ઇડી દ્વારા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની અટકાયત એ કોઈ આકસ્મિક પગલું નથી. એની સંભાવના હતી જ. ગત નવેમ્બરના પ્રારંભથી તેમને સમન્સ મોકલવાની શરૂઆત થઈ હતી, જેની તેઓ ઉપેક્ષા કરતા હતા. આજે તેમની ધરપકડને ચૂંટણી સાથે જોડવામાં આવે છે, ત્યારે નવ સમન્સની ઉપેક્ષા કરીને લગભગ સાડાચાર મહિનાનો સમય પસાર કરનારનો દોષ જોવામાં આવતો નથી. રાજનીતિની તાસીર બદલવા માટે રાજનીતિમાં પ્રવેશ કરવાનો દાવો કરનાર વ્યક્તિ એવા જ શુદ્ધ ઇરાદાથી રાજનીતિમાં આવ્યા હોવા વિશે હવે અસંખ્ય લોકોને શંકા જાય છે. કેજરીવાલની રાજકીય કારકિર્દીનો આ ટર્નિંગ પોઇન્ટ છે અને આ વળાંક ક્યાં લઈ જશે એ કહેવું મુશ્કેલ છે અને નથી!
આઈઆઈટીમાં અભ્યાસ કર્યા પછી ભારતીય સનદી સેવાના ઉચ્ચ અધિકારી એવા અરવિંદ કેજરીવાલનો રાજકીય સૂર્યોદય અન્ના હજારેના આંદોલનથી થયો હતો. કેજરીવાલે ૨૦૦૨માં સનદી સેવામાંથી નિવૃત્તિ લઈને પરિવર્તન’ના નામથી એનજીઓની સ્થાપના કરીને એક્ટિવિસ્ટ તરીકે પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. ૨૦૦૬માં ‘ઇમર્જિંગ લીડરશિપ' માટે રેમન મેગ્સેસે ઍવૉર્ડ મળ્યો. તે પછી તેઓ દેશમાં વધુ જાણીતા થયા હતા. વર્ષ ૨૦૧૦માં દિલ્હીમાં થયેલા કૉમનવેલ્થ ગેમ્સમાં થયેલા કથિત ગોટાળાની ખબર મીડિયામાં આવ્યા પછી લોકોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ગુસ્સો વધી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર ‘ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન’ નામની ઝુંબેશ શરૂ થઈ અને કેજરીવાલ તેનો ચહેરો બની ગયા. અન્ના હજારેના ઉપવાસ દરમિયાન જંતર-મંતર ખાતે અન્ના હજારેના માર્ગદર્શન હેઠળ સૌથી મોટું અને વ્યાપક વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ લોક-જુવાળનો લાભ લેવા માટે ૨૬ નવેમ્બર, ૨૦૧૨ના રોજ કેજરીવાલે વિધિવત્ ‘આમ આદમી પક્ષ'ની સ્થાપના કરી. સ્થાપના કર્યા પછી કહ્યું હતું કે તેમના પક્ષમાં કોઈ હાઇકમાન્ડ નહીં હોય અને તેઓ જનતાને સ્પર્શતા મુદ્દાઓ પર જનતાના પૈસાથી ચૂંટણી લડશે.
Denne historien er fra Abhiyaan Magazine 06/04/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 06/04/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?