પ્રવાસન
ABHIYAAN|Abhiyaan Magazine 024/02/2024
શ્રી શૃંગેરી મઠ, માતા સરસ્વતી શારદાનું વાસંતી તીર્થસ્થાન
રક્ષા ભટ્ટ
પ્રવાસન

પોષ મહિનાની ઠંડી ઘટી છે. આપણા આંગણાના આંબે કોયલના ટહુકા સંભળાવા લાગ્યા છે. પલાશ વનમાં ખાખરો ખર્યો છે અને ફાગણ આવતાં જ કેસૂડાનાં ફૂલો વસંતની છડી પોકારવાની તૈયારીમાં હશે એ આપણને ખબર છે.

શિશિર-વસંતના આ ખરવા-ખીલવા વચ્ચે જ આપણે તો વસંતપંચમીએ જ્ઞાનની દેવી મા સરસ્વતીના જન્મદિવસને ઊજવીએ છીએ અને જાણે વસંતને પણ વહેલી વધાવી લઈએ છીએ.

કહે છે કે બ્રહ્મા અને બ્રહ્માણીની પુત્રી મા સરસ્વતી જ્ઞાનયજ્ઞ દ્વારા જ્ઞાનઅંશ તરીકે વસંતપંચમીને દિવસે પ્રગટ થયાં હતાં. વિદ્યાદાત્રી અને વીણાવાદિની જેવા શાસ્ત્રીય નામોથી શાસ્ત્રોમાં ઉલ્લેખાયેલી આ મા શારદાના વિચાર સાથે જ આપણી નજર સમક્ષ વીણા-પુસ્તક ધારિણી મા સરસ્વતી તો હાજરાહજૂર થાય જ છે, પરંતુ એ સાથે જ ભારતનાં પ્રાચીન સરસ્વતી મંદિરો પણ દેખાવા લાગે છે, જેમાં શ્રી શૃંગેરી શારદામ્બા મંદિર પશ્ચિમઘાટની સુંદરતા લઈને આપણી નજર સમક્ષ આવે છે.

કર્ણાટકના ચિકમંગલૂર જિલ્લામાં ટેકરીઓથી ઘેરાયેલા શૃંગેરી ગામમાં સ્થિત આ શ્રી શૃંગેરી શારદામ્બા મંદિર દક્ષિણમાં આવેલી શારદા પીઠ છે, જેની સ્થાપના આદી ગુરુ શંકરાચાર્યે સદીઓ પહેલાં કરી હતી.

સનાતન ધર્મના રક્ષણ માટે અદ્વૈત વેદાંતના હિમાયતી આદી શંકરાએ સ્થાપેલા ચાર મઠમાંના દક્ષિણનો આ મઠ તુંગ નદીના કિનારે આવેલો છે. ઉડપીથી માત્ર ૮૫ કિલોમીટરના અંતરે સ્થિત આ શારદાપીઠની દંતકથા એવું કહે છે કે આદિ ગુરુ શંકરાચાર્યની ભારત યાત્રા દરમિયાન શૃંગેરી ગામની  તંગ નદીના કિનારે તેમણે એક સાપને પ્રસવપીડા સહન કરતી એક ગર્ભવતી દેડકીને ધોમધખતા તાપથી રક્ષણ આપતા જોયો અને તેમને થયું કે દેડકો તો સાપનો પ્રાકૃતિક શિકાર છે, છતાં તેને રક્ષણ આપે છે, તો સાપની આ વૃત્તિ આ સ્થળનો પવિત્ર પ્રભાવ છે અને આ વિચાર સાથે જ તેમણે તેમની સૌ પ્રથમ શારદાપીઠ શૃંગેરીમાં સ્થાપી એવું મનાય છે

Denne historien er fra Abhiyaan Magazine 024/02/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra Abhiyaan Magazine 024/02/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો

time-read
3 mins  |
Abhiyaan Magazine 21/09/2024
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
ABHIYAAN

હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં

રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
ABHIYAAN

આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?

'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 mins  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ABHIYAAN

નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે

ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
ABHIYAAN

ચાલો, ફરી શેરીઓમાં રમીએ

આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024
આ મેઘરાજાની મહેર કે કહેર?
ABHIYAAN

આ મેઘરાજાની મહેર કે કહેર?

સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
પ્રવાસન.
ABHIYAAN

પ્રવાસન.

મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024