રિયામાં અનેક પ્રશ્નો છે અને અનેક સુધારાઓ જરૂરી છે, પરંતુ આજની સૌથી વધુ ગંભીર ચિંતા ભારતની સર્વોચ્ચ અદાલત સામે થઈ રહેલા સવાલો વિષેની છે. સર્વોચ્ચ અદાલતમાં ભૂતકાળમાં પણ સવાલો થતાં અને લોકશાહીમાં આવા સવાલોનું આગવું મહત્ત્વ પણ છે, પરંતુ ચુકાદાઓ પર તથ્ય આધારિત ચર્ચા કે કાર્યદક્ષતા સામેના સવાલોને બદલે અદાલતની નિષ્ઠા, કાર્યશૈલી, કે વલણ પર સતત સવાલો થઈ રહ્યા હોય તો તે અત્યંત ગંભીર કહી શકાય. આવા સવાલોને પૂર્વગ્રહયુક્ત, રાજકીય કે પક્ષપાતી કહીને નકારી કાઢી ન શકાય. સામાન્ય રીતે નીચલી અદાલતો સામે સવાલો થતા રહેતા હોય છે, પરંતુ છેલ્લા સાત-આઠ વર્ષો દરમિયાન એવી અનેક ઘટનાઓ અને કિસ્સાઓ દેશ સમક્ષ આવ્યા છે, જેમાં સર્વોચ્ચ અદાલતની નિષ્પક્ષતા અને નિર્ભિકતા સામે શંકાની સોય તાકવામાં આવેલી છે.
Denne historien er fra February 17, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra February 17, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર