ચૂંટણી આવે એટલે વિવિધ પ્રકારનાં સર્વેક્ષણોની જાણે મોસમ આવી. સર્વેક્ષણો કરતી એજન્સીઓ માટે એ બિઝનેસની ખાસ સિઝન કહેવાય. આવા સમયે સવાલ થાય કે આ સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી? છેલ્લાં કેટલાંક વર્ષોમાં લોકસભા કે વિધાનસભાઓની ચૂંટણીમાં જાહેર થયેલાં સર્વેક્ષણોનો ટ્રૅક-રેકોર્ડ જોઈએ તો એ પણ સવાલ થાય કે ચૂંટણી પર થતાં સર્વેક્ષણો પર ભરોસો કરવો જોઈએ કે નહીં? અને કરવો જોઈએ તો કેટલો ભરોસો કરવો જોઈએ? આજકાલ સામાન્ય રીતે મત આપવા ન જતાં નાગરિકોમાં પણ રાજકારણ વિષેનો રસ ગજબ હોય છે. કયો પક્ષ જીતશે કે હારશે? કયા ઉમેદવારની સ્થિતિ મજબૂત છે કે નબળી? કોની સરકાર આવશે કે જશે? આવા વિષયો પર લોકોની જિજ્ઞાસા એવી પ્રબળ હોય છે કે સર્વેક્ષણોની મોસમ પણ એ કારણે જ અચાનક પુરબહારમાં ખીલી ઊઠે છે. લોકોની જિજ્ઞાસા કહો કે અપેક્ષા, તેની રોકડી કરી લેવા રાતોરાત અનેક એજન્સીઓ અસ્તિત્વમાં આવી જાય છે, પરંતુ ચૂંટણી બાદ તેનો કોઈ અતોપતો જડતો નથી. એવું નથી કે સર્વેક્ષણો કરનારી બધી એજન્સીઓ આ પ્રકારની હોય છે. વિશ્વસનીય કહી શકાય તેવી પણ સંસ્થાઓ - એજન્સીઓ છે, જેઓ વૈજ્ઞાનિક ઢબે પદ્ધતિસર સર્વેક્ષણો કરતી હોય છે અને તેમનાં અનુમાનો ઘણે અંશે સાચા પણ પડતાં હોય છે. આમછતાં એક હકીકત એ પણ છે કે આવી સારી એજન્સીઓનાં સર્વેક્ષણો પણ ઘણીવાર ખોટાં પડી શકે છે. એનો અર્થ એવો ન કરી શકાય કે એજન્સી શંકાસ્પદ છે. એક રીતે જોઈએ તો સર્વેક્ષણોનું અનુમાન હવામાન પર થતાં અનુમાનો જેવું જ હોય છે, જે ક્યારેક સચોટ તો ક્યારેક સાવ ખોટું હોય છે, છતાં આગાહીઓ થતી હોય છે અને એ પણ એ જ પદ્ધતિએ!
સર્વેક્ષણોની વિશ્વસનીયતા સમજવા માટે સર્વેક્ષણ કરતી એજન્સીનો ટ્રૅક-રેકોર્ડ જાણવો જરૂરી હોય છે. એ પણ જાણવું જોઈએ કે જે-તે એજન્સીની સરવે કરવાની પતિ શું છે? જમીન પર કેટલો સરવે કરાયો છે? ટૅક્નોલૉજીનો ઉપયોગ કેટલો અને કેવી રીતનો થયો છે. સર્વેક્ષણ કરનારી ટીમ અને તારણો અને અનુમાન પર આવનાર તજજ્ઞોનો અભ્યાસ અને અનુભવ શું છે, તેવાં અનેક પાસાંઓ સર્વેક્ષણની વિશ્વસનીયતા સમજવા માટે મહત્ત્વનાં હોય છે.
Denne historien er fra Abhiyaan Magazine 18/05/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 18/05/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?