જુદા જુદા સમયે આઠ પટરાણીઓનું પાણિગ્રહણ કરનાર કૃષ્ણ નરકાસુરનો નાશ કર્યા બાદ એ અસુર દ્વારા બંદીવાન બનાવાયેલી એવી સોળ હજાર એકસો સ્ત્રીઓને હવે કોઈ આશરો ન રહેતાં એ સ્ત્રીઓને પણ પોતાના જીવનમાં સ્વીકારી રાણીનો દરજ્જો આપે છે. આમ આઠ પટરાણીઓ અને સોળ હજાર એકસો રાણીઓના જીવનસાથી એવા કૃષ્ણના ગૃહસ્થ જીવન બાબતે દેવર્ષિ નારદને જિજ્ઞાસા થાય છે! નારદ પૃથ્વી પર આવીને દ્વારિકામાં કૃષ્ણના આવાસમાં પ્રવેશે છે, ત્યાં નારદ શું જુએ છે? નારદ જુએ છે કે હરેક પટરાણી-રાણી પાસે કૃષ્ણ બિરાજે છે અને માત્ર એટલું જ નહીં, પણ એ દરેક પત્ની સાથે રહેલા કૃષ્ણની પ્રસન્નતા એકસમાન છે.
નારદ કૃષ્ણ પાસે જઈને પોતે જોયેલા આ દશ્ય બાબતે પૂછે છે, એના કૃષ્ણ જવાબ આપે છે, એમ હજુ આ વાત લાંબી છે, પણ પ્રસન્ન પ્રજ્ઞાપુરુષ કૃષ્ણનો આ ‘ભાગવત’ પ્રસંગ શું સૂચવે છે? આ પ્રસંગને જોવાના મુખ્ય બે દૃષ્ટિકોણ હોઈ શકે, એક તો સરળ શ્રદ્ધાનો જ રસ્તો છે કે પ્રસંગ જેમ છે એમ જ સ્વીકારી લેવામાં આવે કે, ‘હા, ભગવાન છે, ચમત્કાર હોઈ શકે...’, બીજો રસ્તો તર્ક અને પ્રશ્નનો છે કે, ‘આવી રીતે કેમ શક્ય બને? એક પુરુષ એકસાથે આટલી બધી પત્નીઓ સાથે કેવી રીતે હોઈ શકે?’
Denne historien er fra February 17, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra February 17, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.