ઉત્તર ભારતનું ઉત્તરાખંડ ૨૦૦૭ સુધી તો ઉત્તરાંચલ હતું. ગઢવાલ અને કુમાઉમાં વિભાજિત તેર જિલ્લાઓ ધરાવતું આ ઉત્તરાખંડ એટલે આપણી દેવભૂમિ જ્યાં પ્રાચીન હિન્દુ મંદિરો અને મંદિર સમૂહો આપણી હિન્દુ પરંપરાઓના દીવાને અખંડ રાખે છે અને અખંડ રાખે છે શ્રદ્ધા અને આસ્થાની અવિરત યાત્રાને પણ.
અનેક તીર્થસ્થાનો અને યાત્રાધામોથી ઉનાળે માલામાલ થતાં આ રાજ્યના અલમોડા જિલ્લામાં અલ્મોડાથી માત્ર ૩૬ કિલોમીટર દૂર જાગેશ્વરધામ તરીકે પ્રચલિત ૧૨૪ શિવ મંદિરોનો સમૂહ છે, જે સાતમીથી ચૌદમી સદીનો ઇતિહાસ લઈને સદીઓથી શિવપ્રેમી પ્રવાસીઓને અને સ્થાપત્યના અભ્યાસુઓને આકર્ષે છે.
આ કુમાઉ પ્રદેશની જાગેશ્વરવેલીમાં સ્થિત આ શિવ મંદિરો જટાગંગાના કિનારે ૬,૧૩૫ ફૂટની ઊંચાઈ પર દેવદારનાં જંગલોની વચ્ચે આવેલાં છે. લિંગ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ દ્વારા સ્થાપિત બાર જ્યોતિર્લિંગમાં નું એક આ જાગેશ્વરધામ સપ્તઋષિઓની તપોભૂમિ છે, જે અનુષ્ઠાનો, યજ્ઞો અને વિશ્વ પ્રવાસીઓના શ્રદ્ધેય દર્શનથી સભર છે. એટલું જ નહીં, સ્કંદપુરાણના માનસ ખંડમાં ઉલ્લેખિત આ જ્યોતિર્લિંગનો ઉલ્લેખ ચીની પ્રવાસી હ્યુ-એન-ત્સાંગના પ્રવાસ વૃત્તાંતમાં પણ જોવા મળે છે.
એક જમાનામાં કૈલાસ માનસરોવર યાત્રા દરમિયાનનો એક વિરામ ગણાતું જાગેશ્વરધામ શિવના અઠ્યાવીસમાં અવતાર લકુટ એટલે દંડ ધારણ કરેલા લકુલીશના લકુલીશ શૈવિઝમનું કેન્દ્ર પણ હતું અને સાધકોની સાધનાથી સમૃદ્ધ હતું. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ મુજબ ૨૫૦૦ વર્ષ પ્રાચીન આ મંદિર સમૂહો ગુપ્તકાળ પછી સાતમીથી બારમી સદી સુધીમાં અહીં રાજ કરતાં કહ્યુરી રાજાઓએ બંધાવેલાં મધ્યયુગીન મંદિરો છે.
જટાગંગાના ડાબા કિનારે ખૂબ ઊંચા દળદાર દેવદારનાં વૃક્ષો વચ્ચે પથરાયેલાં આ મંદિરોમાં શિવ, લકુલીશ, જાગેશ્વર, કેદારેશ્વર, મૃત્યુંજય, પુષ્ટિદેવી, લક્ષ્મી, દુર્ગા અને ચંડિકા બિરાજમાન છે.
એક માન્યતા મુજબ સ્વર્ગારોહિણી તરફના મહાપ્રસ્થાન પહેલાં પાંડવોએ અહીં જાગેશ્વરમાં જટાગંગાના કિનારે પૂજા-અર્ચના અને વિધિવિધાનો કરેલા અને આથી જ જાગેશ્વર મંદિર સમૂહોને અડીને વહેતી પતિતપાવન જટાગંગાનો કિનારો અહીંનાં આસપાસનાં ગામોનું સ્મશાન છે, જ્યાં દરેક ક્ષણે થતાં એકાદ અગ્નિસંસ્કારથી વાતાવરણ ધુમાડાના લેયર્સમાં લપેટાયેલું અને ઘૂસર હોય છે.
Denne historien er fra Abhiyaan Magazine 20/04/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 20/04/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?