એઆઈ એટલે શું એ સમજાવવાની જરૂરિયાત ઘટતી જાય છે? કે પછી વધતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લોકોનું જીવન ઝડપથી બદલી રહી છે એ વિચાર નવો નથી. ૨૦૨૨ની ત્રીસમી નવેમ્બરે ચૅટ જીપીટી ઍપ બજારમાં આવી અને હોહા શરૂ થઈ. એક પછી એક કૃત્રિમ બુદ્ધિની અવનવી ઍપ્લિકેશન આવવા માંડી છે. જે અગાઉ આ ફિલ્ડમાં ના હતી એ જાયન્ટ કંપનીઓ એઆઈ ડેવલપમૅન્ટમાં લાગી ગઈ. એઆઈ ઘણું બધું બદલી નાખશે. એઆઈનાં નવાં-નવાં વર્ઝન આવશે. એઆઈ એઆઈ વચ્ચે સરહદ ખેંચાશે, દુશ્મનાવટ જન્મશે. પોતાની બુદ્ધિથી બુદ્ધિશાળી સાબિત થયેલા કેટલાંક મનુષ્ય એવું માને છે કે એઆઈને કારણે ઇકોનોમિક્સ બદલાશે, એથી વિશેષ મનોવિજ્ઞાન બદલાશે.એઆઈની સોસાયટી નામની ઍન્ટિટી પર સીધી અસર પડશે. અમુક બુદ્ધિજીવીઓ તો ભારે ઉત્સાહમાં છે કે હવે ખરો નાસ્તિકવાદ સ્થપાશે અને હવે ધર્મને પાકી હાર મળશે. જોકે અમુક ગંભીર અને સમજુ લોકો એવી ચિંતા કરે છે કે શું એઆઈ નવો ધર્મ બનશે? શું એઆઈ પોલિટિક્સ રમાડશે અને રમશે?
જે જગતમાં લાંબા સમયથી બેચાર સ્થળે યુદ્ધ ચાલે છે ત્યાં એઆઈ શાંતિ લાવશે એવું કોઈ હ્યુમન ઇન્ટેલિજન્સ વડે નથી માનતું. ડેન્માર્કમાં ૨૦૨૨માં સિન્થેટિક પાર્ટી નામની વિશ્વની પહેલી એઆઈ પોલિટિકલ પાર્ટી બની છે. નાની-નાની વાતમાં લોકભોગ્ય રીતે ટૅક્નોલૉજી વાપરતું જાપાન એઆઈ પર કન્ટ્રોલ કરતો કાયદો લાવવા મહેનત કરી રહ્યું છે. કલ્પના કરો કે ભાજપનું એઆઈ સેલ છે જે પાર્ટીને પૉલિસી બનાવી આપે છે અને સામે વિપક્ષોમાં પોતપોતાની એઆઈ પાંખ જે ઢંઢેરો ઘડે છે તેમાં એકમતી સધાય તે માટે વિખવાદ ચાલી રહ્યા છે. સમાચાર આવે કે ભારતમાં પહેલું મંદિર બનશે જેમાં એઆઈ જનરેટેડ સ્વરૂપોનાં દર્શન થશે તો શું ફીલિંગ આવે? ફીલિંગ પર માનવીનો ઇજારો છે, પણ જો ફીલિંગ મેનેજ કરનાર એઆઈ હોય તો? ન્યાયાલય એઆઈ વાપરે તો ચુકાદા જલ્દી આવે અને વધુ સચોટ આવે? એઆઈના આધિપત્ય સાથે વ્યક્તિગત જીવન ગીરવે મુકાશે અને જાસૂસીના ધંધામાં ઉછાળો આવશે એવું ઘણાંને લાગે છે.
દસકાથી સતત ચર્ચા થાય છે કે ઇન્ફોર્મેશન સર્વસ્વ છે. નાની-મોટી કંપનીઓ મોબાઇલ, લેપટોપ, ટીવી વગેરે માધ્યમથી યુઝર યા કસ્ટમરનો ડેટા ભેગો કરે છે. ડેટામાંથી ઇન્ફોર્મેશન બનાવવાની દૃષ્ટિ વર્ષો જૂની છે.
Denne historien er fra Abhiyaan Magazine 20/04/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 20/04/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?