કચ્છ ઉપર કુદરતના ચારે હાથ છે, કચ્છનું સૌંદર્ય અભિભૂત કરનારું છે. આ સૌંદર્ય માટે જ અહીં પ્રવાસન વિકસી રહ્યું છે. વિદેશીઓ તો દાયકાઓથી આ સરહદી જિલ્લાનું સૌંદર્ય માણવા, કચ્છી મહિલાઓના હાથના કસબને જોવા, જાણવા, કચ્છના વર્ષો જૂના ઇતિહાસને જોવા, સદીઓ જૂના સજીવોનાં પગરણને શોધવા માટે આવતા જ હતા. છેલ્લા બે દાયકાથી ભારતનાં વિવિધ રાજ્યોના લોકોને પણ કચ્છ અવાજ દઈને બોલાવી રહ્યું છે. દર વર્ષે અહીં આવનારા પ્રવાસીઓની સંખ્યા વધતી જ જાય છે. અહીં આવનારા પ્રવાસીઓને નિતનવું લાગે, તેમનું આકર્ષણ જળવાઈ રહે, તેમને વારંવાર કચ્છ આવવાનું મન થાય તે હેતુથી અલગ-અલગ પ્રકારના પ્રવાસન વધી રહ્યા છે. આકાશદર્શન એ એક એવા જ પ્રકારનું પ્રવાસન છે, જે ખગોળમાં રસ ધરાવતા લોકોને કચ્છમાં વારંવાર આવવા પ્રેરે છે.
આકાશ તો બધે જ એક સરખું હોય છે, પરંતુ તે કઈ રીતે જોઈ શકાય છે, તે મહત્ત્વનું છે. કચ્છનું આકાશ અન્ય જગ્યાના આકાશ કરતાં જાણે થોડું અલગ છે. તે કચ્છના રણની જેમ જ જાણે કે લોકો સાથે પોતાની ભીતરના રહસ્યોની વાત કરે છે. સામાન્ય રીતે કચ્છના આકાશમાં વાદળાની અવરજવર પ્રમાણમાં ઓછી હોવાના કારણે સ્વચ્છ આકાશ વધુ દિવસો સુધી જોઈ શકાય છે. અન્ય જગ્યા કરતાં કચ્છના રણ વિસ્તારમાં પ્રદૂષણની માત્રા ઘણી ઓછી છે. જેથી આકાશદર્શન વધુ સારી રીતે થઈ શકે છે. કચ્છનો વિસ્તાર મોટો અને વસતી પ્રમાણમાં ઓછી હોવાના કારણે લાઇટનું પ્રદૂષણ પણ ઓછું છે. તેમ જ નાના-મોટા રણમાં ક્ષિતિજ સુધી આકાશના કોઈ પણ જાતના અવરોધો ઓછા છે. રણમાં કોઈ ટેકરીઓ કે મોટાં ન હોવાના કારણે તારાઓને ઊગતા અને આથમતાં જોઈ શકાય છે. અહીં ૩૬૦ ડિગ્રી ક્ષિતિજ જોઈ શકાય છે. આ કારણો જ કચ્છના આકાશને વિશિષ્ટ બનાવે છે. અહીં જેટલી સરળતાથી નરી આંખે તારાઓ જોઈ શકાય છે, તેટલી જ સરળતાથી ટેલિસ્કોપની મદદથી દૂરના તારાઓ કે ગ્રહો પણ જોઈ શકાય છે. આથી જ ૧૯૯૯માં જ્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણ થયું ત્યારે વિશ્વના મોટા ભાગના દેશના વિજ્ઞાનીઓ પોતાનાં મોંઘામૂલાં સાધનો સાથે સૂર્યનાં રહસ્યોને વધુ સમજવા માટે કચ્છ આવ્યા હતા.
Denne historien er fra Abhiyaan Magazine 13/04/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 13/04/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?